________________
સત્યનો જય
એક વખત વિમળશેઠે ઘણાં કરિયાણાં ભર્યા ને પરદેશ જવા નીકળ્યો. ફરતાં ફરતાં તે દૂર મલય પાટણમાં ગયો. ત્યાં બધાં કરિયાણાં વેચ્યાં ને હજારો રૂપિયા ભેગા કર્યા. પછી વધારે લાભને માટે ત્યાંથી પણ કરિયાણાં ભર્યા ને પોતાના નગર તરફ પાછો વળ્યો.
ચોમાસાના દિવસો ચાલતા હતા. બધા રસ્તાઓ કાદવવાળા થઈ ગયા હતા. વિમળશેઠે એક ઠેકાણે છાવણી નાખી. ત્યાંથી આગળ જવાય તેમ ન હતું.
બીજો એના જ ગામનો રહેવાસી સાગર નામનો શેઠ પણ, ઘણું ધન કમાઈ આવી પહોંચ્યો. એકબીજાએ એકબીજાને ઓળખ્યા. વિમળે તેને ત્યાં રોક્યો. પછી ચોમાસું પસાર થતાં અહીંથી પણ પૈસા પેદા કરી બંને જણ પોતાનાં ધન અને કરિયાણાં લઈ નગર સમીપ આવી પહોંચ્યા.
કમળશેઠ પોતાનો પુત્ર આવે છે એમ જાણી સામે ગયો. પુત્રના ક્ષેમકુશળ પૂછયા અને ત્રણે જણ નગર ભણી ચાલવા લાગ્યા.
રસ્તામાં સાગરે વિમળને કહ્યું : “હે મિત્ર, વિના જોયેલું ને વિના સાંભળેલું કાંઈક હું તને કહું. જો, આપણી આગળ કેરીનું ભરેલું એક ગાડું હળવે હળવે ચાલ્યું જાય છે. તેનો સારથિ બ્રાહ્મણ છે. તેની પાસે પાણીનો ઘડો છે. તે ગાડાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org