Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 35
________________ ૩૪ શ્રી સ્નાત્ર પૂજા સાથે (ઉપર મુજબ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી લુણ ઉતારી આરતી તથા મંગળ દીવો ઉતારવાં.) લૂણ ઉતારણ લુણ ઉતારો જિનવર અંગે, નિર્મળ જલધારા મનરંગે. લૂણ૦ ૧. જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. લૂણ૦ ૨. નયન સલુણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ ૩. રૂપ સલુણું જિનજીનું દીસે, લાયું લૂણ તે જલમાં પેસે. લૂણ૦ ૪. ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ ખેપવીએ લૂણ ઉદારા. લૂણo પ. લુણ ઉતારણનો અર્થ - મનમાં ઉલ્લાસ ધારણ કરી નિર્મળ જળની ધારા દેવા પૂર્વક પ્રભુના અંગે લૂણ ઉતારો. ૧. અગ્નિ નાંખવાથી જેમ લુણ તડ તડ અવાજ કરતું ફૂટે છે, તેમ તેમ પૂજકના અશુભકર્મના બંધો તૂટે છે. ૨. શ્રી જિનેશ્વર ભગવંતના અનુપમ રૂપવાળાં અને દયારસથી ભીનાં એવાં સુંદર નેત્રો શોભે છે. ૩. શ્રી જિનેશ્વરનું સુંદર રૂપ જોઇને જાણે શરમાઈ ગયેલ હોય તેમ લૂણ પાણીમાં પેસી જાય છે. ૪.. જળધારાની ત્રણ પ્રદક્ષિણા દઇ, લૂણને અગ્નિમાં નાંખવું.પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50