Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી સ્થાનેથી આજથી ૨૫ સૈકા પહેલાં થઈ ગયા છે. છતાં આજે એમનાં અનેક જીવન-ચરિત્રો ઉપલબ્ધ થાય છે. આ દાખલાથી પણ આપણને આ કાર્યમાં ઉત્તેજના મળવી જોઈએ ! આપણાં શક્તિ અને સાધને, મહાવીર-ચરિત્રની જના: વળી ભગવાન મહાવીરનું ચરિત્ર તૈયાર કરવામાં બીજાં કઈ પણ જાતનાં સાધનોની આપણે ત્યાં ઊણપ હોય એમ અમે નથી માનતા ! વખત આવ્યે જરૂરિયાત પ્રમાણે નાણાં ભેગાં કરવા માટે આજે પણ આપણો સમાજ પંકાય છે. બીજી તરફ પૂજ્ય મુનિરાજે અને ગૃહસ્થોમાં આપણે ત્યાં એવા વિદ્વાને પણ હયાત છે કે જેઓ ધારે તે અવશ્ય મહાવીર–ચરિત્ર તૈયાર કરી શકે ! કોઈ વિશિષ્ટ પ્રકારનાં સાધનોના અભાવે સરસ મહાવીરચરિત્ર તૈયાર થઈ શક્યું નથી એ વાતને અમે બહુ વજુદ નથી આપતા. આ માટે જે કઈ જવાબદાર હોય તે તે કેવળ આપણું દુર્લક્ષ્ય-બેદરકારી જ છે. “મહાવીર-ચરિત્ર” કેવી રીતે તૈયાર કરવું એની યોજનાના વિવેચનમાં ઉતર્યા વગર એટલું તે અમે અવશ્ય સૂચવવા માગીએ છીએ કે એક આદર્શ “મહાવીર-ચરિત્ર” નિર્માણ કરવા માટે કેવળ એક જ વિદ્વાનના પ્રયત્ન ધારી સફળતા ન જ અપાવી શકે. એના માટે તે એક “શ્રી મહાવીર–ચરિત્ર પ્રકાશનમંડળ” કે એવા કોઈ નામનું વિદ્વમંડળ કાયમ કરવું જોઈએ અને એમાં જૈન તેમજ જૈનોનાં તત્ત્વોને અપનાવી રહેલા અજૈન વિદ્વાનને દાખલ કરવા જોઈએ. એ મંડળ મારફત જુદા જુદા વિષયની સંપૂર્ણ માહિતી મેળવીને. જ્યાં જરૂરી જણાય ત્યાં અમુક માહિતી મેળવવા માટે ઈનામી નિબંધ વગેરેની યોજના દ્વારા જરૂરી માહિતી મેળવીને, એક સુંદર “મહાવીર-ચરિત્ર” તૈયાર થઈ શકે, અને આવી રીતે તૈયાર થએલ “મહાવીરચરિત્ર” નો મુખ્ય મુખ્ય બધી ભાષામાં અનુવાદ કરીને તે તે ભાષાભાષિયોને તે પહોંચાડી શકાય ! જરૂરત જણાય તો આ ચરિત્રને અંગે અમેરીકાના નોબલ પારિતોષિક જેવી એકાદ મોટી ઈનામી યોજના કરવી પડે તો તે પણ આપણને ન પરવડે એમ તે નથી જ ! લેકગ્ય “મહાવીર-ચરિત્ર”: મહાવીર-ચરિત્રની આટલી બધી અગત્ય હોવાને કારણે એક બીજી વસ્તુ તરફ પણ અમે સૌનું ધ્યાન દોરવા માગીએ છીએ. એક ગ્રંથ અને ખાસ કરીને જીવન-ચરિત્રને લગત ગ્રંથ સર્વાંગસંપૂર્ણ–બધીય ઐતિહાસિક અને બીજી માહિતીથી પૂર્ણ—હોય તે જ એ જીવન ઉપર અસર કરે છે એવું ખાસ તો કશું જ નથી ! જાહેર સામાન્ય પ્રજા તો સામાન્ય ચરિત્રોમાંથી પણ પ્રેરણાને મેળવી શકે છે. તેથી ઉપર કહ્યા પ્રમાણેનું સમગ્ર માહિતીવાળું એવું વિઠોગ્ય “મહાવીર–ચરિત્ર” તૈયાર થાય ત્યાંસુધી તેની રાહ જોઈને બેસી ન રહેતાં, લોકભોગ્ય એવાં નાનાં મોટાં અનેક “મહાવીર -ચરિત્રો તૈયાર કરવા અને પ્રકાશિત કરવા તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. વળી કેવળ સળંગ જીવન-ચરિત્ર જ શું પણ કવિતાઓ, નાની મોટી કથાઓ કે એવા છુટક સાહિત્ય દ્વારા પણ મહાવીરસ્વામીના જીવન-પ્રસંગો જનતા જાણતી થાય એમ કરવું જોઈએ. આમ કરવાથી કવિ તરીકેની, કથા લેખક તરીકેની કે ગંભીર સાહિત્યને લેખક તરીકેની કળાને ધારણ કરનાર દરેક વિદ્વાનને એમાં પોતાને ભાગ આપવાને સુયોગ મળશે અને સમાજને એક જ વિધ્યને લગતું વિવિધ રસભર્યું સાહિત્ય વાંચવા મળશે. વિદ્વાને આવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 231