Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ કાન કઠિયારો પણ પરોપકારનું કામ કરીશ વગેરે.' કાનો કહે, “મારાથી આવું કશું બની ન શકે !' મુનિ કહે, “તો બને તેટલું કર, કાંઈક પણ કર.' કાનો વિચારમાં પડ્યો. થોડી વારે વિચાર કરીને બોલ્યો, “બાપજી, ગરીબ છું. મોં ને અન્નને સદાથી વેર છે. આજ ખાવા મળે છે, તો કાલે મળતું નથી. નાનો એવો પેટનો ખાડો પૂરવા દુનિયા માત્રનાં પાપ કરતાં અચકાતો નથી, પણ તમને જોઉં છું ને મારું દિલ નમી પડે છે. અરે, હાથે કરીને કેવાં કષ્ટ વેઠો છો. સુખી લાગો છો, તોય ઘરબાર છોડી દુઃખ શોધવા નીકળ્યા છો. તમને મારા નમસ્કાર છે. મુનિ કહે, કાના, આપણી મુલાકાતની કાંઈક યાદગીરી તો રાખ. મને કાંઈક ભાતું તો આપ ! મા રાજ, પેટમાં ભૂખની આગ લાગી છે, તો આપને શું ભાતું આપું! મને કાંઈક ધર્મનિયમનું ભાતું તો આપ. કાનો વિચારમાં પડી ગયો. અરે, શું ધર્મનિયમનું ભાતું આપું? થોડી વાર વિચાર કરીને કહેઃ “બાપજી, આજ પૂનમનો દિવસ છે. દર પૂનમે વ્રત રાખીશ. લીલાં ઝાડ નહીં કાપું. કોઈને માઠું લાગે એવું વચન નહીં બોલું. બ્રહ્મચર્ય પાળીશ.” મુનિ કહે, ભલે એટલો નિયમ લે. કાનાએ હાથ જોડ્યા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36