Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04
Author(s): R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છૂટીને વિભિન્ન યોનિઓને પ્રાપ્ત કરે છે." બૃહદારણ્યકોપનિષદ્ પર સૂક્ષ્મદષ્ટિ શું જીવ બ્રહ્મ હોઈ શકે છે? આ ઉપનિષમાં એક સ્થાન પર જીવાત્માનો પ્રારંભ કરવાની વાત કહેતા કહેવાનું છે કે જયારે તેણે સહમમિ' કહ્યું તો તે અહમ નામવાળો થયો. અહીં આ વાત સમજવાની છે કે અમ્મદ શબ્દ જેમાંથી અહમ બન્યો છે જ્યાં સર્વનામ (Pronoun) અર્થોમાં આવે છે. જયાં તે આત્માને માટે સંજ્ઞા (noun) રૂપમાં જ આવે છે અને જ્યારે સંજ્ઞા અર્થમાં આત્માને માટે પ્રયુક્ત હોય છે ત્યારે તેના જેટલા પણ રૂપ હશે તે બધાંના અર્થ આત્માથી જ સંબંધ હશે. ઉદાહરણાર્થ ગીતાનો નિમ્ન શ્લોક પ્રસ્તુત છે. सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेम्यो मोक्षमि त्वामि मां सूचः ॥५७ આમાં “નામેન્'નો અર્થ “એક આત્મા’ અને ‘મન નો અર્થ આત્મા છે. અહીં આત્મા શબ્દ પરમાત્માવાચી છે. અહીં કહી શકાય કે જીવાત્મા અહમ નામવાળો છે. તેના પછી બ્રહ્મના પ્રારંભમાં હોવાની વાત કરી છે અને ત્યાં કહ્યું છે કે તેમાં પોતે જ જાણ્યું છે “હું બ્રહ્માંડમાં રહું છું' એટલે કે “હું બ્રહ્મ છું. અહીં સ્પષ્ટ છે કે જીવાત્માનું નામ “અહમ્' અને પરમાત્માનું નામ “બ્રહ્મ’ છે. તેના પછીની કડીમાં કહ્યું છે કે “ “જે દેવો, ઋષિઓ અને મનુષ્યમાં જ જાગી ઊઠે છે એટલે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તે પણ બ્રહ્મ થઈ ગયો.પપ એટલે કે તે બ્રહ્મમાં સ્થિર થઈ ગયો તે બ્રહ્મને પ્રાપ્ત કરી લીધો. અહીં એટલું કહેવું ઉચિત છે કે જે જીવ અત્યાર સુધી બ્રહ્મ નથી અને હવે બ્રહ્મમાં ગુણોને પ્રાપ્ત કરવા બ્રહ્મ થયા છે, તે જીવો અને બ્રહ્મના ગુણોમાં સમવાય (નિત્ય) સંબંધ નહીં, અપિતુ સંયોગ (અનિત્ય) સંબંધ થયો છે. એટલા માટે તે જીવ, અનાદિ, બ્રહ્મ નહીં, અપિતુ આદિ હોય છે અને આદિ હોય તે શાંત પણ વાસ્તવિક બ્રહ્મ અનાદિ અને અંત છે. અહીં જીવોના બ્રહ્મ થવાનો અભિપ્રાય કેવળ એટલો કે તેણે બ્રહ્મા આનંદ વગેરે ગુણોનો પ્રાણ કરવા પોતાને બ્રહ્મ બનાવે છે. તે સર્વાસમાં આદિ બ્રહ્મ પણ હોતા નથી. તેમની અંદર કર્મફળ દાતા, સૃષ્ટિકર્તુત્વ આદિ ગુણો તો ન આવ્યા અને આવશે પણ નથી. એટલા માટે આદિ બ્રહ્મનો અર્થ ઉન્નત અથવા મુક્ત જીવ જ હોઈ શકે છે. તેનાથી વધારે કશું જ નહીં. એટલા માટે જીવનું બ્રહ્મ હોવું અસંભવ છે. વૈતાદ્વૈતપદ પર વિચાર કરતા યાજ્ઞવલ્કલ્કયે મૈત્રેયીને કહ્યું હતું કે, “જયારે ઉપાસક દૈતની ભાવનાવાળા હોય છે અને જ્યાં સુધી તેની અંદરથી અહંકારની ભાવના દૂર થઈ જતી નથી ત્યાં સુધી એકબીજાને દેખતા, સાંભળતાં, સુંઘવું અને ચાખવું વગેરે છે. જયારે ઉપાસક નિરહંકાર થઈ જાય છે.” જે અવસ્થા માટે યાજ્ઞવલ્કયએ કહ્યું છે. યત્ર વા કહ્યું સર્વાત્મવાભૂત એટલે કે જયારે નિશ્ચય (બ્રહ્મવિદ્) નું બધું જ આત્મા (પરમાત્મા) જ થઈ ગયું છે અને તે બ્રહ્મમાં લીન થઈને પોતાની સૂધબૂધ ખોઈ ચૂક્યો છે ત્યારે કોઈ કોઈને જુએ, સાંભળે, સૂધે અને ચાખે વગેરે ભાવ એ છે કે પ્રેમ અને ભક્તિની અતિશયતામાં ઉપાસક પોતાને ભૂલીને હમેશાં પોતાના પ્રિયતમને જોયા કરે છે ત્યારે તેના સિવાય તેની દૃષ્ટિમાં બીજું કોઈ અવશિષ્ટ રહેતું નથી. આ પ્રકારના પ્રકરણમાં પ્રેમ અને ભક્તિના પ્રાચુર્યને પ્રગટ કરે છે, તેમના જીવ અને બ્રહ્મની એકતાના કોઈ સંબંધ હોતો નથી. શું જીવ અને બ્રહ્મ એક છે? આ પ્રશ્નનો જવાબ અનુસંધેય ઉપનિષમાં દૃષ્ટિકોણમાં આપ્યો છે. 112. સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164