Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ Sી કલ્યાણરાય છે કે કહેતા હતા સૌરાષ્ટ્રની રાજકીય તવારીખમાં શ્રી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષીનું નામ ઘણું મોટું અને ઊંચું. ઈસુની વીસમી સદીના આરંભકાળના એ સમર્થ રાજપુરુષ. ભારે દૂરંદેશી અને એટલા જ ખુશમિજાજી. કેટલીય ખુશમિજાજી કથાઓ એમના નામ સાથે સંકળાયેલી છે. કલ્યાણરાયભાઈના નામ સાથે જોડાયેલી આવી એક આ કથા છે. એમ કહેવાય છે કે શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ જૂનાગઢની દીવાનગીરી છોડી ત્યારે એ જગ્યા કલ્યાણરાયભાઈને આપવાનો નવાબસાહેબે મનસૂબો કર્યો. જવાબમાં કલ્યાણરાયભાઈએ કહ્યું, “હજૂર ! મને માફ કરો. મારી પાસે કોઈ ફરિયાદ આવે અને હું એનાં આંસુ લૂછી ન શકું તો મારી દીવાનગીરી સાવ નકામી ગણાય એમ હું માનું છું.” પણ તમતમારે આંસુ લૂછજો ને ! કોણ ના પાડે છે?” “હજૂર ! એ તો ઠીક, પણ મને એક વાત યાદ આવે છે.” મોતીની માળા @ ૩૬

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81