Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ કાન કઠિયારો ت ن .ث. .ت .ن.ت કામલતા હતી. તેણે નીચે જોયું તો રૂપિયા ખખડાવતા કાનાને ઊભેલો જોયો. એનો પ્રેમ ઊભરાઈ ગયો. તરત જ એક દાસીને નીચે મોકલી. દાસીએ આવીને મધુર કંઠે કહ્યું: પધારો અંદર. મારી બાઈ તમારી રાહ જુએ છે. એણે કાનાને સુગંધી જળે સ્નાન કરાવ્યું. પોતાને ત્યાં સુંદર કપડાં પડેલાં હતાં, તે પહેરાવ્યાં અને મેવા-મીઠાઈ જમાડી તાજો કર્યો. મૂળ દેખાવડો ને સશક્ત કાનો ખૂબ શોભવા લાગ્યો. એ તો મોટા અરીસામાં પોતાનો ચહેરો જુવે અને મલકાય. પછી રાતનો સમય થયો. સુંદર પલંગ છે. ઉપર સવા હાથ ઊંચી રૂની તળાઈ છે. કાનો તેના પર સૂતો. કામલતા હાવભાવ કરતી પાસે બેઠી. અનેક પ્રેમનાં વચન બોલે છે. આ વખતે કાનાનું હૈયું સંસારના લહાવા લેવા તલપાપડ થઈ રહ્યું, એવામાં બારીમાં નજર ગઈ. ત્યાં સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર જોયો. તેને યાદ આવ્યું : અરે હા ! આજ તો પૂનમનો દિવસ અને આજ તો ધર્મનિયમનો દિવસ ! પણ આખી જિંદગીની મૂડી આ પાંચસો રૂપિયા. એને શી રીતે જતા કરવા ! ત્યારે કાંઈ પાછા મગાય ! અને એ છોડીને ચાલ્યો જાઉ તો બધુંયે જાય. આ આનંદ! આ કામલતા ! તેનું મન ચકડોળે ચડ્યું, પણ આખરે મનને મજબૂત બનાવ્યું અરે, ભલે પ્રાણ જાય, પણ પ્રતિજ્ઞા ન જાય. એ મુનિરાજનાં વચન યાદ આવ્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36