________________
અરે, આટલો બધો શોર શાનો? આ સ્મશાન છે, કોઈ મિજબાનીની જગ્યા નથી. ચાલ્યા જાવ તમે બધા અહીંથી. કોઈ બાગ-બગીચો શોધી લો.”
ગામના એક વૃદ્ધજને અઘોરી-જોગી પાસે આવીને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કર્યા. પછી બે હાથ જોડીને કહ્યું, “જોગીરાજ , અમને ક્ષમા કરો. આ ગામમાં રહેતા એક સાત્ત્વિક અને ધર્મનિષ્ઠ માનવીનો એકનો એક જુવાનજોધ દીકરો ગુજરી ગયો છે. એની સ્મશાનયાત્રા છે આ તો.”
જોગીરાજે જરા તપીને કહ્યું, “અરે ભાઈ, મરી ગયો તો મરી ગયો. એમાં આટલું બધું શું ? આટલા શોરબકોરની શી જરૂર ? ચાર જણા આવીને કામ પતાવી દો. આમાં અમારી સમાધિમાં ભંગ શા માટે પાડો છો.”
અરે જોગીરાજ ! આખા ગામમાં ગમગીનીનો પાર નથી. એટલે તો સહુ સાથ દેવા આવ્યા છે. જુવાન છોકરો, એય વળી એકનો એક. માણસ ઘણો નિષ્પાપ. ગુરુ મહારાજ ! ભારે ગજબ થયો છે.”
અરે ભાઈ, મરણથી ડરવાનું શું? તમારે જે કરવું હોય તે કરો. જીવતો કરવો હોય તો જીવતો કરો, પણ મારી ઝૂંપડી પાસેથી ચાલ્યા જાવ.”
અરે મહારાજ ! મરેલા તે કોઈ દિવસ જીવતા થતા જાણ્યા છે ?”
જોગી મહારાજ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, “તમને સંસારીઓને યોગશક્તિની ક્યાંથી ખબર હોય ! કોઈ સંજીવની મંત્રના જાણકારને બોલાવો. અબી ને અબી છોકરો જીવતો થઈ જશે.”
“મહારાજ ! આપને એવા મંત્ર આવડે છે ?”
“કેમ નહીં ? જીવવું અને મરવું એ તો જાગવા અને ઊંઘવા જેવી સામાન્ય બાબત છે.”
આ સાંભળીને ગ્રામજનો બોલી ઊઠ્યા, “અરે મહારાજ, તો તો આખું ગામ આપને દુઆ આપશે, આ જુવાનને જીવતો કરી દેશો તો.”
“અરે, અમને એવી ફુરસદ નથી.” આટલું બોલીને જોગી મહારાજ ઝૂંપડીમાં ચાલ્યા ગયા. પણ પેલા માણસોને ભારે ચટપટી થઈ. સ્મશાનના
મોતીની માળા @ ૭૮