________________
ગાય માઠમાં
૩૪૩
છે. કારણ કે મેં ઉપર જે શુદ્ધ સ્વરૂપની વાત કરી તેવા) મને (અંતરાત્માને) ત:કાળે સંભારીને (અર્થાતુ કે સંસારના વિષયોમાં ચિત્તને ન જવા દેતાં મારામાં લગાડીને) જે શરીર તજે છે, તે મારા સ્વરૂપને જ પામે છે. તેમાં કંઈ પણ સંશય કરવા જેવું શું છે?) નથી. કારણ કે અર્જુન! એ કુદરતી કાનૂન જ છે, કે)
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् । तं तमेवैति कौंतेय सदा तद्वावभावितः ॥ ६ ॥ तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च । मय्यर्पितमनोबुद्धिर्मामे वैष्यस्यसंशयम् ॥७॥ કિંવા ભાવો સ્મરી જે જે, અંતે છોડે કલેવર; તે તે જ ભાવને પામે, સદા તે ભાવભાવિક. ૬ માટે મને બધા કાળે, કૌતેય ! સ્મર ને લડ;
મન બુદ્ધિ અને અર્પી મને પામીશ નિશ્ચયે. ૭ ' અથવા તો (કુંતીના પુત્ર) કોતેય ! જે દહધારી) જે (સ્વરૂપ કે) ભાવ
હમેશાં (આસ્થાપૂર્વક) ભાવ્યા કરે છે, તે તે ભાવનું અંતકાળે પણ સ્મરણ કરતો કરતો દેહ છોડે છે, (છોડી શકે છે, અને તેથી તે તે જ સ્વરૂપને પામે છે. ન માટે (તું પણ) મને સર્વ કાળે સ્મરતો સ્મરતો લડ, (એમ કરવાથી અંતકાળે પણ) મને બુદ્ધિ અને મન અર્પાઈ ગયા પછી, તું (મરીશ તોય) મને જ નિશ્ચય
પામીશ. ( નોંધઃ લડવાની વાતથી વાચક મૂંઝાઈ જશે, પણ તેમાં મૂંઝાવા જેવું કશું જ ! નથી. આપણે અગાઉ એ વિષે કહી જ ચૂક્યા છીએ. અર્જુનને મૃત્યુ પછી માઠી
ગતિ થવાની જે ભીતિ હતી તે આથી શ્રીકૃષ્ણજીએ ટાળી નાખી. આત્મસ્વરૂપનું ચિંતન નહિ વિસરતો માણસ જો મરતી વેળા પણ ન વિસરે તો જીવતાં તો કેમ જ વિસરે ! અથવા સદા જેને આત્મસ્વરૂપનું ચિંતન હોય તે કોઈ પણ ક્રિયા કરતો છતો, તેને કેમ ચૂકે? તે જ સ્વરૂપને પામે. પણ આવું ત્યારે જ બને કે જ્યારે એ ક્રિયા કોઈ પણ જાતની કામનાથી પ્રેરિત ન હોય, માત્ર અનિવાર્ય આવી પડેલું કર્તવ્ય જ હોય.
અર્જુન પક્ષે (અર્જુન માટે) આ યુદ્ધકર્મમાં જોડાવું તે અનિવાર્ય કર્તવ્ય જ છે, " એમ શ્રીકૃષ્ણ મહાત્મા માનતા હતા. કઈ દષ્ટિએ તે આપણે અગાઉ જઈ ગયા