________________
પ્રવચન ૯૫
૨૪૭
• નિર્લોભતા, • નિસ્વાર્થતા, • પરોપકાર વૃત્તિ, ૦ સહનશીલતા, ૦ સ્વાધ્યાય-પરાયણતા.
આ દશ વાતો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આમાંથી એક વાત પણ ઓછી હશે તો સાધુજીવનમાં અશાંતિ, ક્લેશ વગેરે થવાં નિશ્ચિત છે.
રાજમાર્ગ તો ભાવશ્રાવકધર્મની આરાધના છે. એ આરાધના કરતાં કરતાં...સહજભાવથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ જાય... અને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય એ વધારે યોગ્ય છે.
માની લો કે આ વર્તમાન જીવનમાં સાધુ ન બની શકો છતાં પણ ભાવશ્રાવકધર્મનું સુંદર પાલન કરીને આ મનુષ્ય જીવનને સફળ કરી શકો છો. એટલા માટે ત્રીજા અધ્યાયમાં ભાવશ્રાવકધર્મની સુંદર વાતો લખી છે. ઉપસંહાર :
ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આ અંતિમ પ્રવચન છે. મારી કલ્પના ન હતી કે આ અધ્યાય પર ૫ પ્રવચનો થઈ જશે પરંતુ થઈ ગયાં. શ્રાવક જીવનની એક એક વાત વિસ્તારથી, તો કોઈક સ્થળે સંક્ષેપમાં બતાવી છે, સમજાવી છે. તમે વારંવાર આ પ્રવચનો વાંચજો. તમારા જીવનમાં ક્રિયાત્મક અને ભાવાત્મક સારું પરિવર્તન આવશે. વિચારોમાં સુંદર પરિવર્તન આવવાથી જીવન રસમય બનશે.
આ પ્રવચનોમાં પ્રમાદથી યા અજ્ઞાનતાથી જિનાજ્ઞા વિરુદ્ધ કશું ય બોલાઈ ગયું હોય તો હું અંતઃકરણપૂર્વક ક્ષમાપ્રાર્થી છું.
જય વીતરાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org