________________
પ્રવચન ૨
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયનો ઉપસંહાર કરતાં કહ્યું છે કે ઃ
विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः । एवं सद्भावनासारः परं चारित्रकारणम् ॥
જિનેશ્વર ભગવંતોએ વિશેષરૂપથી જે ગૃહસ્થ ધર્મ બતાવ્યો છે તે પરમ પુરુષાર્થરૂપ મોક્ષ છે. એ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ભાવશ્રાવકધર્મ છે. અને આ જન્મમાં અથવા બીજા જન્મમાં (ભવાન્તરમાં) ચારિત્રધર્મનો અવંધ્ય હેતુ છે.’
કહેવાનું તાત્પર્ય એ છે કે આ ત્રીજા અધ્યાયમાં જે શ્રાવકધર્મ બતાવવામાં આવ્યો છે, તે ચારિત્રધર્મનું અસાધારણ કારણ છે. એટલે કે જે મનુષ્ય આ ભાવશ્રાવકધર્મનું પાલન કરે છે તે અવશ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી શકે છે. આ જન્મમાં કરે છે અથવા બીજા જન્મમાં કરે છે. અને ચારિત્રધર્મનું યથોચિત પાલન કરીને તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. ભાવશ્રાવકધર્મ :
આ ત્રીજા અધ્યાયમાં જે વિશેષ ગૃહસ્થ ધર્મ બતાવવામાં આવ્યો છે તે ભાવશ્રાવકનો ભાવાત્મક ધર્મ છે. જો કે બાર વ્રતોનું પાલન કરવાની જે વાત છે, તે ક્રિયાત્મક ધર્મની વાતો છે. પરંતુ એની પછી જે વાતો કહેવામાં આવી છે તે સર્વ ભાવાત્મક ધર્મની વાતો છે અને ભાવાત્મકધર્મની - ચારિત્રધર્મની પ્રાપ્તિનો અવંધ્ય હેતુ છે.
'
ચારિત્રધર્મના પાલનનું લક્ષ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ જ હોવું જોઈએ. આમ તો ચારિત્રધર્મની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે ‘ચારિત્રમોહનીય કર્મ’ તૂટે છે. પ્રાયઃ ભાવશ્રાવકધર્મના પાલનથી ચારિત્રમોહનીય કર્મ અવશ્ય તૂટે છે. એટલા માટે ભાવશ્રાવકધર્મને ચારિત્રધર્મની પ્રાપ્તિનું અવંધ્ય કારણ ગણવામાં આવે છે.
‘આપણું ચારિત્રમોહનીય કર્મ પ્રબળ છે એટલા માટે આપણને ચારિત્રધર્મ - સાધુધર્મની પ્રાપ્તિ થતી નથી.' એવું સમજનારા લોકોએ ચારિત્રમોહનીય કર્મને તોડવા માટે શ્રાવકધર્મનું પાલન કરવું, ભાવશ્રાવકધર્મનું પાલન કરવું, તેથી ‘ચારિત્રમોહનીય કર્મ’ અવશ્ય તૂટશે. આ જન્મમાં ચારિત્રધર્મની - સાધુધર્મની પ્રાપ્તિ થશે. જો આ જન્મમાં પ્રાપ્તિ ન થઈ તો આગામી જન્મમાં અવશ્ય થશે.
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org