________________
સત્યનો જય
શેઠ છે. તે કદી જૂઠું બોલે નહિ, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાત જણને સાક્ષી તરીકે ન રાખવાઃ સ્વજન, દુર્જન, વેષી, લોભી, ગાંડો, કૌતુકી ને ભયાનક. એ વિમળના પિતા છે ! પુત્રના પક્ષમાં સાખ પૂરે. માટે બીજો કોઈ સાક્ષી હોય તો કહો.'
સાગર કહે, “એ તો મહા ધર્માત્મા છે. એમના વચનમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ બોલશે તે મારે કબૂલ છે.' - રાજાએ કમળશેઠને તેડાવ્યા ને મીઠી વાણીથી પૂછયું : હે સત્યવાદી શેઠ ! તમે આ શરત વિશે શું જાણો છો ?
કમળશેઠે કહ્યું: “હું આ મુખે સાચું જ કહીશ. સત્ય વ્રતના પાલનમાં પેટના દીકરાનો પણ પક્ષપાત ન કરીશ.”
વિમળ તો એ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગયો. કમળશેઠ કહે, “સાગરની વાત સાચી છે.'
રાજા કહે, “શાબાશ શેઠ ! શાબાશ. તમારા જેવો સત્યવાદી મેં કોઈ જોયો નહિ. નથી તમને ધનનો લોભ કે નથી તમને પુત્રની પરવા. કેવળ સત્યની ખાતર જ તમે જીવતા હો એમ લાગે છે.”
એમ કહી નગરશેઠની પાઘડી તેમને બંધાવી. આ બાજુ વિમળને રાજાએ કહ્યું: “અરે જૂઠા ! ધિક્કાર છે તને. તારા જેવાની જીભ જરૂર છેદવી જોઈએ, પણ તું કમળશેઠનો પુત્ર છે એટલે તને જવા દઉં છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org