Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ અમરકુમાર ૧૫ .ن.ت.د.ن.ت.2 વળી બ્રાહ્મણી આગળ ચલાવે. “આ વિસ્તારથીયે હું કંટાળી ! એમને નિત્ય નવાં મન થાય. એમાંયે નાનકા અમરે તો મને બહુ પજવી. મારાથી એનું પૂરું નથી પડતું.' કેટકેટલાં વરસ આમ વીતી ગયાં, પણ આ બ્રાહ્મણનું કુટુંબ એવું ને એવું ગરીબ રહ્યું. એવામાં બ્રાહ્મણીએ શ્રેણિક રાજાનો ઢંઢેરો સાંભળ્યો. તેને વિચાર થયો, લાવને આ અમરને આપી દઉં. ચાર દીકરાના ત્રણ દીકરા હતા એમ ગણીશ, પણ આ હંમેશનું ભિખારીપણું તો જાય. ' તેણે ઋષભદત્તને કહ્યું સાંભળી આ ડાંડી પિટાઈ તે? આપણે અમરને આપી દો. ભારોભાર સોનું મળશે. ભવની ભાવટ ભાંગશે ! બ્રાહ્મણ વિચારમાં પડ્યો. સ્ત્રી ફરીથી બોલી : એમાં વિચાર શું કરો છો ? એ છોકરો તો મને આંખના પાટા જેવો લાગે છે. આપી દો રાજા શ્રેણિકને અને લઈ આવો ભારોભાર સોનું. ઋષભદત્તે સિપાઈઓને કહ્યું: બત્રીસલક્ષણો કેલૈયા કુંવર હું આપીશ. સિપાઈએ બ્રાહ્મણના બટુકપુત્ર અમરને જોયો. જોતાં જ વહાલ છૂટે એવો ! અમરકુમાર ઋષભદત્ત જેવા ભિખારીને ત્યાં જન્મ્યો હતો, પણ હતો બત્રીસલક્ષણો. તેની બોલચાલ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36