Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ સત્યનો જય શેઠ છે. તે કદી જૂઠું બોલે નહિ, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાત જણને સાક્ષી તરીકે ન રાખવાઃ સ્વજન, દુર્જન, વેષી, લોભી, ગાંડો, કૌતુકી ને ભયાનક. એ વિમળના પિતા છે ! પુત્રના પક્ષમાં સાખ પૂરે. માટે બીજો કોઈ સાક્ષી હોય તો કહો.' સાગર કહે, “એ તો મહા ધર્માત્મા છે. એમના વચનમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ બોલશે તે મારે કબૂલ છે.' - રાજાએ કમળશેઠને તેડાવ્યા ને મીઠી વાણીથી પૂછયું : હે સત્યવાદી શેઠ ! તમે આ શરત વિશે શું જાણો છો ? કમળશેઠે કહ્યું: “હું આ મુખે સાચું જ કહીશ. સત્ય વ્રતના પાલનમાં પેટના દીકરાનો પણ પક્ષપાત ન કરીશ.” વિમળ તો એ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગયો. કમળશેઠ કહે, “સાગરની વાત સાચી છે.' રાજા કહે, “શાબાશ શેઠ ! શાબાશ. તમારા જેવો સત્યવાદી મેં કોઈ જોયો નહિ. નથી તમને ધનનો લોભ કે નથી તમને પુત્રની પરવા. કેવળ સત્યની ખાતર જ તમે જીવતા હો એમ લાગે છે.” એમ કહી નગરશેઠની પાઘડી તેમને બંધાવી. આ બાજુ વિમળને રાજાએ કહ્યું: “અરે જૂઠા ! ધિક્કાર છે તને. તારા જેવાની જીભ જરૂર છેદવી જોઈએ, પણ તું કમળશેઠનો પુત્ર છે એટલે તને જવા દઉં છું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36