________________
( ૧૧૪)
હતું પણ તેના તરફ જતિએ ધ્યાન આપ્યું નહીં. તેણે જોયું તા તેમાંથી અંદર પેસાય એમ હતુ. મહામુરકેલીએ, આખા શરીરને મહાકષ્ટ થયું તેાયે, ગધાતા પાણીથી ગુંગળાતા તે બકારામાં થઈ તે અંદર આવ્યો, અને ખાળ કુંડીમાં ઉભા થયા, અને મ્હાડા · ઉપરના ગંદવાડા સાફ કર્યાં. પાસે એક કુવા હતા અને તેના થાળામાં કાંઇ પાણી હતું, તેના વતી તેણે હાથ મ્હાં ધાયાં. અને માહાલયમાં ફરવા માંડયું. ત્યાં બધુ સ્મશાન સમું શાંત હતું જાણ થાડીક વારે ઉપર ક્રાય હસ્યું, એવા ભાસ થયા. તે હાસ્યે જતિનુ ઝનુન વધારે પ્રદ્દીપ્ત કર્યું" ઉપર જઇ લઢવામાં કાંઈ સાર દેખાયો નહિ, અહીં કેટલાં માણસ છે, તે જાણ્યા વિના પેાતાનાં માણસે અંદર પેસાડવાં, એતા મૃત્યુના મ્હોંમાં જવા જેવું હતું. દરેક પળે વલ્લભસેન પાસે આવતા હતા. જે કરવુ હાય તે કરવાને ગણત્રીની પળેાજ હતી. તેણે ઝપાટાભેર આમ તેમ જોવા માંડયું, કઈ રીતે મડલેશ્વરના સંહાર કરવા એનેાજ વિચાર તેણે કરવા માંડયા, એટલામાં દૂરથી ધોડાના પગલાંના ભણકારા વાગ્યા, કાન દઈ સાંભળતાં વલ્લભસેન પાસે આવી લાગ્યા હાય એમ તેરે લાગ્યું. શું કરવું? શું કરવું?, તેણે આસ પાસ જોયું. સામી રૂદ્રમહાલયની ગૈાશાળા જોઇ. પાસે મહાલયના મકાનની સાથે સીંચેલી ધાસની ઉંચી ગજી જોઇ. એક રાક્ષસી વિચાર તેને સૂજ્યો. તે આમ તેમ દોડયા, તેવું ચાલત તે અગ્નિ દેવતાનુ આવાહન કરવા તે ત્યાં બેસી જાત. એક એસરી પર એક રબારી હુકા મૂકી ધી ગયા હતા. તેની ચલમની ગંધ જતિને આવી. તે તે તરફ દોડયો. લોભીયા ધન લે તેવી તરાપ મારી તેણે ચલમ ઝાલી, અને તેને કતા તે આગળ આગ્યે.