________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ - - - - - નહિ તે જોવાને થોભતી હશે, એમ ધાર્યું. રિસાયેલી સ્ત્રી સિવાય આવી વાત સામાન્ય રીતે સંભવે નહિ અને રિસાયેલી
સ્ત્રી પિયર જાય, એમ માની તે સ્ત્રી રિસાઈને પિયર જાય છે એમ કહ્યું - જો સ્ત્રી ખૂબ રિસાઈ હોય તો પિયર પણ ન જાય ને આપઘાત કરે, પણ આ તો પિયેર જાય છે માટે નક્કી ગર્ભવતી હશે. આગળ જતાં તે બાઈ મળત્યાગ કરવા બેઠેલી હતી, ત્યાંથી જમણા હાથનો ટેકો દઈને ઊભી થઈ હતી. એટલે પૂરા દિવસો જતા હશે એમ જાણ્યું. તે સ્ત્રીએ જરા આગળ આવી મોં ધોયું, ત્યાં લાલ પાણી પડેલું હતું. તેથી શરીરે કુમકુમ લગાડ્યું હશે તે જાણ્યું.'
વળી ત્યાં એક બકુલનું ફૂલ પડ્યું હતું તેથી તેની વેણીમાં બકુલનાં ફૂલ છે એમ ધાર્યું. આગળ રસ્તે જતાં બોરડીના વૃક્ષ આવતાં હતાં. ત્યાં બાઈની સાડીના તાંતણા ભરાઈ ગયેલા હતા. તેના રંગ પરથી જાણ્યું કે તેણે કસુંબી સાડી પહેરી છે ને તે નવીન રંગી છે.”
રાજા આવું અદ્ભુત નિરીક્ષણ જોઈ આશ્ચર્ય પામ્યો ને સાગરને કહ્યું કે તમારી આ વાતોમાં કોઈ સાક્ષી છે?
સાગર કહે, હા મહારાજા ! એ વિમળના પિતા કમળશેઠ સાક્ષી છે.'
રાજા કહે, “વાહ, એ તો આપણા નગરના સત્યવાદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org