Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ પ્રાકૃતભાષાની રાજેન્દ્રસૂરિના મહાપ્રયત્નથી મહાભારત જે અભિધાન રાજેન્દ્ર નામને મહાકેશ, બ્રહલ્કાયદળદાર સાત ભાગોમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં જૈન આગમ, પ્રકરણે વિગેરેના લાંબા પાઠ ઉતારવામાં આવ્યા છે, પરંતુ એ કરતાં વિશેષ ઉપયેગી થઈ શકે તે આકર્ષક વિશિષ્ટ સંકલનાથી તૈયાર થયેલે, લગભગ ૭૫૦૦૦ શબ્દને સંગ્રહ ધરાવતે ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત હરવિંદદાસજીને પાસમUવો (પ્રાકૃત શબ્દમહાર્ણવ) પ્રાકૃત-હિંદી કેશ, પ્રાકૃત ભાષાના અભ્યાસીઓને માટે અત્યપગી છે. શતાવધાની પંડિત મુનિ રત્નચંદ્રજીને અર્ધમાગધી કેષ, અનેક ભાષામાં પ્રકટ થઈ રહ્યો છે તે, અને જૈનાગમશબ્દસંગ્રહ ઉપગી નીવડવા સંભવ છે. સંસ્કૃત ભાષામાં જેમ લેક(અનુષ્યપુ)ની તેમ પ્રાકૃતભાષામાં ગાથાની વિશેષ પ્રસિદ્ધિ છે. જેના સિદ્ધાંતપ્રાકૃત છંદઃ શાસ સૂત્રમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વિગેરેને કેટલોક ભાગ અને ઉત્તરાધ્યયન વિગેરેની રચના પ્રાયઃ પદ્યબદ્ધ છે. અજિતશાંતિસ્તવ જેવા પ્રાચીન તેત્રમાં વિવિધ ઈદે વપરાયેલા છે. એ છ દેના જ્ઞાન માટે ગાથાલક્ષણ, નંદિતાત્ય, અંબૂછંદ, પ્રાકૃત પિંગલ વિગેરે સ્વતંત્ર ગ્રંથે રચાયેલા મળી આવે છે. વિરહાક કવિની પ્રાકૃત છવિચિતિ, કે જે કઇસિ વિત્તજાઈસમુચ્ચય એવા નામથી ઓળખાય છે, જેની વિ. સં. ૧૧૯૨માં લખાયેલી જૂની તાડપત્રથી જેસલમેરના કિલ્લાના બડાભંડારમાં હોવાનું અહે જેસલમેર ભાં. સૂચીમાં જણાવ્યું હતું, તે પ્રાચીન ગ્રંથ તે પછી પ્રકાશિત થઈ ગયેલ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના છંદેનુશાસનમાં પણ પ્રાકૃતછ દે માટે ખાસ અધ્યાય છે. તે સિવાય સંસ્કૃત છન્દઃ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46