Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ સત્યનો જય ભાઈ ! કાંઈક તો સાચું બોલ ! આમ નાહક જૂઠું બોલી શા માટે તારી જાતને ખરાબ કરે છે?” પિતાએ પુત્રને કહ્યું. “સાચું ને જૂઠું બધું ઠીક જ છે. સાચું બોલે શો લાભ થાય છે ? આ તમે જ જુઓ ને? કેટલાંય વરસથી તમે સાચું બોલવાનું વ્રત લીધું છે, એનો શો ફાયદો થયો? ઊલટા પૈસેટકે ખરાબ થયા ! એ તો ખોટું કામ થાય નહિ, ત્યાં સુધી પૈસાદાર થવાય નહિ.” કમળ શેઠ કહે, “બેટા અમે અમારી આંખે દુનિયામાં જોયું છે કે જે કૂડકપટ કરીને, જૂઠાણાં ચલાવીને, નિર્દોષને રહેંસીને પૈસા મેળવે છે તેની પાયમાલી થાય છે.” વિમળને તો કાળમીંઢ પથ્થરની જેમ આ શિખામણરૂપ પાણીની કાંઈ અસર થઈ નહિ. કમળશેઠ જ્યારે તક મળે ત્યારે આ પ્રમાણે પોતાના પુત્ર વિમળને સમજાવતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36