Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫ જોશ જોયા. જોશી કહે, સાચું કહેવા દે. કહ્યા વિના નહિ ચાલે. તે બોલ્યા : ‘મહારાજ ! ચિત્રશાળાનો દરવાજો બત્રીસલક્ષણો બાળ માગે છે. તેનો ભોગ આપો તો ચિત્રશાળાનો દરવાજો ટકે. નહીંતર હરિ ! હરિ !!’ ૧૪ આ સાંભળી સહુ ઠરી ગયા. કોઈ ન હાલે કે ન ચાલે. ચારે કોર સૂનકાર. રાજા કહે, નગ૨માં ઢંઢેરો પિટાવો. જે કોઈ બત્રીસલક્ષણો બાળ આપશે તેને બાળકની ભારોભાર સોનામહોરો આપીશ. નગરમાં ઢંઢેરો પિટાયો. આ જ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ છે. બિચારાને નથી એક ટંકનું ખાવા કે નથી ઓઢવા-પહેરવા. સવારે મળ્યું તો સાંજે ન મળે ને સાંજે મળ્યું તો સવા૨ે ન મળે. જ્યારે માણસની વેળા બદલાય ત્યારે કાંઈ બાકી રહે છે ? બિચારો આખો દિવસ ભિક્ષા માગીને જેમ-તેમ પેટ ભરે છે. એને સ્ત્રી પણ કભારજા મળી છે. આખો દિવસ મહેનતમજૂરી કરીને ઘેર આવે ત્યારે ગાળોનો વરસાદ વરસાવે. ‘હે દરિદ્રી ! બેસી શું રહે છે ? જણ્યાંને જિવાડવાં તો ખરાં ને ! આ ચાર દીકરા ને એક દીકરી. પેટનાં જીવડાં કાંઈ મારી નખાય છે ? એમને મારે શું ખવરાવવું ?” બ્રાહ્મણ બિચારો નીચું મોઢું કરીને બધું સાંભળી લે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36