SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અમરકુમાર રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તેને એક વખત વિચાર થયો : લાવ એક સુંદર ચિત્રશાળા કરાવું. તેણ દેશદેશાવરથી સલાટો બોલાવ્યા. કુશળ એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન તૈયાર થયું, ને તેમાં સુંદર ચિત્રો ચિતરાવ્યાં, પણ એવામાં મુખ્ય દરવાજો તૂટી પડ્યો. - કડિયા ફરીથી કામે લાગ્યા. ઘણી મહેનતે દરવાજો ઊભો કર્યો, પણ તે પૂરો થયો ને તૂટી પડ્યો. ફરી વાર ચણાવ્યો, ને ફરી તૂટી પડ્યો ! દરવાજો ચણે ને પૂરો થતાં તે તૂટી પડે. રાજા મૂંઝાયો, હવે કરવું શું? તેણે કહ્યું : જોશીને તેડાવો ને જોશ જોવડાવો. ચિત્રશાળાનો દરવાજો કેમ તૂટી પડે છે? જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજા વિચાર કરે છે. રેયત વિચાર કરે છે : જોશી શું કહેશે?” જોશીએ ટીપણું કાઢ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005423
Book TitleKan Kathiyaro Amarkumar Satya no Jay
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy