Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ અમરકુમાર જાણે કે કુદરતને પણ આની વેદના થઈ હોય તેમ તરત જ ભયંકર ગર્જના થઈ. સિંહણનો એ અવાજ હતો. બ્રાહ્મણી ત્યાંથી દસ ડગલાં ચાલી ત્યાં તો સિંહણ સામે દેખાઈ. વનવગડામાં નાસે ક્યાં ? સિંહણ આગળથી છટકે પણ ક્યાં? છતાંય મરણ આવે તો છૂટવાનું કોણ ન કરે? તેણે નાસવા માંડ્યું. સિંહણે મારી એક તરાપ. તે બરાબર બ્રાહ્મણીના શરીર પર. બ્રાહ્મણી હેઠી ને સિંહણ ઉપર. ઘડી બે ઘડીમાં તો તેનાં હાડકાં જ રહ્યાં. સિંહણ મોઢું હલાવતી જંગલમાં ચાલી ગઈ. અમરકુમાર શુભ ધ્યાનમાં મર્યા એટલે કહે છે કે તે દેવલોકે ગયા. પાપિણી મા પાપધ્યાનમાં મરી એટલે કહે છે કે તેની નરકની ગતિ થઈ. આજે પણ અમરકુમારની સઝાય વંચાય છે ને માણસોની આંખોમાંથી આંસુ ઝરે છે. હે નાથ ! અમરકુમાર જેવી શ્રદ્ધા મળજો. અમરકુમાર જેવાં મનોબળ મળજો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36