________________
ઉપયોગિતા.
૩૩
સંસ્કૃત ભાષાના પ્રાચીન અલંકારશાસ્ત્રના વન્યાલક, વ્ય
ક્તિવિવેક, વક્રોક્તિજીવિત, કાવ્યપ્રકાશ, અલંકારશાસ્ત્રમાં સરસ્વતીકંઠાભરણુ વિગેરે ગ્રંથોમાં અલંપ્રાકૃતને સ્થાન. કારનાં ઉદાહરણે તરીકે સંસ્કૃત કોની
જેમ પ્રાકૃત ગાથાઓને પણ બહુ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યું છે–એ રીતે અલંકારશાસ્ત્રીઓએ પ્રાકૃતભાષાની ઉપયોગિતા પીછાણુ હતી. પરંવાર જેવા અલંકાસ્ના સ્વતંત્ર પ્રાકૃત ગ્રંથે પણ જેસલમેર જેવા સ્થળોના પ્રાચીન ભંડારોમાં જણાય છે. સંસ્કૃત નાટકોમાં સ્ત્રીઓ, વિદૂષકે અને બીજાં કેટલાંક
પાત્રોની ભાષા બહુધા પ્રાકૃત રાખવામાં આવે નાટયશાસ્ત્રમાં છે. એ આપણને સૂચવે છે કે-સંસ્કૃત પ્રાકૃતને સ્થાન. બેલનાર વર્ગ અમુક જ હોઈ શકે.
સ્ત્રીઓ અને ઇતર પ્રાકૃતવર્ગ-સાધારણ જનસમુદાય પ્રાકૃતભાષામાં જ સારી રીતે ઉચ્ચારણ કરી શકે. સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે ભાષાની વ્યવસ્થા ન રાખવામાં આવે, તે કૃત્રિમતા આવી જાય અને ઉચિત રસપષણ ન થઇ શકેએવા હેતુથી ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં [ મિ. સા. મુંબઈથી પ્રકાશિતના ૧૭ માં અને કાશી સં. સિરીઝદ્વારા પ્રકાશિતના ૧૮મા અધ્યાયમાં ] અનેક પાત્રની ભાષામાં પ્રાકૃતપ્રયાગની સૂચના કરી છે, તથા ચેટ, રાજપુત્ર અને શેઠીઆઓની ભાષા અર્ધમાગધી(પ્રાકૃત) જણાવી છે. તેમ જ માલવપતિ મહારાજા
१ " एषामेव तु सर्वेषां नायकानां प्रयोगतः । ___कारणब्यपदेशेन प्राकृतं सम्प्रयोजयेत् ।।