Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 231
________________ પ્રવચન ૯૩ ૨૨પ * ચોથું મહાવ્રત છે - સર્વથા મૈથુનવિરમણ વ્રત. સ્ત્રીપુરુષની મૈથુનક્રિયાનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવાનો છે. * પાંચમું મહાવ્રત છે - સર્વથા પરિગ્રહવિરમણ વ્રત. નવ પ્રકારનો પરિગ્રહ બતાવવામાં આવ્યો છે. એમાંથી વિરતિ કરી લેવાની છે. દ્રવ્ય ત્યાગની સાથે મૂચ્છ - મમત્વનો પણ ત્યાગ કરવાનો છે. મૂચ્છથી પ્રશમસુખનો નાશ થાય દશ પ્રકારનો શ્રમણધર્મ : * પ્રથમ શ્રમણધર્મ છે - ક્ષમા. શક્તિ હોય યા અશક્તિ, સાધુએ સહન કરવાની ભાવના ટકાવી રાખવાની હોય છે. * બીજો શ્રમણધર્મ છે - નમ્રતા. સાધુના મનમાં કોઈ પણ પ્રકારનો ગર્વ - અભિમાન ન હોવું જોઈએ. * ત્રીજો શ્રમણધર્મ છે – સરળતા. સાધુના મનમાં માયા-કપટ ન હોવાં જોઈએ. સર્વ પ્રવૃત્તિઓ સરળતાથી કરવી જોઈએ. * ચોથો શ્રમણધર્મ છે - મુક્તિનિલભતા. સાધુના મનમાં કોઈ પણ પ્રકારની - બાહ્ય આભ્યન્તર વસ્તુની તૃષ્ણા ન હોવી જોઈએ. * પાંચમો શ્રમણધર્મ છે - તપશ્ચયનો. સાધુના જીવનમાં બાર પ્રકારની બાહ્ય - આભ્યન્તર તપશ્ચય યથાશક્તિ કરવી જોઈએ. * છઠ્ઠો શ્રમણધર્મ છે - સંયમ. સાધુ નવાં કમનું બંધન રોકે છે, આસવ નિરોધ કરે છે. * સાતમો શ્રમણધર્મ છે – સત્ય. સાધુ મૃષાવાદી નથી હોતો. * આઠમો શ્રમણધર્મ છે - શૌચ. સાધુ પોતાના શ્રમણ જીવનમાં દોષ ન લાગે. અતિચાર ન લાગે. એ રીતે જીવે છે. એ જ શૌચ છે. * નવમો શ્રમણધર્મ છે - અકિંચન્ય. સાધુ પોતાના શરીર પ્રત્યે અને પોતાનાં ધર્મોપકરણોમાં મમત્વ રાખતો નથી. * દશમો શ્રમણધર્મ છે - બ્રહ્મચર્ય. સાધુ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું પાલન કરતાં સંયમમાં સ્થિર રહે છે. આ રીતે દશ શ્રમણધર્મોનું પાલન કરવું જોઈએ. ૧૭ પ્રકારનો સંયમ : - સાધુએ પ્રાણાતિપાત આદિ પાંચ આગ્નવોનો ત્યાગ કરવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260