Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ સત્યનો જય કરિયાણાં ને ધન મને આપવાનું કબૂલ થાય છે? સાગરે કહ્યું: “હા. પણ મારું કહેવું સાચું પડે તો તારે બધાં કરિયાણાં આપી દેવાનાં. છે કબૂલ ?” વિમળ શરત સ્વીકારી. પછી કમળશેઠને આ શરતના સાક્ષી રાખ્યા. કમળશેઠ કહે, “સાગર ! તું પણ એના જેવો કેમ થાય છે? તું તો ડાહ્યો છે. વિમળની દાનત તને ધૂતી ખાવાની છે.' આ સાંભળી વિમળ ચિડાઈને બોલ્યો : “પિતાજી ! તમે જ્યાં ત્યાં મને હલકો જ પાડો છો. શું આમ બોલવાથી મોટાઈ મળી જશે?” કમળશેઠ કહે, ‘વિચારીને કામ કરવું જોઈએ. તું તો નાનો છે એટલે છૂટી જા, પણ મારે તો એનું ફળ ભોગવવું પડે!” સાગર કહે, ‘કમળકાકા! જો તમારો પુત્ર મારે પગે આવીને પડે તો અમારી શરત ફોક.' એ સાંભળી વિમળ બોલ્યો, ‘તું મને પગે પડે તો આપણી શરત ફોક.' આમ કોઈ શરત મૂકવા તૈયાર ન થયું. તેઓ ગાડાની નજીક આવ્યા. ત્યાં જુએ છે તો પેલો માનવી જ ન દેખાયો. વિમળ આથી ખૂબ રાજી થયો. એટલામાં સાગરે વિનયથી સારથિને પૂછયું: ‘ગર્ભવતી સ્ત્રી ક્યાં છે?” સારથિએ કહ્યું કે તે નજીકના વનમાં પ્રસવ માટે ગઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36