________________
અમરકુમાર
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તેને એક વખત વિચાર થયો : લાવ એક સુંદર ચિત્રશાળા કરાવું.
તેણ દેશદેશાવરથી સલાટો બોલાવ્યા. કુશળ એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન તૈયાર થયું, ને તેમાં સુંદર ચિત્રો ચિતરાવ્યાં, પણ એવામાં મુખ્ય દરવાજો તૂટી પડ્યો. - કડિયા ફરીથી કામે લાગ્યા. ઘણી મહેનતે દરવાજો ઊભો કર્યો, પણ તે પૂરો થયો ને તૂટી પડ્યો.
ફરી વાર ચણાવ્યો, ને ફરી તૂટી પડ્યો !
દરવાજો ચણે ને પૂરો થતાં તે તૂટી પડે. રાજા મૂંઝાયો, હવે કરવું શું? તેણે કહ્યું : જોશીને તેડાવો ને જોશ જોવડાવો. ચિત્રશાળાનો દરવાજો કેમ તૂટી પડે છે?
જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજા વિચાર કરે છે. રેયત વિચાર કરે છે : જોશી શું કહેશે?” જોશીએ ટીપણું કાઢ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org