________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫
જોશ જોયા. જોશી કહે, સાચું કહેવા દે. કહ્યા વિના નહિ ચાલે. તે બોલ્યા : ‘મહારાજ ! ચિત્રશાળાનો દરવાજો બત્રીસલક્ષણો બાળ માગે છે. તેનો ભોગ આપો તો ચિત્રશાળાનો દરવાજો ટકે. નહીંતર હરિ ! હરિ !!’
૧૪
આ સાંભળી સહુ ઠરી ગયા. કોઈ ન હાલે કે ન ચાલે. ચારે કોર સૂનકાર.
રાજા કહે, નગ૨માં ઢંઢેરો પિટાવો. જે કોઈ બત્રીસલક્ષણો બાળ આપશે તેને બાળકની ભારોભાર સોનામહોરો આપીશ. નગરમાં ઢંઢેરો પિટાયો.
આ જ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ છે. બિચારાને નથી એક ટંકનું ખાવા કે નથી ઓઢવા-પહેરવા. સવારે મળ્યું તો સાંજે ન મળે ને સાંજે મળ્યું તો સવા૨ે ન મળે. જ્યારે માણસની વેળા બદલાય ત્યારે કાંઈ બાકી રહે છે ? બિચારો આખો દિવસ ભિક્ષા માગીને જેમ-તેમ પેટ ભરે છે.
એને સ્ત્રી પણ કભારજા મળી છે. આખો દિવસ મહેનતમજૂરી કરીને ઘેર આવે ત્યારે ગાળોનો વરસાદ વરસાવે. ‘હે દરિદ્રી ! બેસી શું રહે છે ? જણ્યાંને જિવાડવાં તો ખરાં ને ! આ ચાર દીકરા ને એક દીકરી. પેટનાં જીવડાં કાંઈ મારી નખાય છે ? એમને મારે શું ખવરાવવું ?”
બ્રાહ્મણ બિચારો નીચું મોઢું કરીને બધું સાંભળી લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org