________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫
ધન તો કાલે ક્યાં હતું? આવ્યું પલકમાં ને ભલે જતું પણ પલકમાં. ધન માટે આજ સુધી રાખેલી પ્રતિજ્ઞા શું જવા દેવાય ? નહીં નહીં જ. અને ત્યાંથી નાસી છૂટવા તે લોટો લઈ બહાર જંગલ જવા નીકળ્યો. તે જઈને એક ખૂણે દુકાનના ઓટલે સૂતો. અહીં કામલતા રૂપાની ઝારી લઈ બેઠી છે. હમણાં કાનો જંગલ જઈને આવે ને તેને હાથપગ ધોવરાવું. એક કલાક થયો, પણ કાનો તો આવ્યો નહીં. કામલતા વિચારમાં પડી: થયું શું? તેણે આજુબાજુ તપાસ કરાવી પણ તેનો પત્તો લાગ્યો નહીં. તેને શંકા પડી, જરૂર આમાં કાંઈક ભેદ છે.
વેશ્યા વિચારે છેઃ અરે, આ રૂપિયા મારે અણહકના થયા. ભલે પાપનો ધંધો કરું છું, પણ હરામના પૈસા લેતી નથી. એ લઉ તો કયા અવતારે છૂટું. એણે દાસીને કહ્યું: જા, પેલા આદમીને તેડી લાવ. આવે તો ઠીક, ન આવે તો આ રૂપિયા એની આપતી આવજે.
દાસી કહે, એ ન મળે તો રૂપિયાનું શું કરું?
કામલતા કહે, તો રાજાજીને આપી આવજે. બધી વાત કહેજે. કાનો તો ત્રણ દિવસનો થાકેલો-પાકેલો. ભારે ઊંઘમાં એક દુકાનના ખૂણે પડ્યો હતો. દાસી શોધીને થાકી, પણ ન મળ્યો. એટલે સવાર થતાં તેણે પેલી થેલી રાજાને ધરી. બધી વાત વિસ્તારીને કરી. રાજાને આશ્ચર્ય થયું. પૈસા મૂકીને માણસ ચાલ્યો ગયો એ તે કેવા ? તેણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org