Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન આ બુકમાંનાં પ્રશ્નોના ઉત્તરદાતા મહાપુમાં ૭૧ પ્રશ્નોના ઉત્તરદાતા પૂજ્યપાદ્દ પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આચાર્યશ્રીમદ્ વિજયવલ્લભસૂરિ મહારાજ છે. ૧૯ર પ્રશ્નોના ઉત્તરદાતા સ્વ. મુરબ્બી શ્રી કુંવરજીભાઈ આણંદજી છે. અને ૧૬ પ્રશ્નોના ઉત્તરદાતા ઉપાધ્યાયજી શ્રી ધર્મવિજયજી મહારાજ છે. કુલ ૨૭૯ પ્રશ્નોત્તરને આ બુમાં સંગ્રહ કરવામાં આવેલ છે. શાનું અથન, શ્રવણ, વાંચન અને મનનના અભાવ પ્રશ્નકાર તરીકેની મારી અલ્પાતા છે. અને શાસ્ત્રોના જ્ઞાતા, અભ્યાસી એવા ઉત્તરદાતા મહાપુ વિગેવત્ર છે અથવા જ્ઞાની છે. આ પ્રમાણે પ્રક્ષકાર અને ઉત્તરદાતાની સરખામણીમાં ઉત્તરદાતાને દર ઘણો ઉચ્ચ કોટીને છે, એમ હું માનું છું. અપાપણાને લઇને વાંચન, શ્રવા અને વિચારણાના અંગે સામાન્ય જેવી બાબતમાં પણ શંકાઓ ઉપસ્થિત થાય એ સંભવિત છે. આમાં કેટલીક વાર એમ પણ બને છે કે અમુક શંકાઓનું નિવારણ ગીતાર્થ પુરથી ન કરવામાં આવે તો તે અંતઃકરણને શલ્યરૂપ થતાં મહાઅનર્થકારી નિવડે છે. આથી ઉપસ્થિત થએલી શંકાઓનું નિવારણ તથા– પ્રકારના જાણકાર એવા સુજ્ઞ શ્રાવક અથવા મુનિ કે આચાર્યદ્વારા કરીને અંત:કરણને નિઃશંક બનાવી આત્મસંતોષ મેળવે એ ખાસ જરૂર છે. શંકાનું સાચું સમાધાન એ કેટલીક્વાર ઉચ્ચકોટીના જીવન પર પરામાં અનેક લાભનું કારણ બની પ્રાતિ પરમપદની પ્રાપ્તિ માટે અમેઘ સાધન (ગૌતમ આદિ ગણધર મહારાજેના દદાતિ) થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94