Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 34
________________ ૩૩ સ્નાત્ર પૂજા સાથે (૭) નૈવેદ્યપૂજા-દુહો અણાહારીપદ મેં કર્યા, વિષ્ણહ ગઇઅ અત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવસંત. ૭. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૭. (૮) ફલપૂજા-દુહો ઇંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ. ૮. કે હf શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલ યજામહે સ્વાહા. ૮. હે પ્રભુ ! વિગ્રહગતિમાં તો મેં અણાહારીપદ અનંતી વખત પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ મારી કાર્યસિદ્ધિ થઈ નહિ, તો હવે તેવું અણાહારીપદ દૂર કરીને મને કાયમનું અણાહારીપદ આપો. ૭. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઇન્દ્રાદિ દેવો પ્રભુની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ ફળો લાવે છે અને પુરુષોત્તમ એવા પ્રભુની તે ફળો વડે પૂજા કરીને પ્રભુ પાસે ધરીને જેનાથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ મળી શકે તેવા ત્યાગધર્મની – ચારિત્રધર્મની માગણી કરે છે અગર મોક્ષફળરૂપી દાન માગે છે. ૮. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ફળ વડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50