________________
અમરકુમાર
૧૫
.ن.ت.د.ن.ت.2
વળી બ્રાહ્મણી આગળ ચલાવે. “આ વિસ્તારથીયે હું કંટાળી ! એમને નિત્ય નવાં મન થાય. એમાંયે નાનકા અમરે તો મને બહુ પજવી. મારાથી એનું પૂરું નથી પડતું.'
કેટકેટલાં વરસ આમ વીતી ગયાં, પણ આ બ્રાહ્મણનું કુટુંબ એવું ને એવું ગરીબ રહ્યું.
એવામાં બ્રાહ્મણીએ શ્રેણિક રાજાનો ઢંઢેરો સાંભળ્યો. તેને વિચાર થયો, લાવને આ અમરને આપી દઉં. ચાર દીકરાના ત્રણ દીકરા હતા એમ ગણીશ, પણ આ હંમેશનું ભિખારીપણું તો જાય. ' તેણે ઋષભદત્તને કહ્યું સાંભળી આ ડાંડી પિટાઈ તે? આપણે અમરને આપી દો. ભારોભાર સોનું મળશે. ભવની ભાવટ ભાંગશે !
બ્રાહ્મણ વિચારમાં પડ્યો. સ્ત્રી ફરીથી બોલી : એમાં વિચાર શું કરો છો ? એ છોકરો તો મને આંખના પાટા જેવો લાગે છે. આપી દો રાજા શ્રેણિકને અને લઈ આવો ભારોભાર સોનું.
ઋષભદત્તે સિપાઈઓને કહ્યું: બત્રીસલક્ષણો કેલૈયા કુંવર હું આપીશ.
સિપાઈએ બ્રાહ્મણના બટુકપુત્ર અમરને જોયો. જોતાં જ વહાલ છૂટે એવો ! અમરકુમાર ઋષભદત્ત જેવા ભિખારીને ત્યાં જન્મ્યો હતો, પણ હતો બત્રીસલક્ષણો. તેની બોલચાલ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org