________________
સત્યનો જય
કરવો. એથી આપણું ધન જરૂ૨ બચી જશે.'
કમળશેઠ કહે, ‘ગાંડો થયો વિમળ ! આ તો શું, દુનિયાની સઘળી મળેલી રિદ્ધિ ચાલી જાય તોય શું, હું કદાપિ અસત્ય નહિ જ બોલું. એક સત્ય વ્રતની કિંમત જગતની બધી વસ્તુઓ કરતાં મારે મન વધારે છે. માટે તારે એવી વાત કરવી જ નહિ.'
૨૭
વિમળ કહે, ‘પિતાજી ! પણ દરેક વસ્તુને અપવાદ હોય છે. જેનાથી આપણે સદાને માટે ભિખારી બની જતા હોઈએ કે પ્રાણ જાય તેવો સંભવ હોય તો શું અસત્ય ન બોલવું ?” પછી પ્રાયશ્ચિત્ત કરી ક્યાં શુદ્ધ થવાતું નથી ? સવાર-સાંજનું પડકમણું શા માટે છે ?”
કમળશેઠ કહે : ‘કદી નહિ. ખોટાં કામ કરવાની છૂટ લેવામાં અપવાદ હોય નહિ. પ્રાયશ્ચિત્ત તો તદ્દન અજાણમાં થયેલી ભૂલોનું જ હોય.’
વિમળને કમળશેઠનું ડહાપણ ગમ્યું નહિ. તે ખૂબ ચિડાયો ને ક્રોધમાં બોલી ઊઠ્યોઃ બેસ, બેસ, ડોસા ! તારી સાથે બુદ્ધિ નાઠી છે. નહીંતર આવા ગાંડા વિચાર કાઢે નહિ.’
પછી તે ઘ૨માંથી કેટલીક સુંદર વસ્તુઓની ભેટ લઈને રાજા આગળ ગયો ને ફરિયાદ કરી. મહારાજ ! મહામહેનતે મેળવેલું મારું ધન સાગરશેઠે મશ્કરી કરી પડાવી લીધું છે માટે મને ન્યાય આપો.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org