Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 182
________________ ઉપશમશ્રેણિથી પડતા જીવને અપૂર્વકરણથી પ્રારંભી સમજાળવી રાખે (૧૩૨ સાગરો.) ત્યાં સુધી હોવી જોઇએ તેમજ મિથ્યાત્વે પણ ઘાત ન કરે ત્યાં સુધી હોવી જોઇએ અને શેષ શુભપ્રકૃતિઓની તે લપકને અપૂર્વકરણે ચરમબંધ થયા બાદ બંધાવલિકા વીત્યે હોવી જોઈએ. ઉક્ત ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટઅનુભાગબંધ પક ચરમબંધ કરે છે. પણ ત્યારબાદ ચારેય એની દેશોપશમના થતી નથી. લપકજીવને અનિવૃત્તિકરણ પૂર્વે દેશોપશમનાનો વિષય બને એવો આ ત્રણનો જે રસ બંધાય છે એના કરતાં સૂ.સંપાયના ચરમસમયે ઉપશામકને અનંતગુણ રસ બંધાય છે. તેથી એ જીવ પડતી વખતે જ્યારે અપૂર્વકરણે આવે છે ત્યારે એ રસની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમના થાય છે. દેવદ્રિક વગેરે અન્ય શુભપ્રકૃતિઓનો અનિવૃત્તિકરણે તો બંધ હોતો નથી. એટલે અપૂર્વકરણે બંધવિચ્છેદ સમયે જે રસ બંધાય તેની બંધાવલિકા બાદ અપૂર્વકરણે જ દેશોપશમના થાય છે. બંધવિચ્છેદ સમયે ઉપશામક કરતાં લપકને અનંતગુણ રસ બંધાતો હોવાથી આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટઅનુભાગ દેશોપશમના ક્ષેપકને મળે છે. ૧૬૭ પશમનાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210