________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતઋતુ આવતાં વૃક્ષો ફૂલોથી લદાયેલાં છે. એવા જ એક ઘટાદાર વૃક્ષની નીચે કૃષ્ણ અને રાધા એકમેકનાં પ્રેમમાં મગ્ન છે ત્યારે તેનાં આ ભાવને વાચા આપતાં બે પક્ષીઓ તેમજ ડાળ ઉપર કોયલ બેઠેલી બતાવેલી છે.
બીજા એક ચિત્રમાં રાધા અને કૃષ્ણ એકબીજાની નજીક બેસી અરીસામાં પોતાનાં મુખ નિહાળી રહ્યાં છે ત્યારે તેઓની બન્ને બાજ ડાળ પર કોયલ બેઠેલી દેખાય છે.
આખી રાત સાથે રહ્યા પછી સવારે કૃષ્ણ અને રાધા ભવનમાંથી બહાર આવી રહ્યાં છે. તેઓ એકબીજાની સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે. ત્યારે ઝાડ પર બેઠેલી કોયલ ગીત ગાતી હોય તેમ લાગે છે.
બધી લતાઓ અને ઝાડ ફૂલોથી લદાયેલાં છે. સરોવરો અને નદીઓ પણ પાણીથી ભરાયેલાં છે. ચારે બાજુ કામદેવનું કામણ છે. ડાળ પર બેઠેલી કોયલો પ્રેમ ગીતો ગાતી હોય તેમ લાગે છે. ત્યારે હે પ્રિયતમ તું જવાની વાત શા માટે કરે છે? શા માટે આ મિલનના-આનંદના રસને ફિક્કો કરે છે? વાર્તાલાપના આ ભાવોને ડાળી પર બેઠેલી કોયલો પણ વ્યક્ત કરતી હોય તેમ લાગે છે.
કૃષ્ણ ગોપીઓ વચ્ચે ઘેરાયેલા છે ત્યારે રાધા તેની સખીને કહે છે કે જોને કૃષ્ણ હજી મને મળવા કેમ આવતા નથી. શૃંગારના મિલનની તડપના આ ભાવોની અભિવ્યક્તિમાં પ્રકૃતિ ચિત્રણની સાથે ડાળ પર બેઠેલી છૂટી છૂટી કોયલો જાણે સૂર પુરાવી રહી હોય તેમ લાગે છે.
બીજા એક ચિત્રમાં કૃષ્ણ રાધાના વાળ ઓળતા દેખાડ્યા છે અને કોયલ ગૂંજતી બતાવી છે.
કૃષ્ણ ગોપીઓ સાથે ઘેરાયેલા હતા અને પછી જયારે રાધા પાસે ગયા ત્યારે રાધા ગુસ્સામાં છે અને કૃષ્ણનો છેડો પકડે છે. પ્રેમના આ રૂપને વ્યક્ત કરવા ચિત્રકારે ડાળીઓ પર કોયલો બેસાડી છે.
કૃષ્ણ અને રાધાનું મિલન ડાળીઓ પર બેઠેલી કોયલો જાણે ગાઈને સમગ્ર પ્રકૃતિને જણાવી રહી હોય તેમ લાગે છે.
વસંતઋતુ ખીલી છે. કૃષ્ણ રાધાની રાહ જોતા ઊભા છે. રાધાને કૃષ્ણ સુધી જવામાં શરમ આવી રહી છે ત્યારે એની સખી તેને કહે છે, પ્રિયતમને મળવામાં વળી શરમ શાની ? ડાળ પર બેઠેલી કોયલો મિલનનાં આ ભાવોને વ્યક્ત કરતી બેઠી છે.
વર્ષાઋતુમાં કોયલ વિરહનો સૂર પણ ગાય છે. તેની પ્રતીતિ પ્રિયતમની રાહ જોતી નાયિકાના આ ચિત્રમાં અનુભવી શકાય છે.
આવા જ ભાવો બીજા ચિત્રમાં પણ જોવા મળે છે.
પ્રકૃતિનું વસંતીરૂપ ખીલ્યું છે. કોયલોના સ્વરથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું છે ત્યારે પ્રિયતમા કાગડોળે પ્રિયતમની રાહ જોતી બતાવી છે.
વાદળાં ઘેરાયેલાં છે. કોયલ પણ બોલી બોલીને થાકી છે અને હું પણ રાહ જોઈને થાકી છે. આવા સમયે સખીઓ નાયિકાને સાંત્વના આપી રહી છે, પણ તેનાં દુ:ખમાં કોઈ ફેર પડતો નથી. બીજા દૃશ્યમાં નાયક પણ તેના વિરહમાં છે. આ વાતને કવિ કેશવ આ રીતે મૂકે છે.
"कैसे हु न माने हो बुलाई हारी केशोराय
बोलि हारी कोकिला, बुलाई हारी चातकी.'' આમ, સંગીતકાર અને ચિત્રકાર પોતાનાં માધ્યમો વડે ભાવોને વ્યક્ત કરે છે. સંગીત અને ચિત્રકલાને ઊંડો સંબંધ છે, તેથી શાસ્ત્રકારોએ સ્વરોનો રંગ, રસ, ઋતુઓ વર્ણવ્યા છે. સંગીતના વિવિધ પહેલ મનમાં ચિત્ર ઊભાં કરે છે જેને ચિત્રકાર ચિત્રોમાં ઢાળે છે ત્યારે આ કલાઓ પરસ્પર જાડાઈ જાય છે. આપણે કાંગડા શૈલીનાં ચિત્રોમાં વર્ષા અને વસંતઋતુ તેમજ પ્રેમ, મિલન અને વિરહનાં ભાવોમાં કોયલનું આલેખન આજ સંદર્ભે જોયું. પંચમસ્વરની ગાયિકા કોયલનું કાંગડા ચિત્રશૈલીમાં આલેખન
127
For Private and Personal Use Only