________________
– (૪૫)
(અગાશી)માં નવપદજી આયંબિલની ઓળી કરાવી. પછી બીજીવાર ૧૨ મહિનાના પૈસા ભેગા થયાં તેમાંથી પાલીતાણા તીર્થમાં ભાતુ આપ્યું. ત્રીજીવારના ૧૨ મહિનાના પૈસામાંથી સાતક્ષેત્ર, આયંબિલ ખાતું, ગૌશાળા, સાધારણ ખાતું, સાધુસાધ્વીજી મ.સા. માટે વૈયાવચ્ચ ખાતે, ગરમ પાણી ખાતે, જીવદયા, સાધર્મિક, ગૌશાળા, વૃધ્ધાશ્રમ, પાંજરાપોળ, ભાતા ખાતું, સાકરના પાણી તેમજ ચા-ઉકાળાની ભક્તિ વગેરેમાં વાપર્યા. ચોથી વખત ૧૨ મહિનાના પૈસામાંથી શંત્રુજયના આદિનાથ દાદાને સોનાની ગીની, હીરો, અષ્ટપ્રકારી પૂજાનો થાળ, ચાંદીનું બીજોરૂ, કળશ વગરે ચઢાવ્યાં. પાંચમી વખતે ૧૨ મહિનાના પૈસામાંથી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા તેમજ પાલીતાણાના આદેશ્વર દાદા માટે સવા ત્રણ તોલાના સોનાના બે હાર બનાવરાવ્યા. છઠ્ઠી વખતના ૧૨ મહિનાના પૈસામાંથી એક બસમાં પાલીતાણા અને શંખેશ્વરની જાત્રા કરાવી તેમજ બનાવેલા સોનાના બે હાર બંને ઠેકાણે આદીશ્વર દાદા અને પાર્શ્વનાથ દાદાને ચડાવ્યાં. સાથે આવેલ બધાને કેશર ભરી ચાંદીની ડબ્બી આપી. પછી થોડા પૈસા ભેગા થયા તેમાંથી રૂ.૫OOO શંખેશ્વરમાં ઉપાશ્રય માટે આપ્યા. - સાતમી વખત અઢાર મહિનાના પૈસામાંથી બા તથા પિતાજીના નામનો પાંચ દિવસનો જિનેન્દ્ર ભક્તિ ઓચ્છવ કર્યો. તેમાં સિધ્ધચક્રપૂજન, મહાપૂજા, ત્રણ મંડળની પૂજા ત્રણ દિવસ રાખી ને શાંતિસ્નાત્ર ભણાવ્યું. તેમજ મરીનડ્રાઈવના શંખેશ્વર પાર્શ્વપ્રભુ (મૂળનાયક) ને સોના અને ચાંદી અને મીનાનો મુગટ કરાવી ચડાવ્યો. આઠ વર્ષ પહેલા ૨૦ હજાર રૂપિયાનો થયો. એજ વર્ષે પ્રિભુને સંપત્તિની જેમ આપત્તિ (ટેન્શન)ની પણ ભેટ આપતા શીખો.)
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org