Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ અમરકુમાર રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તેને એક વખત વિચાર થયો : લાવ એક સુંદર ચિત્રશાળા કરાવું. તેણ દેશદેશાવરથી સલાટો બોલાવ્યા. કુશળ એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન તૈયાર થયું, ને તેમાં સુંદર ચિત્રો ચિતરાવ્યાં, પણ એવામાં મુખ્ય દરવાજો તૂટી પડ્યો. - કડિયા ફરીથી કામે લાગ્યા. ઘણી મહેનતે દરવાજો ઊભો કર્યો, પણ તે પૂરો થયો ને તૂટી પડ્યો. ફરી વાર ચણાવ્યો, ને ફરી તૂટી પડ્યો ! દરવાજો ચણે ને પૂરો થતાં તે તૂટી પડે. રાજા મૂંઝાયો, હવે કરવું શું? તેણે કહ્યું : જોશીને તેડાવો ને જોશ જોવડાવો. ચિત્રશાળાનો દરવાજો કેમ તૂટી પડે છે? જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજા વિચાર કરે છે. રેયત વિચાર કરે છે : જોશી શું કહેશે?” જોશીએ ટીપણું કાઢ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36