________________
એ કેમ ચાલે ? ચિંતન કરતાં આવડવું જ જોઇએ. એ માટે ભણવાનું પણ જરૂરી છે. સૂત્રો વગેરેનો અભ્યાસ કર્યા પછી જગતના એક પદાર્થનું ચિંતન કરતાં જો આવડી જાય તો તો તે આત્મસાત થઇને આત્મકલ્યાણ પેદા કર્યા વગર રહે નહિ. સુત્ર અને અર્થ તથા તદુભય મતિજ્ઞાન ભણ્યા વગર પેદા થાય ? બોલી શકાય એવા પદાર્થોનું જ શ્રુતજ્ઞાન થાય છે. જે બોલી શકાતા નથી તે અનભિલાપ્ય પદાર્થો કહેવાય છે.
જગતમાં અનભિલાય પદાર્થો જેટલા રહેલા છે તેના અનંતમાં ભાગ જેટલા જ પદાર્થો અભિલાયા રૂપે હોય છે. આનો અર્થ એ છે કે અભિલાપ્ય પદાર્થો જગતમાં જેટલા હોય છે તેનાથી અનંતગુણા અધિક પદાર્થો અનભિલાય રૂપે રહેલા હોય છે.
અભિલાપ્ય પદાર્થો જગતમાં જેટલા રહેલા હોય છે તેના અનંતમા ભાગ જેટલા પદાર્થોને જ ગણધર ભગવંતો સૂત્રોમાં ગુંથી શકે છે. અર્થાત સૂત્રરૂપે બનાવી શકે છે. તેનાથી અધિક ગુંથવાની શક્તિ ગણધર ભગવંતોમાં પણ હોતી નથી.
ચૌદપૂર્વમાં પણ અનંતમો ભાગ જ આવે તો એની અપેક્ષાએ આજે આપણી પાસે કેટલું શ્રત ? બિંદુ જેટલું જ થયું ને ? તો પછી શેનો ગર્વ રાખીને વાનું? જ્ઞાની ભગવંતો જે ભણી ગયા એની અપેક્ષાએ તો કાંઇ જ નથી ને ? તો તેનું દુ:ખ કરવાને બદલે ગર્વ કરીશું તો આપણું શું થશે ? ચાદપૂર્વના બિંદુ જેટલા શ્રુતજ્ઞાનનું આપણે ચિંતન મનન કરીએ તો મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ સારામાં સારો થઇ શકે છે. અભિલાપ્ય અને અનભિલાય પદાર્થોનું ચિંતન અને અનુપ્રેક્ષા બરાબર કરવાની શરૂઆત કરીએ તો તેનામાં અત્યારે પણ એટલી શક્તિ છે કે અહીં બેઠા બેઠા મુંબઇમાં ક્યાં શું થઇ રહ્યું છે એ જાણી શકાય છે. એ તાકાત મતિજ્ઞાનની હોઇ શકે છે તેના માટે અવધિજ્ઞાનની જરૂર નથી. જ્ઞાન માટેનો આપણી પાસે ટાઇમ કેટલો ? અડધોકલાક દર્શન-પૂજન માટે અડતાલીશ મિનિટ સામાયિક માટે એ સિવાય જ્ઞાન માટે સમય કેટલો છે ? આવું જ્ઞાન બેઠે બેઠે થઇ શકે એને માટે ટાઇમ છે કે નથી ? મક્તમાં મલે છે તો પણ ?
નવલાખ નવકાર ગણતાં શું અનુભવ થયો ? જ્ઞાનીઓ કહે છે એક નવકાર શાંત ચિત્તે ગણે તો પણ અનુભૂતિ થઇ શકે છે ! જે ભણ્યા જ ન હોય તે ચિંતન શું કરવાના ? આપણા બધા સૂત્રો દેવતાધિષ્ઠિત છે. ગણધર ભગવંતો આદિ એ ગુંથેલા છે માટે એકવાર અર્થ વગર પણ ભણીને ચિંતન કરવામાં આવે તો તે કલ્યાણ તો કરે જ અર્થ વગરના સૂત્રોમાં એટલી તાકાત છે કે એનું ચિંતન કરતા કરતાં પણ અનંતા. જીવો મોક્ષે ગયા છે. શબ્દની પણ એટલી તાકાત છે કે કર્મનો સંપૂર્ણ ક્ષય કરાવી શકે !
મારૂષ માતષ મુનિએ આ બે શબ્દો બાર વરસ સુધી ગોખ્યા બાર વરસ સુધી એ ભણવામાં, યાદ રાખવા માટે સળંગ આયંબિલ કર્યા પણ એ બે શબ્દો યાદ ન રહ્યા પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શક્યા.
- આચારાંગ સૂત્ર અઢાર હજાર પદવાળું કહેલું છે. એકએક પદ, એક કરોડ કરતાં અધિક શ્લોકો એટલે ગાથાવાળું હોય છે. એનાથી ડબલ સૂત્રોની ગાથાવાળું સુયગડાંગ સૂત્ર છે. તેનાથી ડબલ પદોવાળું ઠાણાંગ સૂત્ર છે એમ ડબલ ડબલ કરતાં દ્રષ્ટિવાદ સૂત્ર બારમું આવે છે તેમાં ચોદપૂર્વોનું જ્ઞાન આવેલું છે. તેની અપેક્ષાએ આજે આપણું જ્ઞાન કેટલું ?
આજે પીસ્તાલીશ આગમોના સૂત્રોના મૂલ શ્લોકો ભેગા કરીએ તો લગભગ એંશી હજાર જેવા થાય છે. એથી અધિક નહિ છતાં પણ આપણા શ્રુતજ્ઞાનનાં સૂત્રોમાં એટલી શક્તિ રહેલી છે કે એ શબ્દોની અને અર્થોની વિચારણા કરતાં કરતાં મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ થઇ શકે છે અને સ્થિર પણ થાય છે.
સો વર્ષ પહેલા આત્મારામજી મહારાજ એક કલાકમાં અથવા એક દિવસમાં ત્રણસો ગાથાઓ કરતાં હતા ગોખતાં હતા અને સારી રીતે યાદ રાખી શક્તા હતા. એ અપેક્ષાએ આપણો ક્ષયોપશમ ભાવ સો
Page 10 of 126