Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ . . ن. ت .ن. એટલે મુનિરાજે સમજાવ્યું, “ભાઈ, પ્રતિજ્ઞા લઈને જીવ જતાં સુધી પાળવી જોઈએ. ગમે તેમ થાય, પણ એ તૂટે નહીં, તો જ પ્રતિજ્ઞા લીધી કહેવાય. કાનો કહે, એટલું તો હું જરૂર કરીશ. ગમે તેમ થશે, પણ નિયમ નહીં તોડું. મુનિરાજને ખાતરી થઈ કે એનું મન મક્કમ છે એટલે તેને પ્રતિજ્ઞા કરાવી. પછી તે બીજે ચાલ્યા ગયા. આકાશમાં ઘનઘોર વાદળાં. સખત વરસાદ ને ગાજવીજ સાથે સતત ત્રણ દિવસ મુશળધાર વરસાદ થયો. કાનો ટાઢે થરથરતો ઝૂંપડીમાં બેઠો છે. ટાઢ ઉડાવવા લાકડાં સળગાવે છે, પણ શી રીતે સળગે ? કાણી ઝૂંપડીમાં ઉપરથી પાણી ટપકે. બાજુમાંથી પવનના સુસવાટા બોલે ! ' અરે બાપ પવનદેવ ! તમને પણ આ શું મેહરાજાએ અન્ન વગર રાખ્યો, અને તમે આ ઝૂંપડી વગર રાખશો કે શું? – કાનાનું અનુમાન સાચું પડ્યું. પવનથી તેનું છાપરું ડોલવા માંડ્યું. વહાણું વાતા પવનનો એવો ઝપાટો આવ્યો કે તેની ઝૂંપડી ભોંયભેગી થઈ. કાનો ઘરબાર વગરનો થયો. બપોરના જાણે કાનાની દયા આવી હોય તેમ વરસાદ બંધ થયો એટલે કાનાએ ખભે નાખ્યો કુહાડો ને ચાલ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36