Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫ મોટી દોલત મળી, છતાં પોતાના એક નાના નિયમ ખાતર વેશ્યાની પાસે રહેવા દઈ એ નાસી ગયો. ૧૨ ત્રીજી વાત એ કે વેશ્યાને તો એ રૂપિયા મળી ગયા હતા, પણ કાન કઠિયારાએ એની સેવાનો લાભ ન લીધો. માટે અણહકના ગણી પાછા મોકલ્યા. ને ચોથી વાત એ કે એ રૂપિયા મારી પાસે આવ્યા, છતાં મેં રાજભંડા૨માં મૂકવાની ઇચ્છા ન કરતાં એના ધણીને શોધવા ઢંઢેરો પિટાવ્યો : હે મહાવિવેકી મુનિ, એ શેઠ, આ કઠિયારો, પેલી કામલતા ને હું–ચારમાં શ્રેષ્ઠ કોણ ?’ મુનિ તો જ્ઞાની હતા. અનુભવી હતા. સારાસારના જાણકાર હતા. સો ટકાનું સત્ય બોલનાર હતા. તેઓ કહે, તમે બધા શ્રીમંત હતા. કાનાના સંયમ આગળ તમારો એ સંયમ હિસાબમાં ન ગણાય. તમારા બધામાં શ્રેષ્ઠ તો કાનો જ. પછી કાનાએ પોતાના વિચારને અમલમાં મૂક્યા. સંયમના નિયમોથી ભરેલું જીવન સ્વીકાર્યું. કહેવાની જરૂ૨ નથી કે તેણે પોતાની પહેલી પ્રતિજ્ઞાની જેમ બધા નિયમો દઢતાથી પાળ્યા ! પ્રતિજ્ઞાઓ લઈને પૂરી રીતે પાળનારનું આત્મકલ્યાણ થાય તેમાં નવાઈ શી ! વાચક ! નાનો, પણ નિયમ લેતાં શીખજે. નિયમ લઈને પ્રાણાંતે પણ પાળતાં શીખજે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36