________________
ઉપયોગિતા.
૩
s
છે કે પ્રાકૃત વચન સુંદરીઓની જીભમાં અમેદ પામે છેશેભે છે. ” નાટકમાં તે સ્ત્રી પાત્રોનું વચન પ્રાયઃ પ્રાકૃત હાય છે, એ ધનંજય કવિના દશરૂપકમાં “gr તુ પ્રાપ્તિ થાય' ઉલ્લેખદ્વારા અને નાટક-રૂપકેમાં મળતા પાઠદ્વારા જીણું શકાય છે. “ બાલ-બાલાઓને પણ સબધ કરનારી પ્રાકૃતભાષા છે ” એવું સિદ્ધષિનું વચન અને બાલ-બાલાઓ વિગેરે સર્વને વિશેષ બેધ થાય તેવી ભાષા( પ્રાકૃત) બેલવા પ્રેરતું મહેશ્વરસૂરિનું વચન અહિં ફરીથી આપણે યાદ કરવું જોઈએ. એથી બાલવર્ગ, સ્ત્રીવર્ગ વિગેરેના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞાએ પ્રાકૃતમાં કરેલી સિદ્ધાંતની ચેજના કેટલી સંગત, વિવેકપૂર્વક અને પરોપકારક છે-એ વિચારવાથી સમજાશે.
વિશેષમાં ભૂષણભટ્ટના પુત્ર કુતૂહલે સિંહલદ્વીપની સુંદરી રાજકુમારી લીલાવતી અને પ્રતિષ્ઠાન( પૈઠણ, દક્ષિણ )ના પૂર્વેત કવિવત્સલ શાલિવાહનના પરિણય-પ્રસંગને ઉદ્દેશી પ્રાકૃતકથા રચી છે, તેની પીઠિકામાં કવિએ ઉપર્યુક્ત કથનને પુષ્ટ કરતે પ્રિયતમ અને પ્રિયતમાને એક સંવાદ મૂકે છે. તેમાં પ્રિયતમા કહે છે કે – “હે પ્રિયતમ! આ રજની અતિરમણીય છે, શરદ્ ઋતુ પણ મનહર છે અને તમે પણ સ્વાધીન છે, તે અનુકૂળ પરિજનવાળી એવી મહને નથી એવું કંઈ નથી; તેથી પ્રદેષ( રાત્રિના પ્રારંભભાગ )માં વિનેદ માત્રથી સુખ આપનારી, મનહર ઉલાપવાળી, મહિલાજનેને મને લાગે તેવી સરસ કઈક અપૂર્વ કથા કહે. ” મુગ્ધમુખકમલવાળી તે પ્રિયતમાના વચનને સાંભળીને તેણે કહ્યું કેહે કુવલયદાક્ષિ! કવિઓએ દિવ્ય ૧, દિવ્યમાનુષી ૨ અને માનુષી ૩ એમ ત્રણ પ્રકારની કથાઓ કહી છે. તેમાં પણ પૂર્વકવિઓએ કાંઈક લક્ષણ કર્યું છે. વળી સારા વર્ણોથી રચા