Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ ભરવા રખડે ! એવામાં ધખધખતી રેતી પર કોઈ મુનિરાજને ઊભેલા જોયા. ઉઘાડા પગ ને ઉઘાડું માથું. આવા તાપમાં ઉઘાડા પગે ને ઉઘાડા માથે ! કાનાને એકદમ આશ્ચર્ય થયું. અને છતાં તેમનું મોં કેટલું શાંત ને સુખી છે ! શું તેમને તાપ નહીં લાગતો હોય ! કાનાને કુતૂહલ થયું. તે પાસે ગયો. મુનિ ધ્યાનમાં હતા. તેમના મુખ સામે જોતો તે ઊભો રહ્યો. થોડી વારે મુનિ ધ્યાનમાંથી જાગ્યા. તેમણે કઠિયારાને જોઈ ધર્મલાભ કહ્યો. પછી તેમણે લઘરવઘર પોશાક જોઈ હાલત પૂછી. કઠિયારે જેવી હતી તેવી હાલત કહી સંભળાવી. એટલે મુનિ બોલ્યાઃ ભાઈ ! તારે આ હાલતથી ગભરાવું નહીં. પૂર્વભવનાં કર્મ તને પીડે છે. સાચો પુરુષાર્થ કરીશ, તો તારું કલ્યાણ થશે. ખરા દિલથી માણસ મહેનત કરે તો તેને બધું મળી રહે છે. કાનાએ પૂછયું, “બાપજી ! પુણ્ય શી રીતે થાય?” મુનિ કહે, ૧વ્રતથી, સંયમથી, પારકાનું ભલું કરવાથી. કોઈને પોતાના કાજે બનતાં સુધી ન પીડવાથી. કાંઈક સારો નિયમ લેવાથી. જેમ કે હું કોઈ જીવને મારીશ નહીં. જૂઠું બોલીશ નહીં. કોઈ પણ માણસની વસ્તુ વગર રજાએ લઈશ નહીં. બ્રહ્મચર્ય પાળીશ. અમુક પૈસાથી સંતોષ માનીશ. કાંઈક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36