SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યનો જય શેઠ છે. તે કદી જૂઠું બોલે નહિ, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાત જણને સાક્ષી તરીકે ન રાખવાઃ સ્વજન, દુર્જન, વેષી, લોભી, ગાંડો, કૌતુકી ને ભયાનક. એ વિમળના પિતા છે ! પુત્રના પક્ષમાં સાખ પૂરે. માટે બીજો કોઈ સાક્ષી હોય તો કહો.' સાગર કહે, “એ તો મહા ધર્માત્મા છે. એમના વચનમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ બોલશે તે મારે કબૂલ છે.' - રાજાએ કમળશેઠને તેડાવ્યા ને મીઠી વાણીથી પૂછયું : હે સત્યવાદી શેઠ ! તમે આ શરત વિશે શું જાણો છો ? કમળશેઠે કહ્યું: “હું આ મુખે સાચું જ કહીશ. સત્ય વ્રતના પાલનમાં પેટના દીકરાનો પણ પક્ષપાત ન કરીશ.” વિમળ તો એ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગયો. કમળશેઠ કહે, “સાગરની વાત સાચી છે.' રાજા કહે, “શાબાશ શેઠ ! શાબાશ. તમારા જેવો સત્યવાદી મેં કોઈ જોયો નહિ. નથી તમને ધનનો લોભ કે નથી તમને પુત્રની પરવા. કેવળ સત્યની ખાતર જ તમે જીવતા હો એમ લાગે છે.” એમ કહી નગરશેઠની પાઘડી તેમને બંધાવી. આ બાજુ વિમળને રાજાએ કહ્યું: “અરે જૂઠા ! ધિક્કાર છે તને. તારા જેવાની જીભ જરૂર છેદવી જોઈએ, પણ તું કમળશેઠનો પુત્ર છે એટલે તને જવા દઉં છું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005423
Book TitleKan Kathiyaro Amarkumar Satya no Jay
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy