Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 13
________________ – (૧૧) અનેક ચમત્કારો સહુને અનુભવાયા ! જેમાંથી કેટલાક નીચે મુજબ છે. (૧) આદિનાથ પ્રભુની આંખોમાંથી અમીઝરણા થયાં. (૨) મૂળનાયક શ્રી સિમંધરસ્વામીના માથા પર રહેલા પ ૭ ફૂલો સ્વયં પ્રભુના ખોળામાં પડ્યા. (૩) રાત્રે ૧ વાગ્યા સુધી પ્રભુજીની આંખો ફરતી હતી. (૪) બધા પ્રભુજીની આંખોના ખૂણા ગુલાબી તથા ગાલ હસતાં દેખાવા લાગ્યા. (૫) આદિનાથ પ્રભુની આંખો નાની મોટી થતી હતી. (૬) ઘંટનું લોલક દિવસો સુધી જાતે જ હલ્યા કરતું હતું. ખરેખર આજે પણ અધિષ્ઠાયક દેવો આપણી ઉત્તમ ભાવનાનો પ્રભાવ બતાવતા હોય છે. ૬. ધર્મીનું વસિયતનામું પાલડીના એ પુણ્યશાળીએ વીલ બનાવ્યું. જેમાં લખ્યું છે કે મારી હયાતિ બાદ મારી મૂડી વ્યાજે મૂકી તેના વ્યાજની રકમ મારા વારસદારોને ધાર્મિક આરાધના કરે તે પ્રમાણે મળે. હેય છોડવા જેવું) દા.ત. રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ, બરફ, આઈસ્ક્રીમ ત્યાગ, ટીવી ત્યાગ, ઉભટ વેષ ત્યાગ વગેરે અને ઉપાય કરવા જેવું, દર્શન, પૂજા, પ્રતિક્રમણ, તપ, સ્વાધ્યાય વગેરે લગભગ ત્રીસેક આરાધના સામે તેની વાર્ષિક બહુમાનની રકમ નોંધી છે. વર્ષમાં બે વખત પરિવાર મિલન, જમણ સાથે બહુમાનપૂર્વક આ બહુમાનની રકમની વહેંચણી કરવી! આને કહેવાય ધર્મી આત્માનું વસિયતનામું. સંતાનને અધિકારોમાં નહી ફરજોમાં જાગૃત કરજો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52