Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦
શ્રી સ્નાત્ર પૂજા
ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાણજાએ
નિસીહિઆએ, મત્યએણ વંદામિ.
( એમ ત્રણ વાર ખમાસમણ દેવાં. )
શ્રી જગચિંતામણિનું ચૈત્યવંદન ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઇચ્છું. જગચિંતામણિ જગનાહ, જગગુરૂ જગરણ; જગબંધવ જગસત્થવાહ, જગભાવિવઅક્ષણ, અટ્ટાવયસંવિઅરૂવ કમ્મટ્ઠવિણાસણ, ચઉવીસંપિ જિણવર જયંતુ, અપ્પડિહયસાસણ. ૧. કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય; જિણવરાણ વિહરત લખ્મઈ,
Jain Education International
અર્થ-હેક્ષમાશ્રમણ !મારાશરીરનીશક્તિસહિતતથાપાપવ્યાપારનો ત્યાગ કરીને આપને વાંદવાને ઈચ્છું છું. અને મસ્તકે કરીને વાંદું છું.
ચૈત્યવંદનનો અર્થ- આપની ઇચ્છાપૂર્વક હે જ્ઞાનવંત ! આદેશ આપો હું ચૈત્યવંદન કરવાને ઇચ્છું છું. આપની આજ્ઞા મારે પ્રમાણભૂત છે. ભવ્ય જીવોને ચિંતામણિરત્નસમાન, ભવ્યજીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, છજીવનિકાયના રક્ષક, સકલ જગતના બાંધવ, મોક્ષાભિલાષીના સાર્થવાહ, ષડ્વવ્ય અને નવતત્ત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યાં છે બિંબ જેમનો એવા. અષ્ટકર્મનો નાશ કરનારા ચોવીશે તીર્થંકરો જયવંતા વર્તો. જેમનું શાસન કોઇથી હણાય નહીં એવું છે. ૧.
અસિ, મષી અને કૃષિકર્મ જ્યાં વર્તે છે એવા કર્મભૂમિના ક્ષેત્રોને વિષે, પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસો સીત્તેર તીર્થંકરો વિચરતા પામીએ. કેવળજ્ઞાની નવ ક્રોડ અને નવ હજાર ક્રોડ સાધુઓ હોય એમ
સાર્થ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50