Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 33
________________ ૩૨ શ્રી સ્નાત્ર પૂજા સાર્થ (૫) દીપકપૂજા-દુહો દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ-પ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલોક. ૫. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. ૫. () અક્ષતપૂજા-દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. ૬. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતામ્ યજામહે સ્વાહા. ૬. વિવેકપૂર્વક પ્રભુની સામે દ્રવ્યદીપક કરવાથી દુઃખમાત્ર નાશ પામે છે. અને પરિણામે લોકાલોક જેમાં પ્રકાશિત થાય છે એવો ભાવદીપક-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ૫. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનારા શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. શુદ્ધ અને અખંડ એવા અક્ષત લઈને તેના વડે પ્રભુ સમીપે વિશાળ એવો નંદાવર્ત કરો અને પછી સર્વ જંજાળને તજી દઇને પ્રભુની સન્મુખ ઉભા રહો. અર્થાત્ શુભ ભાવના ભાવો. ૬. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50