Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ૧૦ પ્રાકૃતભાષાની આ વિષય(કથ્થરતા અને કેમલતા)માં છે, તેટલું અંતર આ ( બંને રચના ) માં છે. ” વજ જાલગ નામના પ્રાકૃત સુભાષિત સંગ્રહમાં એક કવિએ ઉચ્ચાયું છે કે “ પ્રાકૃત કાવ્યના ઉલ્લાપમાં ઉચ્ચાર-પ્રસંગે) જે મનુષ્ય પ્રતિવચન( પ્રત્યુત્તર ) સંસ્કૃતવડે આપે છે, તે અબુધ(મૂખ) કુસુમના સસ્તરને-કમળ ફૂલેની શય્યાને–સેજને પત્થરવડે વિનષ્ટ કરે છે-છુંદે છે. ” એ જ ગ્રંથમાં પ્રાકૃતિકાવ્ય સંબંધમાં ઉલ્લેખ મળે છે કે દેશી(ગૂઢ અર્થવાળા) શબ્દોથી રહિત, પ્રાકૃતકાવ્યમાં મધુર અક્ષરે અને મધુર છે માં રહેલું, લાલિત્ય વિગેરે લલિત, સ્કુટ, વિકટ( વિસ્તૃત ) અને સદ્દગુણે પ્રકટ અર્થવાળું પ્રાકૃતિકાવ્ય અવશ્ય ભણવું જોઈએ.” “ લલિત, મધુર અક્ષરેવાળું, યુવતિજનેનું વલ્લભ (વહાલું), શૃંગારવાળું પ્રાકૃતિકાવ્ય હોવા છતાં સંસ્કૃત ભણવા કેણ ચાહે ?” १ “ परुसो सकप्रबंधो पाउप्रबंधो वि होइ सुउमारो । पुरिसाणं महिलाणं जेत्तियमिहंतरं तेत्तियमिमाणं ॥ –યાયાવરીય કવિરાજશેખરના કપૂરમંજરીસદક્યાં. २ " पाइयकव्वुल्लावे पडिवयणं सक्कएण जो देइ । सो कुसुमसत्थरं पत्थरेण अबुहो विणासेइ ॥" –વજ્જા લગ્ન (પ્રાકૃતસુભાષિત સંગ્રહ)માં.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46