Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ કાન કઠિયારો કામલતાને ત્યાં જેણે થેલી મૂકી હોય તે હાજર થાય. રાજદરબારે તે થેલી સોંપાઈ છે.” ઢંઢેરો પિટાય છે ને લોકનાં ટોળાં સાંભળવા મળે છે. એવામાં કાનાએ પણ ઢંઢેરો સાંભળ્યો. એટલે તે બહાર આવ્યો. સિપાઈઓ તેને રાજદરબારે લઈ ચાલ્યા. રાજાએ તેને હકીકત પૂછી. કાનાએ જેવી હતી તેવી સઘળી વાત કહી દીધી. - રાજાએ ખાતરી કરવા શ્રીપતિ શેઠને પૂછ્યું એટલે તેણે પણ એ જ પ્રમાણે કહ્યું આથી રાજા કાના પર ખૂબ પ્રસન્ન થયો અને શાબાશી આપી બોલ્યોઃ ધન્ય છે તારી ટેકને ! એમ કહી ભારે સરપાવ આપ્યો. કાનાનું દળદર ફીટી ગયું. તેને હવે વિચાર આવ્યો, એક નાનો સરખો નિયમ પાળવાથી આટલો બધો ફાયદો થયો, તો જે બધા નિયમો પાળે તેને કેટલો બધો ફાયદો થાય !” એમ વિચારતાં તેણે નિયમવાળા જીવનનો દૃઢ નિશ્ચય કર્યો. એક વખત ત્યાં જ્ઞાની મુનિરાજ પધાર્યા. રાજા તથા શેઠ શ્રીમંત ને નગરના બધા લોકો તેમને વંદન કરવા ગયા. આ વખતે રાજાએ પૂછ્યું: “હે મહામુનિ, જ્ઞાની છો, તો ખુલાસો કરજો. પહેલી વાત એ કે કાના કઠિયારાએ પોતાના ચંદનની ભારીના બે આના માગ્યા, છતાં શેઠે પાંચસો ગણી આપ્યા. બીજી વાત એ કે ગરીબ કાનાને પાંચસો રૂપિયાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36