________________
૧૦
પ્રાકૃતભાષાની આ વિષય(કથ્થરતા અને કેમલતા)માં છે, તેટલું અંતર આ ( બંને રચના ) માં છે. ”
વજ જાલગ નામના પ્રાકૃત સુભાષિત સંગ્રહમાં એક કવિએ ઉચ્ચાયું છે કે
“ પ્રાકૃત કાવ્યના ઉલ્લાપમાં ઉચ્ચાર-પ્રસંગે) જે મનુષ્ય પ્રતિવચન( પ્રત્યુત્તર ) સંસ્કૃતવડે આપે છે, તે અબુધ(મૂખ) કુસુમના સસ્તરને-કમળ ફૂલેની શય્યાને–સેજને પત્થરવડે વિનષ્ટ કરે છે-છુંદે છે. ” એ જ ગ્રંથમાં પ્રાકૃતિકાવ્ય સંબંધમાં ઉલ્લેખ મળે છે કે
દેશી(ગૂઢ અર્થવાળા) શબ્દોથી રહિત, પ્રાકૃતકાવ્યમાં મધુર અક્ષરે અને મધુર છે માં રહેલું, લાલિત્ય વિગેરે લલિત, સ્કુટ, વિકટ( વિસ્તૃત ) અને સદ્દગુણે પ્રકટ અર્થવાળું પ્રાકૃતિકાવ્ય અવશ્ય ભણવું
જોઈએ.” “ લલિત, મધુર અક્ષરેવાળું, યુવતિજનેનું વલ્લભ (વહાલું), શૃંગારવાળું પ્રાકૃતિકાવ્ય હોવા છતાં સંસ્કૃત ભણવા કેણ ચાહે ?”
१ “ परुसो सकप्रबंधो पाउप्रबंधो वि होइ सुउमारो । पुरिसाणं महिलाणं जेत्तियमिहंतरं तेत्तियमिमाणं ॥
–યાયાવરીય કવિરાજશેખરના કપૂરમંજરીસદક્યાં. २ " पाइयकव्वुल्लावे पडिवयणं सक्कएण जो देइ । सो कुसुमसत्थरं पत्थरेण अबुहो विणासेइ ॥"
–વજ્જા લગ્ન (પ્રાકૃતસુભાષિત સંગ્રહ)માં.