Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ ت ن .ن.ت.ن.ت. સાંજ પડી. રાત પડી. ઊંઘવાનો સમય થયો, પણ બ્રાહ્મણીને ઊંઘ આવે નહીં. તેને અમરકુમાર ઉપર ક્રોધ વરસી રહ્યો છે. મનમાં તે બબડે છે. આ શેતાન છોકરાનું શું કરવું? દુનિયામાં ફજેત થયાં ને હવે ધન પણ જશે? કોણ જાણે હવે શુંયે થશે ? માટે એને તો પૂરો જ કરવો. હાથમાં એક છરી લીધી. બ્રાહ્મણી વિકરાળ રાક્ષસી જેવી થઈને મધરાતે ઘરમાંથી બહાર નીકળી. તેના ક્રોધથી જાણે ઘડીભર વહેતો પવન પણ બંધ થઈ ગયો. વનચર પશુઓ પણ બોલતાં બંધ થઈ ગયાં ને સઘળે સૂનકાર થઈ ગયું. ભયંકર ભૂમિમાં ધ્યાન લગાવીને અમરકુમાર ઊભા છે. બ્રાહ્મણી શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. તેનો ક્રોધ માતો નથી. આંખે અગ્નિ વરસે છે. તેણે છરી ઉગામીને ધ્યાનમાં ઊભેલા અમરકુમારના કાળજામાં ભોંકી દીધી. અમરકુમાર સમજી ગયા કે વેરણ માતાએ આ કારમો ઘા કર્યો છે, પણ તેમણે મનને ઠેકાણે રાખ્યું. ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓનું સ્મરણ કરવા લાગ્યા, અને છેલ્લી ભાવના ભાવવા લાગ્યા. સર્વે જીવોની ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા આપજો. જગતના સર્વ જીવો મારા મિત્ર છે. મારે કોઈની સાથે વેર નથી. આવી શુભ ભાવના ભાવતાં તે ધરણી પર ઢળી પડ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36