SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૯૫ ૨૪૭ • નિર્લોભતા, • નિસ્વાર્થતા, • પરોપકાર વૃત્તિ, ૦ સહનશીલતા, ૦ સ્વાધ્યાય-પરાયણતા. આ દશ વાતો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આમાંથી એક વાત પણ ઓછી હશે તો સાધુજીવનમાં અશાંતિ, ક્લેશ વગેરે થવાં નિશ્ચિત છે. રાજમાર્ગ તો ભાવશ્રાવકધર્મની આરાધના છે. એ આરાધના કરતાં કરતાં...સહજભાવથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ જાય... અને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય એ વધારે યોગ્ય છે. માની લો કે આ વર્તમાન જીવનમાં સાધુ ન બની શકો છતાં પણ ભાવશ્રાવકધર્મનું સુંદર પાલન કરીને આ મનુષ્ય જીવનને સફળ કરી શકો છો. એટલા માટે ત્રીજા અધ્યાયમાં ભાવશ્રાવકધર્મની સુંદર વાતો લખી છે. ઉપસંહાર : ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આ અંતિમ પ્રવચન છે. મારી કલ્પના ન હતી કે આ અધ્યાય પર ૫ પ્રવચનો થઈ જશે પરંતુ થઈ ગયાં. શ્રાવક જીવનની એક એક વાત વિસ્તારથી, તો કોઈક સ્થળે સંક્ષેપમાં બતાવી છે, સમજાવી છે. તમે વારંવાર આ પ્રવચનો વાંચજો. તમારા જીવનમાં ક્રિયાત્મક અને ભાવાત્મક સારું પરિવર્તન આવશે. વિચારોમાં સુંદર પરિવર્તન આવવાથી જીવન રસમય બનશે. આ પ્રવચનોમાં પ્રમાદથી યા અજ્ઞાનતાથી જિનાજ્ઞા વિરુદ્ધ કશું ય બોલાઈ ગયું હોય તો હું અંતઃકરણપૂર્વક ક્ષમાપ્રાર્થી છું. જય વીતરાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004544
Book TitleShravaka Jivan Part 4
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy