Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005433/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જા 21162fuzion ભાગ પંન્યાસ ભદ્રેશ્વરવિજય For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગો' પુસ્તક વિષે કેટલાંક અભિપ્રાય 'પ.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. આ પ્રસંગો પુસ્તક (વાંચ્યા પછી ) અનુમોદના તથા સુષુપ્ત સત્વને જાગ્રત કરે છે... જીવનમાં કાંઈક પણ શુભ કાર્ય કરવાનો ઉત્તમ મનોરથ પેદા કરે છે. આજના જીવોને ઉત્તમ આલંબનની જરૂર છે, જેમાં આ બુક બોધક, માર્ગદર્શક, સરળ, શોર્ટ અને સ્વીટ જેવી છે... 'પ.પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ.સા. નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા.. આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપબને તેવો પણ છે...” | મુનિ સૌમ્યરત્નવિજયજી વ્યાખ્યાનમાં આ પ્રસંગો કહેવા જેવા શ્રેષ્ઠ છે. આ પુસ્તકને ખૂબ આકર્ષક બનાવો તેવી વિનંતી છે. તેથી ઘણા વાંચશે અને વાંચવાથી ઘણાને ખૂબ લાભ થશે........ (૪ પાનાનું ટુંકાવીને) ( ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ : પાંચકુવા કાપડ મહાજન અમદાવાદ: બેંગ્લોરમાં ગયેલો. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શપ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું !!! આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી, દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” રાજેન્દ્રભાઈ : “પૂ.શ્રી ! આ પ્રસંગો પુસ્તક મારા સુશ્રાવિકાએ વાંચ્યું. ખૂબ ગયું.... વાંચી ઘણાં બધાનું કયાણ થાય તે ભાવનાથી આ સુંદર પુસ્તકના પ્રચારમાં અમારે રૂા. પ000નો લાભ લેવો છે..!!” આવા પ્રશંસાપૂર્ણ અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં અહં નમો નમ: પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિભ્યો નમઃ જેના આ પ્રાણી આવૃત્તિ: તતી (સત્ય, વર્તમાન, શ્રેષ્ઠ, ઘાર્મિક દષ્ટાંતો) ભાગ-નવમો પ્રેરક : પંન્યાસ ભદ્રેશ્વરવિજયજી ગણિ સંપાદક : મુનિ યોગીરત્નવિજયજી મ.સા. કે તા. ૧૦-૪-૨૦૧૩ | કિંમત આકૃતિ જીવ « નકલ ૦,૦૦૦ | ૨ ૨-૦૦ પ્રાપ્તિસ્થાનો ! અમદાવાદ : મિતેશભાઈ : ૧, સુજલ પ્લેક્ષ, અન્નપૂર્ણા હોલની બાજુમાં, નવા | વિકાસ ગૃહ રોડ, પાલડી, અમ.૭ ફો. : ૨૭૬૦૫૩૫૨, ૯૪૨૭૬૧૩૪૭૨ તિરંજનભાઈ: ૧૧, ભૂમિ એપા. 38, આનંદનગર, ફતેહપુરા, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોત. ૨૬૬૮૧૨૭, પી.પી. ૨૬૩૩૬૧૬ ( મુંબઈ :. પ્રબોધભાઈ : યુમેકો, ૧૦૩, નારાયણ ધુવ સ્ટ્રીટ, ૧લો માળ, મુંબઈ-૪ooo03: ફોન :૨૩૪3૮૭૫૮, ૯૨૨૨૨૭૯૯૮૬ નીલેશભાઈ બી-૨૦૧, સુયોગ સોસા., સહારા સામે, એસ.વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ). ફોનઃ ૨૮૭૧૪૬૧૭, મો. : ૯૨૨૧૦૨૪૮૮૮ જૈિન આદર્શ પ્રસંગો ભાગ ૧ થી ૮ (પાકા પુંઠાની) કન્સેશનથી રૂ. ૩૫ જેન આદર્શ પ્રસંગો છુટા ભાગ ૧ થી ૮ દરેક ભાગની કિંમત રૂ. ૩ ભાગ ૯ થી ૧૨ દરેકની કિંમત રૂ. ૨ जैन आदर्श कथाएँ ( हिन्दी ) भाग १ से ६ प्रत्येक का रु.६ શુભ પ્રસંગે પ્રભાવના કરવા જેવું સસ્તુ પુસ્તક પ્રસંગોના બધા ભાગની કુલ ૫,૪૯,૦૦૦ નકલ છપાઈ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ . પ્રસ્તાવના: વર્તમાનના સત્ય પ્રેરક પ્રસંગોના આ પુસ્તકોથી ઘણાને અનુમોદના, અવનવી આરાધનાનો ઉમંગ વગેરે ઘણા લાભ થયા છે. દરેક જૈન પણ આ પુસ્તકો વાંચી આત્મસાધના વધારવાની પ્રેરણા જરૂર મેળવે. કથાપ્રસંગો હોવાથી સર્વેને સરળતાથી સમજાય; વારંવાર વાંચવા ગમે; ફોર કલરના બેનમૂન ટાઈટલોને કારણે પુસ્તકો જોવા ગમે; દાતાઓને કારણે તદ્દન નજીવી કિંમતે મળે વગેરે ઘણા કારણે દરેક ધર્મપ્રેમીએ આ પુસ્તકો સ્વજનોને વાંચવાની પ્રેરણા તથા પ્રભાવના કરી મફતનું વિશેષ પુણ્ય મેળવી લેવા જેવું છે. આ ભાગ નવમાની માત્ર ૨ વર્ષમાં ૧૫,000 નકલ વેચાઈ ગઈ. હવે આ ત્રીજી આવૃત્તિ પ્રગટ થાય છે. પુસ્તકપ્રેમી મિત્રોએ આ સુંદર, સસ્તા પુસ્તકની પ્રભાવના શુભ પ્રસંગોએ કરી જ્ઞાનભક્તિ કરવા જેવી છે. સૌજન્ય ઇસનપુર, તપાગચ્છ શ્વે.મૂ.પૂ. જૈનસંઘ, અમદાવાદ. ૧. વીરચંદભાઈ નરસીદાસ હ. મનહરભાઈ ૨. અતુલભાઈ સોમાલાલ શાહ ૩. કોમલભાઈ ભૂરાલાલ જૈન ૪. પ્રશમ, મોક્ષલ અભયભાઈ શાહ હ. યોગેશભાઈ ૫. દિલીપભાઈ એન. શાહ ૬. સ્વ. ભારતીબેન વસંતલાલ શાહ હ. અલ્પેશ વી. ૭. ઉષાબેન નવીનચંદ્ર કોઠારી ૮. બીપીનભાઈ મનસુખલાલ સુખડીયા ૯. નવીનચંદ્ર છોટાલાલ શાહ ૧૦. અરૂણાબેન હસમુખલાલ શાહ અન્ય : સ્વ. મૌલિકના આત્મશ્રેયાર્થે, હ. બીપીનભાઈ હીંમતલાલ, - કાંકરીયા, અમદાવાદ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ (૩) જૈન આદર્શ પ્રસંગ ભાગ - નવમો ૧. શાસનપ્રભાવક તીર્થયાત્રા સંઘ માલગાંવ (રાજસ્થાન) નિવાસી, ઉદારદિલ શાસનભક્ત શ્રી કે.પી. સંઘવીએ માલગાંવ થી રાણકપુરજી તીર્થનો ઐતિહાસિક તીર્થયાત્રા સંઘ કાઢ્યો. ૨૬૫ કિ.મી.ની લાંબી મજલનો સંઘ કુલ ૧૮ દિવસનો હતો. સંધમાં ૪૫૦ જેટલા પૂજ્ય સાધુ-સાધ્વાજી ભગવંતો તથા ૬૧૦૦ આરાધક શ્રાવક-શ્રાવિકાઓ હતા. દરેક યાત્રિકને યાત્રાની શરૂઆતમાં જ બાવન જેટલી જરૂરિયાતની વસ્તુ યુક્ત લગભગ રૂા. ૪,૦૦૦ ની મૂલ્યવાળી એક કીટબેગ ભેટ આપી હતી. જેમાં દાંત ખોતરણી પણ હતી જે ચાંદીની હતી. રોજ યાત્રિકો, મહેમાનો, દર્શનાર્થીઓ, ગામના સંઘો આદિ મળી દશ થી પંદર હજાર જેટલી વ્યક્તિઓ પાંચ મીઠાઈ, ફ્રુટ, ફરસાણ, મેવા આદિ ૪૦-૪૫ જેટલી ભોજનની આઈટમોનું બેસીને ભોજન કરતા હતા. રસોડામાં જીવવિરાધના ન થાય તેની સવિશેષ કાળજી લેવાતી હતી. એક સાથે બે-ત્રણ ઈયળ આદિ શાકમાંથી વીણી લાવનારને તુરત જ ૫૦ રૂપિયાનું ઈનામ અપાતું હતું. એથી કામ કરનારા નોકરો પણ જયણાવાળા બન્યા હતા. સંઘમાં ચાંદીના ૯ ૨થમાં ૯ જિનાલયો હતો. દરેક જિનાલયમાં રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા આરાધકો દર્શન વંદન પૂજન ચૈત્યવંદન કરતા હતા. સંઘવીજીએ વિહારમાં આવતા કુલ ૩૫ ગામોના ૮૪ દેરાસરોમાં અઢી કિલો શુધ્ધ ચાંદીના કલાત્મક સંતાનોના સુસંસ્કારોનો અંતિમ સંસ્કાર ન થાય તે જોજો. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ – (૪) તોરણો બાંધ્યા હતા. દરેક ગામના અજૈન મંદિરોમાં ચાંદીનું છત્ર ભેટ આપ્યું હતું. વિહારમાં આવતા દરેક જૈનસંઘને ૧ લાખ રૂપિયાથી ૧૫ લાખ રૂપિયાનું સાધારણ ખાતામાં દાન આપ્યું હતું. રસ્તાના ગામોના અજૈન ઘરોમાં સ્ટીલના ડબ્બામાં ૫૦૦-૫૦૦ ગ્રામ લાડવા ભરીને ૧ લાખ ૨૦ હજાર સ્ટીલના ડબ્બામાં કુલ ૬૦ હજાર કિલો લાડવા પ્રીતિદાન તરીકે વહેંચ્યા હતા. પ્રત્યેક ૨૦૦ ડબ્બા દોઠ ૪ ગ્રામ સોનાની એક ગિની અને પ્રત્યેક ૫૦ ડબ્બા દીઠ ૧૦ ગ્રામ ચાંદીના એક સિક્કો અંદર નાખી ગુપ્તદાન કર્યું હતું. સંઘમાં અબોલ પશુઓ માટે કુલ ૧૫ કરોડ રૂપિયાનું ફંડ થયું હતું. રાય સંધવીએ કહેરાત કરી હતી કે અમારે પાવાપુરી પાંજરાપોળ (૪૦૦૦ પશુઓ છે) માં જીવદયાની રકમની જરૂર નથી. આ બધી રકમ ભારતભરની પાંજરાપોળમાં આપી દેવાશે. સંઘની પૂર્ણાહૂતિ બાદ પ્રત્યેક યાત્રીઓને ૨૦૦ ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો, રૂા. ૯૦૦ રોકડા આદિ અનેક પ્રકારની પ્રભાવના થઈ હતી. સંઘવજી પરિવારના દરેક સભ્યોએ ૧૮ દિવસ સુધી રોજ આયંબિલનો તપ કર્યો હતો અને વિનય-નમ્રતાપૂર્વક યાત્રિકોની સેવાભક્તિ કરી હતી. સંઘવી પરિવારની ઉદારતા, “સવિ જીવ કરું શાસન રસી”ની ભાવના, અદ્ભુત સાધર્મિક વાત્સલ્ય, ભાવભક્તિ, નિરાભિમાનતા આદિ જોઈને સૌ કોઈ બોલતા હતા કે, “તેઓએ વસ્તુપાળ-તેજપાળની યાદ તાજી કરાવી છે.” ૧૮ દિવસમાં લગભગ ૨૫ કરોડ રૂપિયા ધર્મ ખાતે વાવીને સંઘવી પરિવારે લખલૂટ કમાણી કરી. ધન્ય છે તેમને !! વર્તમાનમાં આવા અનેક સંઘો નીકળી રહ્યા છે ત્યારે આપણે પણ સંકલ્પ કરીએ કે જ્યાં સુધી હું છ'રિ પાલિત સંઘ ન કાઢું ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ. દીકરાને શું બનાવશો? કુળદીપક કે શાસનદીપક? For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨. સિધ્ધાચલ શિખરે દીવો રે મૂળ કચ્છ લાયજાના હાલમાં ગોરેગામ મુંબઈ નિવાસી . ટોકરશીભાઈ અને બચુબેને આદીશ્વર પ્રભુના ચરણોમાં જાણે જીવન સમર્પિત કર્યું છે. અનેક આરાધનાઓ ઉપરાંત શત્રુંજય ગિરિરાજની તેમની આરાધનાઓ વાંચો. (૧) છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ૨૫ દિવસમાં ૯૯ યાત્રા કરી. - (૨) ૧૦૮ સળંગ અટ્ટમ કર્યા જેમાં દરેક અટ્ટમમાં ૧૫ યાત્રા કરી. (૩) વીસ સ્થાનક તપ દરમ્યાન ચારવાર ૯૯ યાત્રા કરી. (૪) વર્ષીતપમાં ૯૯ યાત્રા - ૧૧ વાર કરી. (૫) શત્રુંજય નદીમાં નહાવા સાથે ૩ ગાઉ કરવા પૂર્વક ૯ યાત્રા કરી. આ સિવાય પણ અનેક વિવિધતાસભર રીતે ૯૯ યાત્રા અત્યાર સુધીમાં કુલ ૨૨ થી પણ અધિક વાર કરી છે. આવા જ એક પરમ ભક્ત રાજુભાઈએ ૨૧ વાર ૯૯ યાત્રાનો સંકલ્પ કર્યો છે. હાલમાં ૧૭ કે ૧૮મી ચાલી રહી છે. ઉપર ચડતા જાય અને દિલના પુકારો ચાલો “સિધ્ધાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો રે,” નામ પડી ગયું રાજુભાઈ અલબેલા. પ્રજ્ઞાચક્ષુ રમેશભાઈએ પત્ની સાથે ૯૯ જાત્રા કરી. જેમાં ચોવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા પણ કરી. અમેરિકાના અરવિંદભાઈએ ૯૯ યાત્રા કરી જેમાં દરેક જિનબિંબો સમક્ષ નમુસ્કુર્ણ સૂત્રથી ભક્તિ કરી. ગિરિરાજના દરેક પગથિયે અષ્ટપ્રકારી પૂજા કરનારા ભાવિકો આત્માને ઉજ્જવળ બનાવી રહ્યા છે. સંતાન તમારા ક્રોધનું રીફલેક્ટર ન બને તે જોજો. Jain Educator international For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ – – (૬) કચ્છ ગોધરાના વયોવૃધ્ધ માજી લાચીમા એ બાવીસ વાર ૯૯ યાત્રા પૂર્ણ કરી છે. ૮૫ વર્ષની ઉંમરે સાત માસક્ષમણ દાદાની નિશ્રામાં પૂર્ણ કર્યા છે. જુનાગઢના ભદ્રિકભાઈએ પૌષધમાં આયંબિલની ઓળી કરવા પૂર્વક રોજ છગાઉની જાત્રા કરવા પૂર્વક ૯૯ યાત્રા પૂર્ણ કરી. છ ગાઉની જાત્રા કરી બપોરે ૨ વાગે આદપર ગામે પહોંચે ત્યાં જ મુકામ. બપોરે ૩-૩૦ વાગે આયંબિલ કરે. હાલમાં પાલિતાણા તીર્થમાં એકમ.સા.એ સળંગ છ મહિનાના ઉપવાસનું પારણું કર્યું. પાલીતાણામાં રાત્રિભોજન સંપૂર્ણ રીતે બંધ થાય તે માટે સુશ્રાવિકા કિંજલબેને સળંગ ૧૮૦ ઉપવાસ પૂર્ણ કર્યો છે. ભૂરીભૂરી અનુમોદના ! ચોવિહારો છઠ્ઠ કરી સાત યાત્રા ૧૦૮ વાર કરવાના સંકલ્પવાળા પુણ્યશાળીઓ પણ છે તો આખા ગિરિરાજના દરેક પગથિયે અનંતા સિદ્ધોને વંદન કરવા પૂર્વક ખમાસમણા આપનારા ત્રણ સાધ્વીજી ભગવંતો પણ છે. આવી તો અનેક વેરાયટીઓ સાથે ગિરિરાજની ભક્તિ અને જાત્રા કરનારામાં છેલ્લી આઈટમ હવે માણી લો. માટુંગાના કુમારપાળભાઈએ ૧૫-૧૭ મજુરોના મસ્તકે વિરાટ કદના ફળ - નૈવેદ્યના થાળ ભરાવ્યા. જરકશી જામા પહેર્યા. પગે ઘુઘરા બાંધ્યા. ચારેક મોતીના થાળ ભરાવ્યા. ચારેક થાળ પુષ્પોના ભરાવ્યા. અક્ષતોના થાળ સજાવ્યા. લાંબી ધૂપસળીઓ પ્રજવાળી સુગંધી અત્તરની ઝારીઓ ભરી. ગિરિરાજના ગુણગાન કરતા યાત્રા ચાલી, મોતીઓથી અક્ષતોથી ફૂલોથી ગિરિરાજને વધાવતા ગિરિરાજની જાત્રા પૂર્ણ કરી. દેવતાઓ કોના માલિકને નમે? સોનાના કે સદ્ગણોના? ) Jain Education mematura orfersorrar a Private use om www.jattelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ (૭) અનંત સિધ્ધની ભૂમિ સિધ્ધાચલ ને ક્રોડો પ્રણામ અને તેની ભક્તિ કરનારા ભાવિક ભક્તોની ભાવનાની ભુરી ભુરી અનુમોદના! વર્તમાનમાં ચોવિહારો છઠ્ઠ કરી સાત જાત્રા કરનારા અનેક ભાવિકોને એક વૃદ્ધ કાકા નો ચમત્કાર અનુભવાયો છે તેમ સાંભળ્યું છે. ખૂબ થાક લાગે, જાત્રા બાકી હોય, કાકા આવે, ટેકો આપે, ઉપર પહોંચાડે અને જ્યાં પાછળ જુવો કે કાકા ગાયબ! કોણ હશે એ કાકા? ચોવિહારો છઠ્ય કરી સાત જાત્રા કરી ત્રીજે ભવે મોક્ષનું રીઝર્વેશન કરાવી લેનારા અનેક ભાવિકોને તો ધન્યવાદ. સાથે તેમની વૈયાવચ્ચ કરનારા ભાવિકોને પણ ધન્યવાદ !! હાર્લમાં છઠ્ઠા વર્ષે પણ ઉનાળાના વેકેશનમાં મીની આરાધકોની ૯૯ યાત્રા સેંકડોની સંખ્યામાં ચાલુ હતી અને ચાલુ છે. છેલ્લા વર્ષોમાં ગિરિરાજની યાત્રાની રેકોર્ડબ્રેક આરાધનાઓની તેજી કુદકે ને ભુસકે આગળ વધી રહી છે. આગે-આગે દેખતે જાવ અભી તો બહુત રેકોર્ડ બ્રેક હોનેવાલે હૈ !! આ બધી વેરાયટીમાંથી તમને કઈ વેરાયટી લેવાની ઇચ્છા જાગી છે જરા કહેજો હોં !! ૩. એન્જીનીયરની ધર્મદઢતા અઢાર વર્ષનો એ યુવાન. નામ હતું એનું નીરવ, બારમા ધોરણમાં ખૂબ સારા માર્કે પાસ થઈને ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગમાં ભણતો હતો. પર્યુષણના દિવસોમાં અઠ્ઠાઈ કરવાની ભાવના જાગી. કેટલાકે કહ્યું કે થોડા દિવસ પહેલાં તને ઝેરી મેલરિયા થયો હતો અને હજી તો બહુ સારું થયું નથી અને તું અઠ્ઠાઈની વાત કરે છે. પરંતુ યુવાનની ભાવના જોરદાર. ભાવથી અઠ્ઠાઈ કરી. અઠ્ઠાઈ દરમ્યાન ઘણા ધર્મી શાતા પૂછવા આવે ત્યારે દીકરાને લાડથી લોર્ડ ન બનાવતા. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ – (૮). વાત કરતા કે અઠ્ઠાઈ પછી રાત્રે ન ખવાય. નીરવને ભાવના જાગી . કે પારણાના દિવસથી રાત્રિ ભોજન ત્યાગ કરીશ ! ખરેખર કર્યું. - એકાદ મહિના બાદ કોલેજના એક મિત્રને ત્યાં બર્થડે પાર્ટી હતી. કોલેજના છોકરા-છોકરીઓ બધા ભેગા થવાના હતા. રાત્રે જમવાનું હતું. નીરવ વિચારમાં પડ્યો કે હવે શું કરવું? પર્યુષણના એક મહિના પૂર્વે આવી જ એક પાર્ટીમાં બધાની સાથે રાત્રે જમ્યો હતો. હવે ના કેવી રીતે પાડવી? જવું તો પડશે જ. આ તો બધા કોલેજિયન યુવાન-યુવતિઓ. ચોવિહારની વાત કરીએ ને બધા મશ્કરી કરે કે આ વળી ધર્મનું પુછડું છે, વેદિયો છે. નીકળ્યા મોટા આ ઉંમરે ધર્મ કરવા.' - સવારથી ગડમથલ ચાલી કે પાર્ટીમાં જઈને જમવું કે ઘરે ચોવિહાર કરીને જવું? અંતે સાંજે ચાર વાગે ચોવિહારનો સંકલ્પ મક્કમતાથી ક્યો ! જમી ચોવિહારનું પચ્ચખાણ લઈને જ પાર્ટીમાં ગયો. પાર્ટી ચાલુ થઈ. થોડીક વારની વાતો બાદ જમવાનું શરૂ થયું. નીરવે ડીશ ના લીધી. બધાએ પૂછતાં કહ્યું કે મારે ચોવિહાર છે. અજૈન ભાઈબંધો પૂછે કે ચોવિહાર એટલે શું? સમજાવ્યું કે રાત્રે ના ખવાય. મનમાં તો ગભરાયો કે મશ્કરી કરવા માંડશે. પરંતુ ચોવિહાર ધર્મના પ્રભાવે એકાદ મિનીટ સામાન્ય પૂછતાછ કર્યા પછી બધા પોતાના જમવામાં પડી ગયા. જેની પાર્ટી હતી તે કહે કે પહેલાં જણાવ્યું હોત તો તને ચોવિહાર માટે વહેલો બોલાવત! અમને તો ખબર જ નહી. ચાલો, જે પણ ગણો, ચોવિહાર સચવાઈ ગયો. થોડાક સમય પછી પિતાજીના મિત્રને ઘરે પ્રસંગે સાંજે જવાનું થયુ. મિત્ર જૈન હતા એટલે ચોવિહાર કરનાર સહુને વહેલા - સંતાનના વકીલ નહિ વડીલ બનજો. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ બોલાવ્યા હતા. પરંતું બહારથી જે રસોઈ બનાવી લાવનાર હતો એ છેક સૂર્યાસ્તના ૧૫ મિનિટ પહેલા આવ્યો. નીરવે વિચાર્યું કે જો હવે જમવા બેસીશ તો સૂર્યાસ્ત થઈ જશે. ઘરે જઈ બે પવાલા પાણી પીધું અને ચોવિહારનું પચ્ચકખાણ કર્યું. પાછો ત્યાં ગયો. બધા કહે “ચાલ નીરવ, રસોઈ તૈયાર થઈ ગઈ, તારે ચોવિહાર નથી કરવાનો?” નીરવ કહે કે મારે ચોવિહાર થઈ ગયો. કેટલાક કહે કે જો હજી તો અજવાળું છે. આપણે હાથે કરીને થોડું મોડું કર્યું છે? ચાલ, ખાઈ લે. પણ નીરવે મક્કમતાપૂર્વક ન જ ખાધું, બી.ઈ. ઈલેક્ટ્રોનીક્સ ડીસ્ટીંક્શન સાથે પાસ થનાર નીરવે ધર્મમાં આગળ વધતાં દીક્ષા લીધી. શું આપણે પણ આ યુવાનની જેમ દઢતાપૂર્વક ચોવિહારાદિ આરાધના કરીશું ને ? ૪. યુગલોનાં આજીવન બ્રહાચર્ય વ્રત અનંત સિદ્ધોનું સ્થાન શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ૧૪ દેરાસરોના શિખરો ઉપર ૧૪ સુવર્ણકળશોની સ્થાપના-પ્રતિષ્ઠા કરવાની હતી. આ કળશોની પ્રતિષ્ઠા રૂપિયાની બોલીથી નહીં પણ જે યુવાન યુગલો આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરે તેમના હાથે કરવાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નક્કી કર્યું !! જાહેરાત થઈ. ૧૪ યુવાન યુગલોને બદલે ૨૨ યુવાન યુગલોએ ચૈત્ર સુદ પૂનમને દિવસે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરી પ્રતિષ્ઠા કરી!! આમાંના ૨૪ વર્ષીય મુંબઈના એક યુવાન યુગલના લગ્ન ૨ મહિના પહેલા થયા હતા. હવે તેઓ આજીવન ભાઈ-બહેનની જેમ રહેશે!તેમના આ મહાન ત્યાગને લાખ લાખ ધન્યવાદ. બ્રહ્મચર્યવ્રત માટે શાસ્ત્રો કહે છે કે – “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો.” પ્રભુ ફરમાવે છે કે એક જ વાર મૈથુનસેવનથી સંતાનના સુસંસ્કારની માવજત કરે તે માવતર. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આપણા જેવા પંચેન્દ્રિય જીવો ૨ લાખ થી માંડી ૯ લાખ સુધીની સંખ્યામાં જન્મ લે છે. જેમાંથી એક કે બે – ચાર જીવે અને બાકીના બધા માતાના પેટમાં જ ગણતરીની પળોમાં મોતને ભેટે છે. શું લાખોની સંખ્યામાં આપણા જેવા મનુષ્યના જીવાત્માઓની હિંસાનું પાપ અને ભાવિમાં તેનું દુઃખ વેઠવા તૈયાર છીએ ? ૫. ભાવે ભાવના ભાવીએ પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીની ૧૬મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે વિ.સં.૨૦૬૫માં ૧૯૪ થી ૨૬/૪, પાંચમી અષ્ટદિવસીય શિબિરનું આયોજન ગોઠવાયું. બબલપુરા તીર્થ, દહેગામ પાસે નિર્માણ પામ્યું છે. અનેક મીની શ્રાવકોએ વિવિધ આરાધના કરી, વિવિધ નિયમો લીધા, પાલડીનો ૧૮ વર્ષીય યુવાન પ્રથમવાર શિબિરમાં આવ્યો અને એ યુવાને લીધેલા નિયમો અનુમોદનીય છે. કુમારપાળ રાજાની આરતીનો ચડાવો ૫૦૦૧ બિયાસણામાં લીધો. જેમાંથી હાલ આશરે ૮૦૦ થી અધિક બિયાસણા જેટલો તપ પૂર્ણ કર્યો છે. સાથે રોજ દવા અને પાણી સિવાય વધુમાં વધુ ૭ દ્રવ્ય વાપરવાનો નિયમ ૫ વર્ષ માટે લીધો, જે આજે પણ સુંદર રીતે પાળે છે. વીશ વિહરમાન પ્રભુને યાદ કરી રોજ ૨૦ ખમાસમણા આપવાનો નિયમ ૧૫ વર્ષ માટે લીધો. આ જ યુવાને વિ.સં.૨૦૬૬ કલિકુંડ તીર્થશિબિરમાં કુમારપાળ રાજાની આરતીનો ચડાવો ૧૨ વર્ષના ચોવિહારના નિયમથી લીધો ! પૂ.આ.શ્રીની સ્વર્ગવાસ તિથિના દિવસે સાંજે ટગમગતા દીવડાઓ સહુના હાથમાં હતાં. કુમારપાળ રાજાની ભવ્ય આરતી સહુ યુવાનોએ ભાવપૂર્વક ઉતારી. જેના પ્રભાવે આરતી બાદ સંતાનને મવાલી બનાવતા અટકાવે તે વાલી. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ – (૧૧) અનેક ચમત્કારો સહુને અનુભવાયા ! જેમાંથી કેટલાક નીચે મુજબ છે. (૧) આદિનાથ પ્રભુની આંખોમાંથી અમીઝરણા થયાં. (૨) મૂળનાયક શ્રી સિમંધરસ્વામીના માથા પર રહેલા પ ૭ ફૂલો સ્વયં પ્રભુના ખોળામાં પડ્યા. (૩) રાત્રે ૧ વાગ્યા સુધી પ્રભુજીની આંખો ફરતી હતી. (૪) બધા પ્રભુજીની આંખોના ખૂણા ગુલાબી તથા ગાલ હસતાં દેખાવા લાગ્યા. (૫) આદિનાથ પ્રભુની આંખો નાની મોટી થતી હતી. (૬) ઘંટનું લોલક દિવસો સુધી જાતે જ હલ્યા કરતું હતું. ખરેખર આજે પણ અધિષ્ઠાયક દેવો આપણી ઉત્તમ ભાવનાનો પ્રભાવ બતાવતા હોય છે. ૬. ધર્મીનું વસિયતનામું પાલડીના એ પુણ્યશાળીએ વીલ બનાવ્યું. જેમાં લખ્યું છે કે મારી હયાતિ બાદ મારી મૂડી વ્યાજે મૂકી તેના વ્યાજની રકમ મારા વારસદારોને ધાર્મિક આરાધના કરે તે પ્રમાણે મળે. હેય છોડવા જેવું) દા.ત. રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ, બરફ, આઈસ્ક્રીમ ત્યાગ, ટીવી ત્યાગ, ઉભટ વેષ ત્યાગ વગેરે અને ઉપાય કરવા જેવું, દર્શન, પૂજા, પ્રતિક્રમણ, તપ, સ્વાધ્યાય વગેરે લગભગ ત્રીસેક આરાધના સામે તેની વાર્ષિક બહુમાનની રકમ નોંધી છે. વર્ષમાં બે વખત પરિવાર મિલન, જમણ સાથે બહુમાનપૂર્વક આ બહુમાનની રકમની વહેંચણી કરવી! આને કહેવાય ધર્મી આત્માનું વસિયતનામું. સંતાનને અધિકારોમાં નહી ફરજોમાં જાગૃત કરજો. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૭. ઉવસગ્ગહરં સ્તોત્રનો પ્રભાવ લગભગ આજથી બારેક વર્ષ પૂર્વે થાણાના એક શ્રાવિકા બેનને કાનની નીચેના ભાગમાં મોટી ગાંઠ થઈ હતી. દુ:ખાવો અસહ્ય, મોઢું ફરે પણ નહીં. થૂંક પણ નીચે ઉતારે તો દુઃખે. તેથી મલાડમાં મોટા ડૉ. ને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશનનો ટાઈમ ત્રણ દિવસ પછીનો આપ્યો. તે પહેલાં બે ત્રણ ટેસ્ટ કરવાનાં કહ્યા. ઓપરેશનનાં નામ માત્રથી બેન ગભરાઈ ગયા. તરત દવાખાનેથી સીધા દેરાસર ગયા. પ્રભુને વંદન કરી નમન (પ્રક્ષાલ) હાથમાં લઈ ઉવસ્સગ્ગહરં સ્તોત્ર ત્રણ વાર ગણી નમન વાળો હાથ જ્યાં ગાંઠ થઈ હતી ત્યાં ફેરવ્યો. ત્રણ દિવસ સળંગ આવી રીતે કરી ત્રીજા દિવસે દેરાસરથી સીધા દવાખાને દાખલ થવા ગયા અને ડૉ. ને બતાવ્યું. બેનને દર્દમાં પણ ફાયદો થયો હતો, ગાંઠ પણ મામૂલી જેવી જ દેખાતી હતી. ડૉ. એ આજે ગાંઠના રીપોર્ટ કરાવ્યા અને રીપોર્ટ જોઈને કહ્યું કે બેન, કે રિપોર્ટ નોર્મલ છે. ને ગાંઠ પણ બેસી ગઈ છે ! ઓપરેશનની જરૂર નથી. તમે ઘરે જાઓ. બેન ખૂબ જ ખુશ થઈ ગયા. પૂર્વે આજ બેનને ડાબા હાથના કાંડામાં ગાંઠ થઈ હતી ને તે પણ આ જ રીતે મંત્રજાપથી દૂર થઈ હતી ! વર્તમાનમાં નવકાર + ઉવસગ્ગહરંનો ૨૭ કે ૪૧ વાર જાપ કરી એનું પાણી પીવાથી કે લગાવવાથી ઘણાને સારું થયાનું સાંભળેલ છે. ૮. જય હો અહિંસા ધર્મનો ! શાહ પ્રભાવતીબેન ચિનુભાઈ શાહ, હાલ ઉંમર-૮૮ વર્ષ, હાલ કાંદીવલી (વેસ્ટ) મુંબઈ ૨હે છે. ઈ.સ. ૨૦૦૧ની સાલમાં તેઓ બિમાર પડયા. બિમારી ભયંકર. ડૉક્ટર કહે, “૧૦૦ સંતાનને આપવાનો પ્રેમ અને સમય, પૈસામાં ન આંકશો. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૩). દર્દીમાંથી માત્ર ૧ જીવી શકે એવો આ ભયંકર જીવલેણ રોગ છે. હું એમની ટ્રીટમેન્ટ કરું છું. પણ સૌથી છેલ્લા પરિણામ માટે તમો તૈયાર રહેજો.” પ્રભાવતીબેન ખૂબ ધર્મી અને એમના પુત્રો પણ ખૂબ વિવેકી. ધર્મમાર્ગ સમજેલા. એમણે દવા સાથે જ દરરોજ એક જીવને અભયદાન આપવાનું શરૂ કર્યું. ૪૦ દિવસ રોજ એક જીવ બચાવવાનું ચાલુ રાખ્યું! ૨૧ દિવસ સુધી પાણીના ટીપા વગર રહેલા પ્રભાવતીબેનને પછીથી જીવોની જાણે દુઆ મળી. ૪૦ દિવસમાં તેઓ તંદુરસ્તી તરફ જવા લાગ્યા અને ક્રમશઃ સંપૂર્ણ તંદુરસ્ત બન્યા. આજે ૮૮ વર્ષે પણ તેઓ ધર્મારાધનામાં ખૂબ દિલચસ્પી ધરાવે છે. અહિંસા પરમો ધર્મની જય હો ! પ્રભુએ “જીવદયા ધર્મ સાર કહ્યું છે. શરીરમાં આવનાર બધા રોગોનું મૂળ કારણ જીવહિંસા છે. જીવદયાનું પાલન નિરોગી શરીરથી માંડી મોક્ષ સુધી પહોંચાડે છે. આપણે પણ જીવદયા પાળી જીવોની દુવા લેવાનો સંકલ્પ કરીએ ! ૯. ગાય બની દેવ દ્રૌપદીબેનના જીવનમાં બનેલી ઘટના એમના જ શબ્દોમાં વાંચીએ. સંવત ૨૦૨૮માં જબલપુરમાં બનેલી આ ઘટના છે. બપોરે દોઢ ' . ' મારા ઘરનાં કંપાઉન્ડમાં એક અજાણી ગાય બિમાર થઈને પડી. મેં એને ઘાસ પાણી આપ્યું. પણ મને એની સ્થિતિ સારી ન લાગી. તેથી તેની નજીક જઈ તેના કાનમાં નવકારમંત્ર સંભળાવવા શરૂ કર્યા. સાંભળતા એને કંઈક શાંતિ મળતી હોય એમ લાગ્યું. મને જોઈને તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. તેથી આખો દિવસ જતા-આવતાં લાગણીપૂર્વક એને નવકારમંત્ર સંભળાવતી રહી ! સાંજે ફરી એની પાસે બેસી નવકારમંત્ર ચાલુ કર્યો અને ગાય પણ જાણે પૂર્ણ શ્રધ્ધાપૂર્વક દીકરાની કરીયર કે કેરેક્ટર, શું ઉંચુ બનાવશો? For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૪) એકીટસે મારી સામું જોઈને પીડામાં પણ પ્રેમથી સાંભળતી રહી! મેં તેને સાગારિક અણસણ કરાવી સિદ્ધગિરિનું શરણુ આપ્યું. તથા તેની યાત્રા કરવાની પ્રેરણા કરી. અંતે નવકાર મંત્ર સાંભળતા એનું પ્રાણ પંખેરું ઊડી ગયું. પ્રિય સ્વજનની માફક મેં તેને ખાડામાં દફનાવી માટી તથા ૫ કિલો મીઠું તેના પર નાંખ્યું. છ મહિના પછી મારા પતિ અચાનક બિમાર પડયા. રાત્રે હું સૂતી હતી. તો મને એકદમ દિવ્ય પ્રકાશ દેખાયો. પહેલાં હું થોડી ડરી ગઈ. પણ નવકારનું સ્મરણ કરતાં થોડી મક્કમતા આવી. મેં હિંમત કરી પૂછ્યું “તમે કોણ છો ? આ પ્રકાશ શાનો છે? મને સમજાતું નથી.” ત્યાં જ એ પ્રકાશપુંજમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ અને કહ્યું, ‘મને ન ઓળખી ? હું તને મદદ કરવા આવી છું? એમ કહી ગાયનું રૂપ લીધું અને કહ્યું કે તેં મને નવકારમંત્ર સંભળાવ્યો, તેના પ્રભાવે હું દેવી થઈ છું... મેં કંઈ પણ માંગણી ન કરી. છતાં દેવીએ કહ્યું તારા પતિને કાલે સવારે ૯ વાગે ઊંઘવા દેજે. સાજા થઈ જશે. એમ જ બન્યું. સવારના ૯ થી સાંજના ૫ સુધી ઊંઘતા જ રહ્યા. તબિયત સારી થઈ ગઈ. પતિને પણ શ્રધ્ધા બેઠી. સં.૨૦૪૧માં પોષ મહિનામાં પુનઃ દેવીએ સ્વપ્નમાં કહ્યું કે તમારા સંતાનને મહાકષ્ટ આવવાનું છે. સંભાળજો. મારા બંને પુત્રોને બે દિવસ ઘરમાં રોકી રાખ્યા. કોલેજ પણ ન જવા દીધા. બે દિવસમાં સમાચાર આવ્યા કે મારી અમદાવાદ રહેતી પુત્રી આશા છાપરા પરથી પડી ગઈ છે. સીરીયસ છે, સૌ અમદાવાદ ગયા. સંકટ જાણી દેવીને યાદ કર્યા. બચાવવા વિનંતી કરી પણ તેમણે કહ્યું કે તેનું આયુષ્ય ટૂંકુ હોવાથી બચાવવાની મારી શક્તિ ડુંગળી ખાનારના ભાવિ ભવની કુંડળી ખૂબ ખરાબ છે. For Personal & Private Use Only Jain Education international www.janelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ - (૧૫) – નથી. તમારી પુત્રી બુધવારે સવારે ૯ વાગે મૃત્યુ પામશે. અંતિમ ઘડી નજીક જાણી, આશાને અંતિમ આરાધના કરાવવામાં સગાવહાલાનો ઘણો જ વિરોધ, કડવા વચનો સાંભળવા પડ્યાં. પણ આત્માની ગતિનો પ્રશ્ન હતો ત્યારે એ વિરોધને કેમ ગણકારાય? અને સાચ્ચે જ આશાએ સવારે ૯ ને ૫ મિનિટે નવકાર શ્રવણ કરતાં કરતાં દેહત્યાગ કર્યો. તેના ચક્ષુદાન કરવાની સંમતિ તેની પાસેથી મેળવી લીધી હતી અને તે મુજબ ચક્ષુદાન કર્યું.. આ રીતે અકાળે પુત્રીનું અવસાન થવાથી મન શોકમગ્ન રહ્યા કરતું હતું. ત્યારે એક રાત્રે ફરી દેવીએ સ્વપ્નમાં કહ્યું “ચિંતા ન કરો. નવકાર મંત્રના પ્રભાવે તમારી પુત્રીની સદ્ગતિ થઈ છે'. મેં મારી પુત્રીનાં દર્શન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે દેવીએ એક દિવસ મારી પુત્રી કે જે પણ નવકાર શ્રવણના પ્રભાવે દેવી થઈ છે, તેનાં મને દર્શન કરાવ્યાં. એટલું જ નહિ પણ તેના ચક્ષુ જે વ્યક્તિને આપવામાં આવ્યા હતાં, તેના પણ દર્શન કરાવ્યાં. તેથી મને ખૂબ સંતોષ થયો. તે દેવીએ પોતાની પાસેથી ધન વિગેરે કાંઈ પણ માંગવા માટે અનેક વખત મને આગ્રહ કર્યો છે. પણ મેં હજી સુધી તેની પાસેથી તેવું કાંઈ પણ માંગ્યું નથી. ખરેખર આ ઘટનાથી નવકાર પ્રત્યેની મારી શ્રધ્ધા એકદમ દઢ બની ગઈ છે. સહુ કોઈ શ્રધ્ધાપૂર્વક નવકારમંત્રની આરાધના કરી પોતાનું આત્મકલ્યાણ સાધો એજ શુભ ભાવના ! ૧૦. પ્રચંડ સત્ત્વ ચાર કર્મગ્રંથથી પણ અકિઅભ્યાસ કરી રહેલનડિયાદનો અમીત મોતા પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં પાંચ ( દુઃખનું સ્મરણ એટલું ન કરશો કે સુખનું મરણ થઈ જાય. ) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૬) દિવસીય શિબિરમાં ગોધાવી તીર્થમાં ગયો હતો. બપોરે ઉપકરણ વંદનાવલીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. સવારથી એની ઈચ્છા હતી કે ગમે તેવો કપરો નિયમ આવે પણ મારે જ્ઞાનની પોથી તો લેવી જ છે. તેથી તીર્થમાં મહાવીર સ્વામી દાદાની પ્રતિમા પાસે ઉભા ઉભા પ્રાર્થના કરી કે “દાદા ! ગમે તે થાય પણ મને તમારા શાસનનું મૂલ્યવાન ઘરેણું સમાન પોથી મળો.” નિયમમાં ગાથાનો નિયમનો ચડાવો આવ્યો અને ૨ વર્ષમાં ૨૩૦૦ નવી ગાથાનો નિયમ લીધો. એ જ દિવસે સાંજે શ્રી કુમારપાળ મહારાજાની આરતીનું આયોજન કરવામાં આવ્યું. નિયમ હતો રાત્રિભોજન ત્યાગ. એક શરૂઆત થઈ ૮ માસના નિયમથી.અમીતે ર વર્ષ કહ્યું. ત્યારે એક શિબિરાર્થીએ ૧૦ વર્ષનો કુદકો બાજી ફેરવી નાખી. અમીત વિચારમાં પડી ગયો. અઢાર દેશમાં અમારી પ્રવર્તન કરાવનાર અને પ્રભુના પરમભક્ત એવા કુમારપાલ રાજા બનવાનો લાભ એમ થોડો જવા દેવાય. છેવટે અમીતે હિંમતથી આજીવન તિવિહાર કહી ચડાવો લઈ આરતી ઉતારી પણ ... પછી અમીતને યાદ આવ્યું કે ઘરે તો પૂછયું જ નથી. શું કરું? ત્યારે ફરી શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શરણું યાદ આવ્યું. પ્રભુ વીરને રડતાં રડતાં એટલી પ્રાર્થના કરી કે હે પ્રભુ ! ઘરના બધા નિયમ પૂર્ણ કરવામાં સાથ આપે. જો આમ થશે તો હું રોજની ત્રણ બાંધી નવકારવાળી ગણીશ. ઘેર આવતાં તો ચમત્કાર થઈ ગયો. ઘરે મમ્મી-પપ્પાના ચહેરા પર ખુશી છલકાતી હતી. પપ્પાએ અમીતને ખૂબ જ સારી રીતે ગળે લગાડ્યો અને કહ્યું કે શાબાશ બેટા ! જે પાપ હું નથી છોડી શક્યો તે પાપ તે જિંદગીભર માટે છોડ્યું. ધન્યવાદ ! ધન્યવાદ ! બેટા ! હિંમતપૂર્વક નિયમ લીધો છે તો સત્ત્વથી સંસારમાં સમસ્યા છે એમ નહિ સંસાર જ સમસ્યા છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ – (૧) જિંદગીભર પાળજે. મારા તને આશીર્વાદ છે. ધન્યવાદ છે એના માતા-પિતાને !! કેવા ઉત્તમ સંસ્કાર આપ્યા હશે !! - હે વાચકો ! તમે પણ તમારું સંતાન આવી આરાધના કરે તો રાજી થશો ને? આગળ વધારશો ને? ૧૧. બાળકોનો કેશલોચ બોરીવલી (મુંબઈ)ના દોલતનગરમાં આશરે ૩ વર્ષ પૂર્વે પૂ. શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીના સમુદાયવર્તી પૂ.પં. શ્રી રાજહંસવિ. ચાતુર્માસમાં બિરાજમાન હતા. તેમણે વ્યાખ્યાનમાં પ્રેરણા કરી કે “શ્રાવકે પણ કર્મક્ષય માટે લોચનું કષ્ટ સહવું જોઈએ.” આવી પ્રેરણા પામી લગભગ ૧૫૦ જેટલા આરાધકોએ કેશલોચ કરાવ્યો ! જેમાં ૧૦ જેટલા બાળકો ૮થી ૧૫ વર્ષની ઉંમરના હતા. ધન્ય છે આ નાના બાળકોની સહનશીલતાને ! ધન્ય છે લોચની પ્રેરણા કરનારને ! ૧૨. પ્રાણો સે ભી પ્યારા હૈ દહેગામનો કેવલ. ઉંમર ૧૪ વર્ષની આસપાસ. જૈન આદર્શ પ્રસંગો વાંચ્યા બાદ ૯ લાખ નવકાર ગણવાના શરૂ કર્યા. એની ભાવના એના શબ્દોમાં વાંચીએ. મારી શાળા ખ્રિસ્તી છે. મારી શાળામાં જ્યારે ખ્રિસ્તીઓની પ્રાર્થના શરૂ થાય ત્યારે હું મનમાં નવકાર ગણવા માંગું છું. પરંતું કોઈ વાર મારો અવાજ નવકાર બોલતા બોલતા વધી જાય અને જ્યારે ટીચર ને ખબર પડે ત્યારે મને અચુક પનીશમેન્ટ મળે છે. પરંતુ હું સમતાભાવે તથા ખુશીથી તેને સહન કરું છું. કારણકે પનીશમેન્ટ' કરતાં નવકાર મારે માટે અગત્યનો છે. તમારા સંતાનો કઈ સ્કુલમાં ભણે છે? વાનગીઓ જોઈને જીભમાંથી પાણી છૂટે કે આંખમાંથી? • For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ------ (૧૮) ૧૩. અજબ ગજબની દયા વની ભગત કોઠારીયા ગામમાં રહે. કોઠારીયા વઢવાણથી ૮ કિ.મી. છે. ભગત ખૂબ જ દયાળુ છે. આવકમાં વધતી રકમના રોટલા કરી ભૂખ્યા માણસો, પશુઓને ખવરાવે. મનમાં ભાવો ઉછળે કે હે પ્રભુ! ઘણા બધા દુઃખી છે. ક્યારે બધાના દુઃખ દૂર કરીશ. એક સાધારણ માણસ દિલનો કેવો અમીર છે કે બધી આવક ખર્ચી નાખીશ તો કાલે શું ખાઈશ! એની પણ ચિંતા કરતો નથી. અમેરિકા રહેતા તેમના ભાઈએ પોતાની સાથે અમેરિકા રહેવાનું કહ્યું તો ભગતજી કહે “દુઃખીઓને સહાય કરવામાં મને અહીં અદ્ભુત સુખ અને શાંતિ મળે છે ! અમેરિકામાં આવી શાંતિ ન મળે. તમે પણ આવા કામ કરી શાંતિ મેળવો.” ભાઈને વાત બેઠી નહીં. અમેરિકા પાછો જતો રહ્યો. એક વાર ભાવ થતાં ભાઈએ અમેરિકાથી દુઃખીઓ માટે પૈસા મોકલ્યા. દુઃખીની દુઆથી તેને શાંતિ મળી !! તેથી લાખો રૂપિયા મોકલવા લાગ્યા. દર વર્ષે મોકલે. લગભગ ૮ વર્ષ પહેલાં ત્રિવર્ષીય દુકાળ પડ્યો. પશુઓ ભૂખે મરતાં. દયાથી આ ભગતજી ઉધાર ઘાસ લાવ્યા. પૈસા ક્યાંથી ચુકવવા? પણ ભગતજીની શુભ ભાવનાથી ચમત્કાર થયો. ત્યાં એક અજાણ્યો માણસ મોટી રકમનું દાન આપી ગયો! તે ભગતજી ત્યાં કાયમી અન્નક્ષેત્ર ચલાવે છે. નામ છે “રામ રોટી અન્નક્ષેત્ર.' રોજ ૪ હજાર રોટલા બનાવીને આજુબાજુના ગામમાં પણ ભૂખ્યા માનવી તથા પશુઓ માટે રોટલા મોકલે. પક્ષી તથા કીડીઓને પણ રોટલાનો ચુરો ખાંડ ભેળવીને ખવરાવે ! આવું ઉત્તમ કામ સાક્ષાત્ જોઈ એક દરબારે પોતાના ખર્ચે બધાને શાક આપવા કહ્યું. સુરેન્દ્રનગરના એક શેમાં રસ છે? પ્રધાન બનવામાં કે પ્રદાન કરવામાં? For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ – (૧૯) ભાવિક ગોળનો ખર્ચો રોજ આપવા માંડ્યો. શાક અને ગોળ મફત ખવડાવે. રોજ ૨૦૦૦ માણસોને છાશ મફત આપે. વિહારમાં સાધુ-સાધ્વીજી ત્યાં આવે તેમને પણ જોઈએ તેટલું ભાવથી ભગતજી વહોરાવે! ગામમાં જૈન ઘરો નથી પણ સાધુઓને ગોચરી નિર્દોષ મળી જાય. સંસ્થામાં જૈનોને ટ્રસ્ટી બનાવ્યા છે. એક ગરીબ માણસ પણ એકલે હાથે શુભ સંકલ્પ બળે કેવો ચમત્કાર સર્જી શકે છે એ આ પ્રસંગમાંથી જાણી તમે બધા યથાશક્તિ દુઃખીઓને મદદ કરો અને એવું પુણ્ય કમાવો કે ક્યારેય તમારે દુઃખી ન થવું પડે. ભગતજીની જેમ તમે કદાચ બધી આવક આવા કામમાં ન ખર્ચો તો પણ “મારે વાર્ષિક આવકમાંથી અમુક ટકા આવાસત્કાર્યમાં વાપરવા એવું નક્કી કરી ધનનો સદુપયોગનું મહાન પુણ્ય મેળવો એ શુભેચ્છા. ૧૪. હનું છોડે તે રામ બીનલબેન લખે છે કે આ જ મારા લગ્નને ૧૭ વર્ષ થયા. હું મારા સાસરામાં પરણીને આવી કે તરત મારા માથે ચાર માબાપની દાદા-દાદી, સાસુ-સસરાની જવાબદારી આવી પડી. એમાં દાદા-દાદીના તો સંડાસ-બાથરૂમ, એકના ૪ મહિના અને એકના ૫ વર્ષ મેં કર્યા. દાદી મર્યા ત્યારે એમની બંગડી તેમણે નવી જ કરાવી હતી જે મને આપવાનું કહ્યું હતું. પણ સાસુએ તે મારી નણંદને આપી દીધી. દાદા-દાદીના વખતમાં મને ઘરેણાં દાગીના પહેરવા દાદાજી આપતા પણ મારા સાસુને ન ગમે. તો આજ સુધી મને નથી આપતા. પોતે પહેરવા ન આપે અને બહાર કહે એ કાંઈ પહેરતી નથી. ત્યારે દુઃખ થતું. ઘણીવાર ઝઘડીને પહેરું. જૈન આદર્શ પ્રસંગો ભાગ ૭ નો પ્રસંગ ૨૩ માં હકનું છોડે તે રામ ( દીકરાને શ્રમણ ન બનાવી શકો તો શ્રવણ તો બનાવજો જ. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ –– – (૨૦) – પ્રસંગ વાંચ્યા પછી હવે આ બધાનો ત્યાગ મનથી કરી દીધો. મારા ઘરેથી શ્રાવક પણ કહે કે પિતાજી આપણને આ ઘર-દાગીના કાંઈ નહિ આપે. તો હવે મને દાગીના કે ઘર પર મોહ નથી રહ્યો. ખરેખર આ પ્રસંગે જ મારું મન બદલ્યું છે. હવે મનમાં પ્રસન્નતા આવી ગઈ છે. મને મારા પિયરથી આપેલા દાગીનામાં જ સંતોષ થઈ ગયો છે. મનમાં કોઈપણ જાતનો ખચકાટ નથી. ખરેખર હકનું છોડીને કરેલા ત્યાગમાં આટલો બધો આનંદ આવે છે તે અનુભવ આજે આશ્ચર્ય પેદા કરે છે. ૧૫. જિનાજ્ઞાપાલન જ સુખદાયક સ્વીટીબેન, ભાયંદર જણાવે છે કે બાળપણથી ચોવિહાર કરું છું. પરણીને સાસરે ગયા પછી પણ ચોવિહાર ચાલુ રાખ્યા હતા. પ્રેગનન્સી દરમિયાન શારીરિક કમજોરીના કારણે રાત્રે દુધ લેવાની અને આહારમાં ગાજર, બીટનો જ્યુસ લેવાની ડૉક્ટરે સલાહ આપી હતી. કંદમૂળ ક્યારેય પણ ઘરે લાવ્યા ન હતા. એ વખતે આ જ પુસ્તકના ભાગ ૧થી ૭ વાંચવા માટે કોઈકે આપ્યા. ખાવું ન ખાવું દુવિધામાં ફસાયેલું મન પાછું મલ્મ થયું હતું. કંદમૂળ તો ન જ લીધું પણ નવ મહિના મક્કમતાથી ચોવિહાર પાળ્યા ! ડીલીવરીના દિવસે રાત્રે સાડા બાર વાગ્યે ડીલીવરી થઈ, છતાં કશું જ ન ખાતા એ દિવસે પણ ચોવિહાર કર્યો, જે આજે દીકરો અઢી વર્ષનો થયો ત્યારે પણ ચાલુ છે. હવે પછી જીવનમાં ગમે તેવી આપત્તિઓમાં પણ પ્રભુની આજ્ઞાને જ મુખ્ય કરી મારે આ માનવભવ સફળ કરવો છે. તમે સહુ પણ મારી જેમ જિનાજ્ઞાનું પાલન કરતા જ હશો ને !! વેવિશાળ પૂર્વે દિલ વિશાળ બનાવવું જરૂરી છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ – (૨૧) ૧૬. જપો નવાર પંકજ સોસાયટી, અમદાવાદ સ્થિત પ્રબોધભાઈ માસ્તરના જીવનમાં અનુભવાયેલ નવકાર મહામંત્રનો પ્રભાવ તેમના જ શબ્દોમાં વાંચો. મારે સ્કુટરનો એક્સીડન્ટ થયેલો. તેમાં પગનું ઉપર નીચેનું બંને પડ ચીરાઈ ગયેલું. ઓપરેશન બે વખત કરાવવા છતાં મચ્યું નહિ અને પગમાં પરું થઈ ગયું. પગ કપાવવો પડે તેવું ડૉક્ટરનું જજમેન્ટ આવી ગયું. છેવટે મને આ.શ્રી ભંદ્રકરસૂરીશ્વરજીના શિષ્ય પં.શ્રી નરરત્ન વિજયજીએ કહ્યું કે તમે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણશો તો પગ પાવો નહીં પડે. તેમના કહેવાથી મેં રોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી શરૂ કરી. છ માસ પછી પગમાંથી પરૂ થવાનું બંધ થઈ ગયું અને કશું જ કપાવવું ના પડ્યું! અને આજે લગભગ ચારમાસથી હું સેવા પૂજા કરતો થઈ ગયો. પગમાં બિલકુલ સારૂં એની મેળે દવા વિના થઈ ગયું છે. આજે પ્રબોધભાઈએ અનુભવેલ બીજો પ્રસંગ વાંચો. મને એક આંખમાં બહુ જ દુઃખાવો થતો હતો. તેથી હું એક ડોકટરને ત્યાં ગયો. તે ડૉક્ટરથી ભૂલથી આંખમાં ઓજાર વાગી ગયું. લોહી નીકળ્યું. ડૉક્ટર શરમીંદો બની ગયો. આથી હું ડૉશ્રેણીક શાહને બતાવવા ગયો. ૧૦ દિવસ સુધી મારી આંખે પાટા બાંધી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરી. છેવટે તે પણ છુટી પડ્યા કે આંખ જતી રહે તેવું લાગે છે. મેં બધાં ઉપાયો કર્યા છે તે છતાં મટતું નથી. હોસ્પિટલમાંથી રજા આપી. કાંઈ ફાયદો ન થયો. છેવટે હું શંખેશ્વર ગયો અને પરમાત્માને વિનંતી કરી કે દાદા ! હું આપની ભક્તિ તથા ધર્મ ધ્યાન, પ્રતિક્રમણ આદિ સારી રીતે કરી જોબ નામે એક મોજ કે બોજ? For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ––––– (૨૨) – શકું તે માટે મને આંખો આપ. મારી વિનંતી સ્વીકારી મારી આંખ સારી કરી આપશો. ત્યાંથી ઘરે ગયો અને એક અઠવાડિયા બાદ તેજ આંખે સારી રીતે દેખતો થઈ ગયો ! યાદ રાખજો કે જબ કોઈ નહીં આતા તો મેરે દાદા આતે હૈં!! ૧૭. ખમીરવંતો (અ) જૈન સંગીતકાર શેઠ શ્રી બકુભાઈ મણિલાલના ગૃહજિનાલયમાં દર્શન સ્નાત્ર મંડળ વર્ષોથી સ્નાત્ર ભણાવતું હતું. તેના સભ્યોની સાથે ઢોલક વગાડનાર મુકુન્દભાઈ મહંત. વર્ષોથી આજે પણ પ્રભુપૂજાઓ ભણાવતા ખૂબ ભક્તિ કરી રહ્યા છે. પાર્ટી કે સંઘ જે કાંઈ પૈસા ચૂકવે તેમાંથી ૧૫%રકમ તુરંત અલગ મુકી દે, જેમાંથી જીવદયા, માનવ રાહત, સમાજના શુભ કાર્યોમાં લાભ લે. અભ્યાસ માટે ફી તથા પુસ્તકોની મદદ પણ કરે છે. પોતાના સાથીદારોને પણ જરૂર પડે તો તુરંત ખચકાટ વગર મદદ કરે. કેટલાકને અનાજ પૂરું પાડે છે. સંકલ્પથી અમુક પ્રોગ્રામો થયા બાદ સ્ટાફને સપરિવાર શત્રુંજય અને શંખેશ્વર જેવી તીર્થની જાત્રા કરાવી છે. પૂજાઓ ભણાવતા જાય, સમજાવતા જાય, ખૂબ ભાવવિભોર બની જાય. શાસ્ત્રીય સંગીત પર ખૂબ સારી પકડ છે. અજૈન છતાં જૈનોની પૂજાઓ ભણાવનારા આવા સંગીતકારોની ઉત્તમ ભાવનાઓની ભૂરી ભૂરી અનુમોદના !! ૧૮. સમાધિલક્ષ્મીની પ્રાપ્તિ અમદાવાદ કૃષ્ણનગરના એ પુન્યશાળી રોજ વ્યાખ્યાનમાં સમય પૂર્વે આવે. સામાન્યથી બે સામાયિક કરે. સાધુ-સાધ્વીજી શરીરની નિર્બળતા કરતાં આત્માની નિર્મળતા વધુ જરૂરી છે. - T-star-ause IST Jain Educator international Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૩) વૈયાવચ્ચના કાર્યો ખૂબ કરે, ઉત્સાહપૂર્વક કરે. વર્તમાનના જીવોની દૃષ્ટિએ સમ્યજ્ઞાન પણ ખૂબ સારું. મેં એક વાર પૂછ્યું કે તમારી દુકાન કેટલા વાગે ખોલો છો ? મને કહે કે લગભગ દસ વાગ્યાની આસપાસ. મેં કહ્યું “એ વખતે તમે તો અહીં વ્યાખ્યાનમાં હોવ છો તો દુકાને કોણ ?’” મને કહે કે એ તો માણસ રાખેલો છે. હું અગિયાર વાગ્યાની આસપાસ જઉં. મેં કહ્યું “પણ તમે દુકાને ના હોવ અને ગ્રાહક આવે, પૈસા આડાઅવળા થાય, કદાચ રાખેલો માણસ ગોટાળો કરે તો ?’’ મને કહે કે મ.સા. ! એવું છે કે જો વ્યાખ્યાનાદિ ધર્મારાધના કરવી હોય તો માણસ પર વિશ્વાસ રાખીએ તો જ ગાડી ચાલે. એ માણસ કદાચ ગોટાળો કરતો પણ હોય તો પણ હું તો એટલું જ વિચારું છું કે મને મહિને મળતાં નફામાંથી મારા ઘ૨માં પૈસા જરૂર પૂરતા મળી જાય છે તો પછી ભલેને નોકર લઈ જાય તો વા૫૨શે. એવા અવિશ્વાસના વિચારોમાં રહીએ તો ધર્મારાધના રહી જાય. ધર્મ ક૨વો છે તો સંસારને બાજુએ મૂકવો જ પડે. દુકાન વહેલી ખોલવી પડે છે તો માણસ પર ભરોસો રાખવો જ પડે. આપણા પાપનો ઉદય હશે તો કાળજી રાખવા છતાં જતા રહે છે. એના કરતાં ટેન્શન વગર જરૂર પુરતા પૈસા મળે છે તો મારે ચિંતા રાખવી નથી. વર્તમાનમાં પૈસાને પરમેશ્વરની જેમ પૂજનારા સેંકડો મળવાના. રાત-દિવસ ધન ભેગું કરવાની ચિંતા, નવું મેળવવાની ચિંતા, આવી અનેક ચિંતાઓમાં જીવનમાં શાંતિ નામની રાણી છૂટાછેડા લઈને ચાલી જાય છે. લક્ષ્મીરાણીની પાછળ પાગલ બનેલાઓના જીવનમાં ખરેખર બાહ્ય સુખ-સગવડો ઢગલાબંધ હોવા છતાં સતત ટેન્શન, ડીપ્રેશન જેવા અનેક રોગો શરીરમાં આપણી ક્રીડા કોઈકની પીડા બને તેવા કીડા ન બનતા. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૪) અડ્ડો જમાવીને બેઠા હોય છે. ૫૦OOO/- ના પગારદાર મજૂરો સવારના નવ વાગ્યાના ગયા બાદ રાત્રે ૧૦-૧૧ વાગે મજૂરી કરીને પાછા આવતા હોય છે. માત્ર પૈસાનું લક્ષ રાખનારાને જ્ઞાનીઓએ પૈસાદાર ભિખારી કહ્યાં છે. જાગતા રહેજો !! સંકલ્પ કરો કે ધનરૂપી લક્ષ્મીને બદલે જીવનમાં સમાધિરૂપી લક્ષ્મીની ચિંતા કરશું. આ જ પુણ્યશાળીને પૂર્વકર્મના યોગે થોડા સમય પૂર્વે શરીરમાં ભયંકર બિમારી આવી, બેભાન થઈ ગયા. થોડા કલાકો પછી ભાનમાં આવ્યા. ડૉક્ટરે હાર્ટએટેક વિ.ની વાતો કરી, સગાસંબંધીઓ ખબર અંતર પૂછવા લાગ્યા. પરંતુ એ ભાગ્યશાલી પૂર્ણ સમાધિમાં. થવાનું હતું એ થઈ ગયું. થોડા દિવસમાં સ્વસ્થ થયા બાદ એ જ આરાધનાઓ યથાવત્ ચાલુ કરી દીધી! - ચાલો, આપણે પણ જીવનમાં સંતોષ રાજા અને સમાધિલક્ષ્મીની મુખ્યતા કરી માનવભવ સફળ બનાવી દઈએ. ૧૯. ૧૦૮ પાર્શ્વનાથ વંદના નરોડા, ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં એક દિવસ રોકાવાનું થયું. કેટલાક ભાવિકો મુંબઈથી જાત્રા કરવા આવ્યા હતા. પૂછતા ખબર પડી કે તેઓ ૧૦૮ પાર્શ્વનાથની સાક્ષાત્ પૂજાજાત્રા કરવા નીકળ્યા છે. ચોપડીમાં ૧૦૮ પાર્શ્વનાથ દાદાના દર્શનથી આગળ વધી દરેક દાદાના સાક્ષાત્ દર્શન-પૂજા કરવાની, ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક આરાધના કરવાની. વાસણા, ચંદ્રનગરની આસપાસના કેટલાક ભાવિકો અને યુવકો પણ આજ રીતે ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની જાત્રા કરી રહ્યા છે. કૃષ્ણનગરના ભૂતપૂર્વ ટ્રસ્ટી ગોવિંદભાઈ પણ સપરિવાર આવી દેવાલયમાં રસ છે કે દેહાલયમાં? For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જાત્રા કરી રહ્યા છે. કોઈકને ૪૦ પૂરી થઈ ગઈ છે તો કોઈકને ૬૫ પૂરી થઈ છે. કલિકાલમાં હાજરાહજૂર પ્રગટપ્રભાવી એવા પાર્શ્વનાથ પ્રભુને કોટિ કોટિ વંદના. મુંબઈના એક યુવા ગ્રુપે આખા મુંબઈના બધા જ દેરાસરોના વારાફરતી દર્શન ચાલુ કર્યા છે. રજાના દિવસોમાં હોટલો, રિસોર્ટી છોડી પ્રભુદર્શન તથા પૂજા માટે દોડનારા ભક્તોની ભાવનાને અંતરની ઉર્મિથી વધાવશો ને? અનુમોદના ! અનુમોદના ! અનુમોદના વારંવાર ! ૨૦.ઈતની શક્તિ હમે દેના એમનું નામ શશીકાન્તભાઈ શાહ. શરીરે વિકલાંગ અને આર્થિક રીતે સામાન્ય. કોઈ વખતે અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢીમાં પહોંચી ગયા તો ખબર પડી કે એમના પિતાજીના નામે દેવદ્રવ્ય આદિનું દેવું છે. કોઈની રાતી પાઈ પણ હરામની નહીં રાખવાના ઉમદા સ્વભાવવાળા શશીકાંતભાઈએ પોતાની આર્થિક સ્થિતિ એવી સદ્ધર ન હોવા છતાં રૂા.૧૦૦૨૦૦-૫૦૦ની રકમ પેઢીને ચૂકવવાનું શરૂ કર્યું. સ્નેહી-સંબંધીઓને આ વાતની ખબર પડી,એઓ કહે “દેવું ખૂબ જૂનું છે- પિતાજી તો હવે નથી - તમારી આર્થિક સ્થિતિ બરાબર નથી - દેવું તો મુદત બહાર થઈ ગયું છે. એ તમારે દેવાની શી જરૂર?” પરંતુ “દેવું તો કોઈનું માથે ન જ રખાય.” એમાં પણ આ તો ધર્મનું દેવું. એ તો રખાય જ નહી”. એવા સંસ્કારવાળા શશીકાંતભાઈને સંબંધીઓની આ વાત ગળે ઉતરે જ શાની. શશીકાંતભાઈ કહે “મારા પિતાજી અમુક પાર્ટી પાસે વર્ષો પહેલાં રૂ.૫૦૦૦ ના લેણદાર હતા. સમાચાર આવ્યા છે કે જો તમો - ઘરમાં રાજરાણી છે કે રાજકારણી? For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ––– સ્નેહી-સંબધી મારી આર્થિક સ્થિતિની સ્પષ્ટ રજુઆત એમને કરો તો એ દેણદાર રૂપિયા એક લાખ પણ મને આપવા તૈયાર છે.” સંબંધીઓ કહે “અમો તમારો કેસ ખૂબ મજબૂત બનાવીશું - ચાલો આપણે એ દેણદારની પેઢીએ !” શશીકાંતભાઈએ આ વાત બનાવટી જ કહી હતી. એઓ કહે “તમો મારા લેણા માટે આ રીતે વસુલ કરવામાં મદદગાર બનવા તૈયાર છો તો મારા પિતાજીના દેણા ભરવા માટે મને શા માટે રૂકા ટ કરો છો ?” સંબંધીઓ શશીકાંતભાઈની પ્રામાણિકતા ઉપર ઓવારી ગયા. હા... આ કળિકાળમાં પણ પરમ સત્યવાદી પરમાત્માના વચનપાલન માટે સહન કરનારા છે જ. ધન્ય! ધન્ય! હમણાં જ એક પુણ્યશાળી મળ્યા હતા. મને કહે કે મ.સા. ! વર્ષો પૂર્વે કેટલાક કારણોસર બે લાખ જેવું દેવું થઈ ગયું હતું. ગામ છોડી અમદાવાદ ભાગી આવ્યા. પરંતુ બાધા લીધી હતી કે જ્યાં સુધી દેવુ ચુકતે ન કરું ત્યાં સુધી ઘી વાપરવું નહિ. વર્ષો સુધી એ નિયમ પાળ્યો. જ્યાં સુધી માથે દેવું હોય ત્યાં સુધી જરૂર વગરના મોજશોખ કે અમનચમન કરવા એ ધર્મી સજ્જન આત્માના લક્ષણ નથી. હોમ લોન, વાહન લોન જેવી અનેક લોન એ માથે દેવું જ કહેવાય. અમેરિકાની મંદીમાં મુખ્ય કારણોમાંથી એક કારણ લોન સીસ્ટમ છે જેમાં અનેક લોકો નાહ્યા, સાથે અનેક અબજોની કંપનીઓએ પણ નાહી નાખ્યું. કોકનું દેવું કરતા પહેલા અને બાકી રાખતા પહેલાં એટલું વિચારી લેજો કે જેનું દેવું બાકી રહી જશે તેમાં ઘરમાં આવતા ભવે નોકર કે બળદ થઈને જન્મ લેવાનું ફાવશે ને? ( લોકમાં સમાનતા કરતા સભાનતા લાવવા મથો. Jain Education international or personal Private ose my Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૭) અમદાવાદના એક શ્રીમંત જૈન પર્યુષણાદિમાં વર્ષો પૂર્વે રૂ.૧૦૦૦૦નો ચડાવો બોલ્યા. જુવાન ઉંમરના આ ભાઈને એમ કે થોડા દિવસોમાં પૈસા જમા કરાવી દઈશું. અચાનક હાર્ટએટેકમાં ગણતરીની પળોમાં ચાલ્યા ગયાં. બે ચાર મહિને પણ બોલીની રકમ ના ભરતાં સંઘવાળાએ શાંતિથી વાત તેમની પત્નીને કરી કે આ રકમની બોલી તમારા પતિ બોલ્યા હતાં. પત્નીએ ફટ દઈને જવાબ આપ્યો કે જે બોલ્યા હોય તેમની પાસેથી લેવાના. અમારે એમાં શું? કરોડોના માલિકને રૂા.૧૦૦૦૦ નું ધર્મનું દેવું કેટલા ભવ દુઃખી કરશે એ તો જ્ઞાનીઓ જાણે !! તમે જાગતા રહેજો!! ૨૧. રિસેપ્શનમાં જીવદયા જામનગરમાં એક શ્રાવકે લગ્ન પ્રસંગે મહેમાનોના પ્રવેશ દરવાજા પાસે એક સૂચના મોટા અક્ષરોમાં લખાવી. “કોઈપણ પ્રકારનો ચાંલ્લો લેવાનો નથી. તમારી ભાવના મુજબ બાજુમાં રહેલી જીવદયા પેટીમાં તમારા ધનનો સદ્વ્યય કરવા વિનંતી.” બાજુમાં જીવદયાની પેટી મૂકાવી. ધન્ય છે આવા જીવદયા પ્રેમીઓ ને ! વાચકોને ભલામણ કરીશ કે એકવાર તમારા ઘરનાં પ્રસંગે અબોલ પશુઓની દુવા લેવાનું ચૂકતા નહિ. એકવાર હિંમતપૂર્વક આવી સારી પરંપરા શરૂ કરશો તો અનેકો અનુકરણ કરશે. Do you like it? સાધર્મિક ભક્તિ કચ્છ, લાકડીયા ગામના પુણ્યશાળી ધનજીભાઈ ગાલાએ વર્તમાનના મંદીના માહોલમાં ૪00 કચ્છી કુટુંબોની ૧-૧ લાખ રૂપિયા આપીને ભક્તિ કરી. ૪00 લખપતિની ગામને ભેટ કઈ તિરાડો સાંધવી સહેલી? દિવાલની કે દિલની? For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ધરનારા ભાગ્યશાળીની ભાવના તો સમગ્ર લાકડીયા ગામને લખપતિ બનાવવાની છે. ધન્ય સાધર્મિક ભક્તિને !! ૨૩. અજેન બન્યા જેનરત્ના ડો.ઈકબાલભાઈ શેખ.(એમ.ડી. ઉંમર ૬૫ વર્ષ) જન્મથી મુસલમાન. હૃદયના પરિણામો ખૂબ સારા. કૃષ્ણનગર, નરોડા ચાતુર્માસની યુવા શિબિરો વખતે દીપ પ્રગટાવવા મહેમાન તરીકે તેમના મિત્ર ડૉ. કુરિયા તેમને આમંત્રણ આપી લાવેલા. કુટુંબમાં પહેલેથી શ્રીમંતાઈ ઘણી. લગ્ન સમયે વિચાર્યું કે હું ધારીશ તો સારામાં સારી, શ્રીમંત કુટુંબની કન્યા મળશે. છતાં જેને પગનો પોલિયો લાગુ પડ્યો હતો તેવી સ્ત્રી સાથે લગ્ન કર્યા. આવી સ્ત્રીનો હાથ કોણ પકડે? મારે તેને સહાનુભૂતિ આપવી છે. તે સ્ત્રીના હૃદયમાં અપંગની લઘુતાગ્રંથિ ન રહે અને ઉત્સાહભેર જીવી શકે માટે અનેકોના વિરોધ વચ્ચે આવી સ્ત્રી સાથે લગ્ન કર્યા! વી.એસ. હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવે. ગરીબ દર્દીઓને જયારે રિપોર્ટ કરાવવાના થાય ત્યારે પોતાની લાગવગ લગાવી ઓછા પૈસામાં કરાવી આપે. ઘણીવાર તો પોતાના પગારમાંથી તેમને મદદ કરે ! પોતાની ફી ન લે. ડૉકટર થયા પછી શરીરના વાઢકાપની સાથે પૈસાની વાઢકાપ કરનારા વર્તમાનના હજારો ડોક્ટરો વચ્ચે એક આદર્શ છે. જૈન શાસન પ્રત્યે ખૂબ અહોભાવ. પોતે અાઈ પણ કરેલી છે. મિત્ર ડૉક્ટરોમાંથી ઘણા જૈન છે. ડૉ. મહેન્દ્રભાઈ કે જેઓએ હમણાં થોડા વર્ષ પૂર્વે દીક્ષા લીધી તેઓની સાથે પણ ઘણો પરિચય. દ્રવ્યથી મુસલમાન હોવા છતાં અન્ય પ્રત્યે કરૂણા અને મૈત્રી ભાવ દાખવનારા ભાવથી જૈન ડૉક્ટરને ખૂબ ધન્યવાદ! માનવભવ ભવાઈ માટે નહિ, ભલાઈની મલાઈ માટે છે. તે for Personal Private use my Page #31 -------------------------------------------------------------------------- ________________ -------- (૨૯) ૨૪.મારી આંખોમાં આદિનાથ આવજો રે પાલડીના નિલેશભાઈ પાલીતાણા મોટી ટુંકમાં જાત્રા કરવા ગયા. નાહીને ટુવાલ દોરી પર ભરાવતા હતા. પૂજાના કપડા પહેરેલા હતાં. અચાનક દોરીનો વાયર મોટું પાછળ ફેરવતાં એક આંખમાં વાગ્યો. માંસનો લોચો બહાર આવી ગયો. બધાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. જોડેવાળો યુવાન તથા સહુ કહેવા લાગ્યા કે હમણાં ને હમણાં ડોળી કરી નીચે પહોંચો અને હોસ્પિટલમાં લઈ જાવ. નિલેશભાઈ કહે કે હજી દાદાના દર્શન બાકી છે. પહેલા દર્શન કરીશ. પછી જ નીચે ઉતરીશ. બધાએ ઘણો આગ્રહ કર્યો પણ દાદા પર શ્રધ્ધા. કદાચ આંખો કાયમ માટે ચાલી ગઈ તો દાદાના દર્શન નહી મળે તો. લાવ પહેલાં પ્રભુ દર્શન કરી લઉં પછી આંખનું જે થવું હોય તે થશે. દાદાના દરબારમાં ખૂબ ભાવવિભોર બનીદર્શન ર્યા. આનંદિત થયા. નીચે ઉતરવા માંડ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરે ઓપરેશન કર્યું. ડૉક્ટર કહે કે દાદાની કૃપાથી આંખોની કીકી બચી ગઈ છે. નીચે ખૂબ મોટો ઘા લાગ્યો છે. સમય જાય એટલે ખબર પડે. હાલમાં એ આંખ ઘણી સારી રીતે રીકવર થઈ ગઈ છે અઢી જેટલા નંબર છે. પરંતુ આંખે દેખાય છે. આવી પરિસ્થિતિમાં દાદા પર કેવી જોરદાર શ્રધ્ધા કે આંખની ચિંતા છોડી ને આંખ દેનારા દાદાની ચિંતા કરવી એ ખરેખર મહાઆશ્ચર્ય છે ! જીવનમાં આપત્તિઓ આવે ત્યારે દાદા પર શ્રધ્ધા રાખી દુઃખને વધાવી લેવું એ સમકતીનું લક્ષણ છે. તીર્થમાં બપોરે બાર વાગે પહોંચ્યા પછી પહેલાં પેટ પૂજા કે પ્રભુપૂજા ? ભજન કે ભોજન ? નક્કી કરો કે જીવનમાં હંમેશા પ્રથમ પરમાત્મા અને ( વાડી લેવી ગમે છે કે વાડકી આપવી ગમે છે? ) For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ત્યારબાદ જ ખાવા પીવાનું. આપત્તિ આવે એમાં નવાઈ નથી પરંતુ આપત્તિમાં સમાધિ રાખવી એ મહાન છે. ૨૫. સંસારની મુડી વારસામાં અમદાવાદના એક સંઘની પેઢીમાં મુનિજી તરીકે વર્તમાનમાં કાર્ય કરી રહેલા દિનેશભાઈ. પેઢીમાં એકવાર એક શ્રાવક ચડાવાના રૂ. ૨૫,૦૦૦ ભરવા માટે આવ્યા. રૂ. ૨૫,૦૦૦/ની પહોંચ બનાવી હાથમાં આપી ત્યારે શ્રાવકને અચાનક ખ્યાલ આવ્યો કે ઉતાવળમાં ઘરેથી નીકળતા રકમ લાવવાની ભૂલી ગયો છું. મુનિમજીને શ્રાવકે કહ્યું કે હમણાં જ ઘરે જઈ રૂ. ૨૫,૦૦૦/આપવા આવું છું. હમણાં પહોંચ આપી રાખો. પરિચિત અને ભાવિક શ્રાવક. ઘરે ગયા પછી અચાનક કામ આવી જતાં સીધા કામે નીકળી ગયા. થોડા સમય પછી યાદ આવતાં ઘરે ફોન કરી દીકરાની વહુને રૂ. ૨૫,૦૦૦ પેઢીમાં મુનિમજીને પહોંચાડવા તાકીદ કરી. વહુ રૂા. ૨૫,૦૦૦/- લઈ મુનિમજીને આપી ઘરે પાછી આવી. હવે ધ્યાનથી વાંચો. | મુનિમજીએ ૧૦૦ના બે પેક બંડલ અને ૫૦નું એક પેક બંડલ સમજી રૂા. ૨૫,૦૦૦/- લીધેલા, પરંતુ થોડીક વાર પછી બંડલ ખોલતા ખ્યાલ આવ્યો કે ૧૦૦ના બંડલમાં નોટો ૧૦૦ને બદલે ૧૦૦૦ની છે. ૧૦૦૦ના બે બંડલ પ્રમાણે કુલ ૨ લાખ અને ૫૦ નું એક બંડલ પ્રમાણે ૫,૦૦૦/- થયા. ૨૫,૦૦૦/- ને બદલે બે લાખને પાંચ હજાર નીકળ્યા. એક લાખને ૮૦ હજાર વધારે નિકળતા તુરંત સભ્યોના રજિસ્ટરમાં ફોન નંબર જોઈ શ્રાવકને ફોન કર્યો કે હમણાં જ વધારાની રકમ પાછી લઈ જાવ! શ્રાવકને દીકરાની વહુની ભૂલ સમજાતા કહ્યું કે તમારી દાનત સારી છે દીકરાની કદર કરશો તો એ તમારો આદર કરશે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ – (૩૧) એટલે જ તો ફોન કર્યો છે. હવે અમને ચિંતા નથી. બે દિવસમાં આવી શ્રાવક વધારાની રકમ પાછી લઈ ગયા. વાસ્તવિકતા એ છે કે મુનિમજી ખાધે પીધે ભલે સુખી છે પરંતુ એવા શ્રીમંત નથી કે કોઈને રૂા. ૧૦૦૦/- દાનમાં આપી શકે. જે કલિકાલમાં ચારેબાજુ અબજોપતિઓ પણ હજી વધુ પૈસા, હજી વધુ સગવડો ભોગવી લેવાના મૂડમાં રાત-દિવસ લોભથી જેમ ધનની પાછળ પડ્યા છે તેવા યુગમાં આવા સંસ્કારી જૈનો મફતમાં મળતા લાખો રૂપિયા સામેથી છોડી દેવા તૈયાર છે તે શું ઓછી નવાઈ છે! જો કદાચ પોતે વધારાના પૈસા રાખી લીધા હોત તો કોઈનેય ખબર ક્યાં પડવાની હતી, છતાં પ્રામાણિકતાના સંસ્કાર અને રુચિના પ્રભાવે લાખો રૂપિયા પરત કરી શક્યા. મુનિમજીને પાછા આપી દેવાનું કારણ પૂછતાં તેમણે જે હકીકત જણાવી તે વારંવાર વિચારવા યોગ્ય અને અમલમાં મૂકવા યોગ્ય છે. મુનિમજીએ જણાવ્યું કે અમે મૂળ કોઠ ગામના. વર્ષો પૂર્વે જુવાનીમાં પિતાજીની દુકાને બેસતા ત્યારે ધંધો કરવાનો થતો. પિતાજી બહાર ગયા હોય ત્યારે અમે દુકાને વેચાણ કરતાં. જ્યારે પિતાજી બહારથી આવે અને કોઈ ઘરાક માલ લઈ રહ્યો હોય ત્યારે ઘરાકને પૂછે કે આ વસ્તુ તે કેટલામાં મારા દીકરા પાસેથી લીધી? રૂા. ૬ ની વસ્તુના રૂા. ૬.૭૦ લેવાનું કહેલું હોય અને જો ઘરાક રૂા. ૭ માં આપી એમ કહે તો તરત બાપુજી લાફો ઠોકતા. ૩૦ પૈસા વધારે કેમ લીધા? એમ કહીએ કે બાજુની દુકાનવાળો તો આ જ વસ્તુ રૂા. ૮ માં આપે છે. ત્યારે બાપુજી એટલું જ કહેતા કે એ ભલે ગમે તે ભાવે વેચે આપણે ૧૨ થી વધારે નફો નહિ જ લેવાનો. ધંધામાં ૧૨% થી વધારે નફો અનીતિ કહેવાય. આપણે વધારે પૈસા નથી જોઈતા. પહેલા પ્રામાણિકતા અને પછી પૈસા. લાફો મારવો સહેલો છે, લાફો ખાવો અઘરો છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ – (૩૨) – આવા પ્રામાણિક્તાના બાપુજીએ આપેલા સંસ્કારના પ્રભાવે આજે પણ પ્રામાણિક્તાનો ગુણ સાચવી શક્યા છીએ. હે મા-બાપો ! તમે તમારા સંતાનોને શું સંસ્કાર આપ્યા છે? ભેગુ કરવાના કે ભેગુ રહેવાના? વારસામાં શું આપીને જવાના? સગુણોનો કે સંપત્તિનો વારસો? પરીક્ષામાં બાજુવાળામાંથી કોપી કરીને વધારે માર્ક લાવનાર દીકરાને વધારે માર્ક આવ્યાની શાબાશી આપવાને બદલે એટલી તો સલાહ આપી શકશો કે ભલે માર્ક ઓછા આવશે તો ચાલશે પણ ચોરી તો ભૂલે ચૂકે નહિ જ કરતો. તૈયાર છો? એટલું ધ્યાન રાખજો કે આજનો માર્કચોર દીકરો આવતીકાલે દાણચોર બનશે તો વાંક કોનો ગણાશે? સાચી સલાહ નહિ આપનાર મા-બાપનો કે ખોટે રસ્તે માર્ક લાવનાર દીકરાનો? વધારે માર્ક લાવવાથી સારી નોકરી અને સારો પગાર મળે છે એ વાતમાં કોઈ માલ નથી. પુણ્ય હોય તો જ સારી નોકરી અને સારો પગાર મળે છે. એમ ન હોત તો સારા માર્કે પાસ થનાર હજારો શિક્ષિતો આજે બેકાર તરીકે ફરતા ન હોત. વિચારજો હોં.!! ૨૬.પાપ ભય કૃષ્ણનગર, અમદાવાદનો એક યુવાન વંદન કરવા આવ્યો હતો. વંદન બાદ વાત કરતાં એણે પૂછયું કે પૂજ્યશ્રી ! હમણાં જ ચોવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા કરીને આવ્યો. દેવ-ગુરૂકૃપાએ જાત્રા ધાર્યા કરતાં ખૂબ સારી રીતે થઈ. થોડીક જાત્રા બાદ થાક ખૂબ લાગ્યો હતો. એમાં પણ પાણીની તરસ લાગી હતી. વૈયાવચ્ચ કરનારાઓએ ગુલાબજળની બોટલ મારી પર છાંટી. એમ સમજો પ્રભુને યુવાની કે ઘડપણ શું આપવું છે? For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૩) કે છાંટતા છાંટતા હુ લગભગ નાહ્યો. એ પાણી જે ગિરિરાજના પગથિયા પર પડયું અને આવી રીતે વધુ પડતું છંટાવ્યું તેનું મને પ્રાયશ્ચિત આપો. જે ગિરિરાજ પર પાણી પણ ન પીવાય, બાથરૂમાદિ પણ ન કરાય, અરે શરીરનો મેલ પણ ન નંખાય તેની પર આ રીતે નાહ્યો તેની મને આલોચના આપો. ઉપરાંત, થાકને કારણે ચડવામાં તકલીફ હતી. વૈયાવચ્ચવાળાઓએ ટેકો તો આપ્યો પરંતુ સાથે ૯૯ યાત્રા કરનારી એક-બે છોકરીઓએ પણ મારી જાત્રા પૂર્ણ થાય એટલે ટેકો આપ્યો. આમ તો મ.સા.એ વખતે છોકરીઓ પ્રત્યે એવા કોઈ ખરાબ ભાવ નહોતા આવ્યા. અરે એવો વિચાર પણ નહોતો આવ્યો છતાં કદાચ ટેકો આપનારી છોકરીઓ પ્રત્યે કોઈ રાગનો ભાવ આવ્યો હોય તો તેનું પણ પ્રાયશ્ચિત આપો. પૈસા બચાવવા માટે રીક્ષાઓમાં ભાઈઓની જોડે નિશ્ર્ચિતપણે બેસી જનાર બેનો જરા વિચારજો ! શીલપાલનમાં જેટલી મક્કમતા કેળવશો તેટલો જ આત્મા મોક્ષ તરફ આગળ વધશે. મુંબઈમાં એક યુવાન મળવા માટે આવ્યો હતો. ગુરૂદેવને પૂછે કે હું જે બિલ્ડીંગમાં રહું છું ત્યાં સવારના મારે ફ્લેટની મોટર ચાલુ કરવી પડે છે. આખા ફ્લેટ માટે પાણી ઉપરની ટાંકીમાં ચડે. હું જેટલું પાણી વાપરું તેનુ જ પાપ લાગે કે આખી ટાંકીના પાણીનું પાપ લાગે ? ગુરૂદેવે કહ્યું કે આખી ટાંકીનું પાપ લાગે. યુવાન કહે કે તો પછી મ.સા. આ મકાન છોડી બીજે જ્યાં આવું પાપ ન કરવું પડે તેવી જગ્યા રહેવા માટે શોધીશ. મારે આવું પાપ નથી જોઈતું. ધન્ય છે આવા યુવાનોમાં રહેલા પાપના ભયને ! વાસણાનો એક યુવાન અઠ્ઠમનું પચ્ચકખાણ લેવા આવ્યો હતો. કારણ પુછતાં કહ્યું કે રસ્તામાં ગાડી ચલાવતા અચાનક આજનો યુવાન પહેલા પ્રેમમાં પડે છે, પછી વહેમમાં પડે છે, છેવટે ડેમમાં પડે છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ - (૩૪) – ક્યાંકથી ગલુડિયું દોડતું આવ્યું અને ગાડી નીચે આવી ગયું.ગાડી તરત ઉભી રાખીને બચાવવાનો પ્રયત્ન ખૂબ કર્યો પણ બચાવી ન શક્યા. મને કહે કે મેં આ નિમિત્તે ગાડી ચલાવવાનું હમણાં થોડા દિવસ બંધ કરી દીધું. આલોચના રૂપે અઠ્ઠમ તો કરવાનું નક્કી જાતે કર્યું છે અને એટલે જ પચ્ચકખાણ લેવા આવ્યો છું. એ ઉપરાંત કોઈ આલોચના કરવાની હોય તો જણાવો. તો હુ કરવા તૈયાર છું. જ્ઞાનીઓએ ધર્મ કરવાની યોગ્યતા માટેના જરૂરી ગુણોમાં સૌથી મહત્ત્વનો ગુણ પાપભય બતાવ્યો છે. ધર્મની દરેક આરાધનાઓમાં આ જ કારણે જયણા બતાવી છે. જે આત્મામાં બીજા જીવો માટે કોમળતા નથી, એવા નિષ્ફર આત્માઓ ધર્મના ક્ષેત્રમાં અયોગ્ય છે. સમકિતી આત્માને પાપનો ખૂબ ભય હોય છે. પાપ બને તો ન કરે પરંતુ કરવું પડે ત્યારે અત્યંત અફસોસ કરે, પશ્ચાતાપ કરે. પાપ કરવું પડે ત્યારે પાપનો બચાવ ન કરતાં આંખમાંથી આંસુ પાડે. ચાલો આપણે પણ આત્મામાં પાપનો ભય પેદા કરી ધર્મની યોગ્યતા પેદા કરીએ. યોગ્યતાનો વિકાસ કરીએ. ૨૭. તારા શરણે આવ્યો છું એમનું નામ બીનાબેન હરેશભાઈ ઠાર. મૂળ ભાવનગરના અને હાલ વાપીમાં રહે છે. એમના ચાર વર્ષના પુત્ર વીરલને આંખમાં તકલીફ થઈ. જાણકાર ડૉક્ટરને બતાવતાં એમણે કહ્યું, આંખમાં એકાએક રેટીનાની તકલીફ ઊભી થઈ છે, એની આંખની દૃષ્ટિ લગભગ ૮૫ ટકા જતી રહી છે, એની હમણાં કાંઈ સારવાર થઈ શકે તેમ નથી, એની ઉંમર સોળ વરસની થશે પછીથી દવા-ઉપચાર આદિથી ધીરે ધીરે સારું થશે.” ડૉક્ટરનાં કમ ખાવ તન સ્વસ્થ, ગમ ખાવ મન સ્વસ્થ Jain Education internationa Por Personal Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ – (૩૫) વચનો સાંભળી કુટુંબીજનો વ્યથિત બન્યા પણ બીનાબેન સમજુ હતા. “મારા અરિહંત દેવ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ, અચિંત્ય ચિંતામણી સમાન છે. ભાવરોગો કાઢી આપનારા એ તારક દ્રવ્યરોગો પણ શા માટે ન કાઢે?” આવું વિચારી પાંચ-પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરે અર્થ સહિત જાણનારા એ બેન શક્ય બન્યુ ત્યાં અંજનશલાકા વગેરે પ્રસંગો પર જિન પ્રતિમાજીઓને ચક્ષુપ્રદાન કરવા લાગ્યા. લો વાંચો એના પ્રભાવ. શ્રદ્ધાવાળા એ બેનની શ્રદ્ધા સફળતાને પામી. એમના પુત્રની આંખો જે ૮૫ ટકા દષ્ટિ ગુમાવી ચૂકી હતી. એમાં સુધારો થતો ગયો. હવે એ આંખો ૬૦-૭૦ ટકા કામ કરનારી બની ગઈ છે.ડૉક્ટરને પુનઃ બતાવતા એ કહે, “આશ્ચર્ય બન્યું છે. હવે આ બાળકની દૃષ્ટિમાં ક્રમશઃ સુધારો થશે.” દાદરના બેનના બાબા માટે પણ પૂર્વે આવું જ બનેલું. નમુત્થણે સૂત્રમાં પ્રભુ માટે “ચખુદયાણ' વિશેષણ વપરાયું છે. ખરેખર દ્રવ્યચક્ષુ + ભાવચક્ષુ આપનારા પરમાત્માને કોટીશઃ વંદના ! ૨૮. તત્ત્વજિજ્ઞાસા નારણપુરા વિસ્તારમાં એક યુવાન ચૌદસે પ્રતિક્રમણ કર્યા બાદ સત્સંગ કરવા બેઠો. ઘણાં સુંદર પ્રશ્નો પૂછ્યા બાદ ગુરૂદેવે પૂછ્યું કે સત્સંગની ભાવના કેમ જાગી? યુવાને વાત કરી કે અહીં એજીનીયરીંગ પૂર્ણ કરી અમેરિકામાં એમ.એસ. કર્યું. ત્યારબાદ ત્યાં જ જોબ ચાલુ કરી. અમેરિકામાં ધર્મનું જ્ઞાન મેળવતાં કેટલાંક ધર્મી આત્માઓનો ધર્મ-આચાર જોઈ આધ્યાત્મિક માર્ગ જાણવાની ઈચ્છા જાગી. જેમ જેમ જાણતો ગયો તેમ જિજ્ઞાસા વધતી ચાલી. એ જ અરસામાં પૂ.આ.શ્રી યશોવિજયસૂરીજી મ.સા.ની ચોપડી હળીમળીને સાથે ખાવું તે પ્રેમભોજન, એકલા ખાવું તે પ્રેતભોજન) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ – (૩૬) ––– અધ્યાત્મની વાંચવા મળી, ખૂબ રસ પડ્યો! બીજી પણ એવી ચોપડીઓ વાંચતા ખૂબ આનંદ આવવા માંડ્યો. ભારતમાં આવે ત્યારે ગુરૂભગવંતો પાસે જાય, બેસે, જિજ્ઞાસાના સમાધાન મેળવે અને આનંદિત થાય. પૂ.આ.શ્રી યશોવિજયસૂરીજી જોડે પરિચય વધ્યો. અન્ય ગુરૂઓમાં પૂ.પં.શ્રી યશોવિજયજી સાથે પણ પરિચય વધ્યો. મનમાં થયું કે અમેરિકામાં ગુરૂભગવંતો નથી મળતાં. નિર્ણય કર્યો કે મારે ભારતમાં જ રહેવા જવું છે! છેલ્લાં ૫ માસથી ભારતમાં આવી ગયો છે. ભલે પગાર ઓછો મળશે તે ચાલશે પરંતુ સત્સંગ અને માતા-પિતાની સેવા માટે ભારતમાં જ આખી જિંદગી રહેવાનો નિર્ણય કર્યો છે. ધર્મરહિત અમેરિકાવાસી જૈને માત્ર જાણવા ખાતર ધર્મનું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું, તો ધર્મની તાતી જરૂરિયાત સમજાઈ ગઈ અને વધુ જ્ઞાન મેળવવા, ભારતમાં રહેવાનું, ઓછી કમાણીમાં પણ સંતોષપૂર્વક રહેવાનું નક્કી કર્યું છે ! એવા પણ જિજ્ઞાસુઓ છે કે જેઓ વર્ષમાં અમુક મહિના ભારતમાં ભણવા માટે આવે છે ! હે જૈનો ! તમારે પણ તમારી ભવોભવની શાંતિ આદિ મેળવી આપનાર ધર્મનું તત્ત્વ રોજ ૧-૨ કલાક જ્ઞાની સાધુઓ પાસેથી તથા પુસ્તકોમાંથી મેળવવાનું આજે જ શરૂ કરી દેવું જોઈએ. આવા બીજા પણ ભાગ્યશાળીઓ અમને મળ્યા છે. ધન્યવાદ છે તેમની તત્ત્વજિજ્ઞાસાને !! - ૨૯. તીર્થરક્ષા માટે અઠ્ઠમ તપ ૨૦ તારક તીર્થકરોની નિર્વાણભૂમિ શ્રી સમેતશિખરજી તીર્થની રક્ષાની પાવન ભાવનાથી થોડા વર્ષ પૂર્વ અમદાવાદના બ્રહ્મચર્યવ્રતધારી સુશ્રાવિકા અ.સૌ. દર્શનાબેન નયનકુમાર શાહે એિકવાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર રોગી, ચાર વાર ભિખારી For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૭) અટ્ટમના પારણે અઠ્ઠમતપનો જાપ-ધ્યાન સાથે વિધિપૂર્વક શુભ પ્રારંભ કર્યો. હાલમાં તેમણે ૧૫૦૦ અઠ્ઠમતપ પૂર્ણ કર્યા છે. છેલ્લા કેટલાય અટ્ટમના પારણે આયંબિલ કરી રહ્યા છે. એની ઉપર પાછો અક્રમ. હાલમાં પણ પોતાનું સંપૂર્ણ જીવન આ રીતે તીર્થભક્તિમાં સમર્પણ કરવાની ભાવનાથી તેમની અટ્ટમની આરાધના ચાલુ જ છે. ધન્ય છે તેમની તીર્થભક્તિને!! ૩૦. સંયમ રંગ લાગ્યો કાંદિવલી, દહાણુકરવાડીમાં રોષકાળમાં રોકાયા હતા ત્યારે એક ભાગ્યશાળી સાંજે વિનંતી કરવા આવ્યા. “ગુરૂદેવ ! મારા ઘરે એક જણ સીરીયસ છે. આપ માંગલિક સંભળાવવા પધારો તો સારુ! હું સાથે ગયો. ઘરમાં પ્રવેશ બાદ એક રૂમમાં લઈ ગયા. ૧૬ વર્ષનો છોકરો પલંગમાં સૂતો હતો. ગળાથી નીચેના ભાગમાં પગ સુધી ઓઢેલું હતું. મોટું તથા માથું આખું કાળું પડી ગયેલું. દીકરાના પપ્પાએ વાત કરી કે મારા દીકરાને બ્લડ કેન્સર થર્ડ સ્ટેજનું છે. એના મામા ૨૦૦૦ કરોડની પાર્ટી છે. છેક અમેરિકામાં ચેક કરાવા લઈ ગયા. ખૂબ પ્રયત્નો કર્યા પણ ડૉક્ટરનું કહેવું હતું કે હવે બચે એવા કોઈ ચાન્સ નથી. ભારત પાછો પહોંચે તોય નસીબ. ઘરે પાછા લાવ્યા છીએ. ૨૦૦૦ કરોડ પણ જીવ બચાવી શકે તેમ નથી. એની માસી ડૉક્ટર છે. સતત ધ્યાન રાખે છે. પરંતુ હવે કેટલો સમય બચે તે ગેરંટી નથી. આપ માંગલિક સંભળાવો. અડધો કલાક માંગલિક-નવકાર સંભળાવ્યા. મારી નજર ઉપરના માળિયા પર પડી. માળિયાના હેન્ડલ પર એક રજોહરણ લટકાવેલું હતું. મેં તે અંગે પૂછ્યું એટલે મને કહે કે મારો દીકરો ભાનમાં હતો ત્યારે કહેતો હતો કે જો હું સાજો થઈશ તો દીક્ષા લઈશ. મને દીક્ષા ખૂબ ગમે છે. ૧૬ વર્ષની ઉંમરે આવો ઉત્તમ ( પેટ અને પેટી (ધન) થોડા ઉણા રાખો નહિ તો અપચો થશે. ) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ – (૩૮) ભાવ ! એની ભાવનાને લીધે જ આ ઓઘો ઉપર લટકાવ્યો છે. કદાચ ભાનમાં આવે અને ઉપર નજર પડે અને એ ભાવ એના જાગે ! ' આ બાળકને શી ખબર કે દીક્ષાના ભાવો થયા બાદ મને નહી મળે. મોટા થઈશું અને દીક્ષા લઈશું એવા ખોટા વિચારોમાં ઘણાં રહી જતા હોય છે. આવતીકાલે આપણે જીવતાં હોઈશું કે નહિ તે શી ખબર ? - પછી તો રાત્રે ૯ વાગે ફરી વિનંતી કરવા આવ્યા. સામાન્યથી અમે પ્રતિક્રમણ બાદ બહાર ન જઈએ. પરંતુ સમાધિ માટે, માંગલિક સંભળાવવા માટે આવી સીરીયસ અવસ્થામાં જઈએ. રાત્રે ૯-૩૦ વાગે તેના ઘરે જઈ ફરીથી અડધો કલાક-એક કલાક નવકારની ધૂન મોટેથી વારાફરતી ચાલુ રાખી. અંતે રાત્રે ૧૦ ની આસપાસ હું પાછો આવ્યો. એ જ રાત્રે એ બાળક કાળ કરી ગયો. સંયમના ભાવો અને અરમાનો એમને એમ જ રહી ગયા !! ૩૧. ધન્ય ગુરૂબહુમાન દેવાસ, અમદાવાદના એ પુણ્યશાળી. કાયમી વ્યાજની સામાન્ય રકમ એ જ એમની આવકમાં વાત કરતાં જાણ્યું કે પોતે સાધુ સાધ્વીજીની ગોચરીનો તો લાભ લે છે જ પરંતુ સાથે પાણી પણ ઉકાળવાનો લાભ લે છે. ક્યારેક વધારે ઘડા પાણીના ઉકાળવા પડે અને વધુ ખર્ચ આવે ત્યારે ઘરમાં ચારને બદલે બે વસ્તુ જ બનાવી પેટ ભરી લે જેથી બે વસ્તુનો ખર્ચ બચી જાય અને તે બચેલા પૈસામાંથી પાણી વધારે ઉકાળવાનો લાભ મળી જાય.ઉંમરમાં ખૂબ વૃદ્ધ છતાં ગુરૂભક્તિને ધન્યવાદ! લોચ પણ કરાવે છે. શાંતિસ્નાત્ર ભણાવવું સહેલું કે શાંતિ રાખવી સહેલી? , For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૯) ૩૨.મંદિર પધારો સ્વામી સલૂણા વેજલપુર વિસ્તારમાં એક ટેનામેન્ટમાં શ્રી સંભવનાથ પરમાત્માની ચલપ્રતિષ્ઠા કરવામાં આવી. એક બારીનો કાચ ખરાબ હતો. મુસલમાન ને કાચ સરખો કરવા નજીકના વિસ્તારમાંથી બોલાવ્યો. કામ પતી ગયા બાદ જ્યારે પૈસા આપવાના આવ્યા ત્યારે મુસલમાને ના પાડી. કારણ પૂછતાં તેણે કહ્યું કે મારે કેટલીક ૨કમ અમુક વ્યક્તિ પાસેથી લેવાની નીકળતી હતી. ઘણાં પ્રયત્ન કરવા છતાં તે આપતો ન હતો. ભગવાનનું કામ કરતાં વિચાર્યું કે જૈનો ભગવાનના ચમત્કારોની ખૂબ વાતો કરતાં હોય છે. આમના ભગવાન જો સાચા હોય, મને મારી ૨કમ પેલો આપી દે તો કાચના કામના પૈસા નહીં લઉં. ઘરે ગયા બાદ સામેવાળાએ મારા પૈસા ખરેખર આપી દીધા. મને વિશ્વાસ બેસી ગયો કે જૈનોના ભગવાને જ આ કામ કર્યું છે. તમારા પૈસા મારે લેવાના નથી. ફરી કાચનું કામ પડે તો બોલાવજો . અસંભવને સંભવ કરનારા સંભવનાથ પ્રભુજીએ પૂર્વભવમાં દુકાળમાં અનેકની ખૂબ ભક્તિ કરેલી. એ જ પુણ્યના પ્રભાવે તીર્થંકર નામકર્મ સુધી તો પહોંચ્યા જ પણ આગળ વધી આજે પણ એના પરચા મળે છે. બોલો શ્રી સંભવનાથ પ્રભુનો જય હો ! વિજય હો ! ૩૩.મહામંત્ર ા જાપ રો નવા વાડજના એક ભાગ્યશાળી જણાવે છે કે મારો અજૈન મિત્ર જેને મેં આ પુસ્તક વાંચવા આપ્યું. વાંચ્યા પછી તેની નવકાર પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ. તેને મારી પાસે આવી નવકાર શીખી અને રોજ ગણવાનું શરૂ કર્યું. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જીવનમાં અનેકોને હાશ આપી હશે તો મર્યા બાદ ઈતિહાસ રચાશે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ફોટા સમક્ષ બેસીને તે રોજ જાપ કરે. તેના પપ્પાથી આ સહન થાય નહીં પણ કરે શું ? બન્યું એવું કે તેના પપ્પાનો પગ મચકોડાઈ ગયો. અને તેમણે દીકરાને એટલે કે મારા મિત્રને કહ્યું કે તમે તો બહુ મોટા મંત્ર સાધક છો તો મટાડો મારા પગના દુખાવાને. અને ખરેખર મારા મિત્રે અખંડ શ્રદ્ધાથી નવકાર ગણી અને પાણી તેના પપ્પાને પીવા આપ્યું અને મચકોડના ભાગ પર હાથ ફેરવ્યો અને ચમત્કાર સર્જાયો. ગણતરીની મિનિટોમાં તેમનો પગ સાજો થઈ ગયો ! આ બનાવ પછી તેણે તરત જ મને ફોન કરી આ ઘટના કહી. એક અજૈન વ્યક્તિ જેને ક્યારેય નવકારનો ‘ન’ પણ નહોતો સાંભળ્યો તેનામાં આવી ગજબની તાકાત ક્યાંથી આવી ? ત્યારે જવાબ મળ્યો ‘શ્રદ્ધા.’ ૩૪. પ્રતિક્રમણનો પ્રભાવ કૈલાસબેન વાસણાથી લખે છે કે મને પોતાને કેન્સર છે. સવારમાં ઉઠતાં શરીર એટલું દુઃખે કે વિચાર્યું પ્રતિક્રમણ નથી કરવું. પણ પાછો વિચાર આવ્યો કે ના, ના. ઘરનું કામ તો હું કરીશ તો પછી આ કેમ નહિ ? પ્રતિક્રમણ કર્યું. નવકારશી કરી. રસોઈમાં ઉકળતી દાળ ઉતારતા સાણસીના બે ભાગ છુટા થઈ ગયા. દાળ ઢોળાઈ અને છાંટા બધા મારી આંખોમાં ઉડ્યા. પણ મારી આંખને ઉકળતી દાળે પણ કાંઈ આંચ ના આવી અને મને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ ગઈ. મનમાં થયું કે પ્રતિક્રમણનું તાત્કાલિક ફળ દાદાએ બતાવી દીધું. ત્યારથી મારી શ્રદ્ધા વધી ગઈ છે. ૩૫. જૈનો બન્યા જૈન મહેસાણા નજીક લીંચ નામનું નાનકડું ગામ. શિખર બંધી લગ્ન પૂર્વે વાઈફ ઈઝ લાઈફ અને લગ્ન બાદ વાઈફ ઈઝ નાઈફ (છત્રી) ? For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ (૪૧). આદીશ્વર દાદાનું જિનાલય. પરંતુ જૈનનું એક પણ ઘર હાલમાં નથી. ત્રણ વર્ષ પહેલાં પૂ.આ. ભદ્રકરસૂરી મ.સા.ના આજ્ઞાવર્તી સા. યશોવર્ધનાશ્રીજીએ ચોમાસું કર્યું અને આખા ગામમાં જાણે કે તપ, ધર્મની મોસમ આવી ગઈ. ગામમાં દરેક ઘરમાં કંદમૂળ બંધ, ઘણા બધા લોકો ઉકાળેલું પાણી પીવા લાગ્યાં. સત્સંગના પ્રભાવે પર્યુષણ આવતા સુધીમાં તો ગામની આખી રોનક બદલાઈ ગઈ. રાત્રે વ્યાખ્યાન રાખે તો ગામડાના લોકો આખા દિવસની મજૂરી પછી પણ ૩૫૦ થી ૪૫૦ની સંખ્યામાં આવે ! સાધ્વીજી મ.સા. ને ઉપાશ્રયમાં લેવા બધા જતા અને મૂકવા પણ બધા જતા. પર્યુષણમાં એકાસણાનું તપ કરાવ્યું. તેમાં પણ રોજનાં ૧૦૦ એકાસણા થયા. આયંબિલની ઓળીનો પાયો પણ ઘણા બધાએ નાખ્યો. આજે ત્યાં મ.સા. નથી પરંતુ કેટલાક લોકો અજૈન હોવા છતાં સવાર-સાંજનું પ્રતિક્રમણ દરરોજ કરે છે. અજૈનોના ગામમાં ગુરૂભગવંતોના ચોમાસાદિથી અનેક અજૈનોના પરિવર્તનના ઘણા પ્રસંગો હાલમાં બન્યા છે, બની રહ્યા છે. અમે જ્યારે ગયા વર્ષે લીંચ ગયા ત્યારે ઘણા બધા લોકો (અજૈનો) શત્રુંજયની જાત્રા કરવા સામૂહિક ૨-૩ દિવસ માટે બસમાં ગયા હતા. ૩૬. નવાર જપને સે જયશ્રીબેન દર્શન કરીને પાછા આવતા હતા. એક ગાડીવાળાએ એવી ટક્કર મારી કે આગળ બળદગાડું અને પાછળ ગાડી. બળદગાડામાં એમનો એક્ટીવા નો કાચ ભરાઈ ગયો અને લગભગ પાંચ-સાત મીનીટ સુધી ગાડા સાથે ભરાઈ અને ખેંચાયા. વાહન ચલાવતી વખતે કાયમ જાપ ચાલુ જ હોય. બધા લોકો ભેગા થઈ ગયા અને બચાવવા આવ્યા પરંતુ જાપના પ્રભાવે એમને ખાલી આંખની ઉપર સહેજ ખેંચાયાનું ઢીમણું થઈ ગયું. એ સિવાય (દેરાસરમાં ચોખા ઘણી વાર મૂક્યા, દિલથી ચોખા ક્યારે થઈશું? For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ – (૪૨) – બીજું કાંઈ જ તેમને કે તેમના સ્કૂટરને થયું નહી. ત્યારથી તેમની શ્રધ્ધા વિશેષથી વધી. એકવાર જયશ્રીબેન દર્શન-પૂજા કરીને લગભગ એક વાગે નરોડાથી બસમાં નીકળ્યા અને કાલુપુર સ્ટેશને બસમાંથી ઉતરી ચાલતા ચાલતા બીજા સ્ટેન્ડ સુધી જતા હતાં. નવકારનો જાપ તો ચાલુ જ હતો. એવામાં ૮૧ નંબરની બસનો ડ્રાઈવર એકદમ જ ઉભેલી બસને હંકારવા લાગ્યો અને એકદમ આગળના પૈડામાં બેન અથડાઈ અને અંદર આવી ગયા છતાં દિલમાં એક માત્ર જ શ્રી જિનેશ્વર દેવ અને નવકાર ઉપર શ્રધ્ધાથી એમને કાંઈ જ થયું નહિ! અને બસનો ડ્રાઈવર તથા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. ૩૭. ચોરીનું ધન ના રહે ઘરમાં અમરેલી (ગુજરાત)ના એ સપૂત. એલ.એલ.બી. સુધી ભણેલા. મુંબઈની અતિ પ્રખ્યાત મોટી કંપનીમાં એમનો પરચેઝ ઓફિસરનો હોદો. અમરેલીથી મુંબઈ આવ્યા પણ એમને રહેવાની જગા નહોતી. એક બહુ મોટા પરચેઝમાં એમને સ્કુ સપ્લાયર્સ તરફથી લાંચની ઓફર મળી કે અમને આ ઓર્ડર આપો. અમો તમોને પાર્લામાં બે રૂમ-કિચનનું મકાન ઓનરશીપનું અપાવી દઈએ. ન્યાય એ જ ધન કમાવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે” જેવા જિનવચનો પર શ્રધ્ધાવાળા આમને મુંબઈમાં રહેવાની ઘણી હાડમારી હતી. ચાર બાળકો અને પત્નીના ભવિષ્યનો પ્રશ્ન હતો, છતાં આ ઓફર એમણે ન જ સ્વીકારી. ધર્મી દુનિયામાં એમનું સન્માન વધી ગયું. એઓ શાંતિ-સમાધિ સુંદર પ્રસન્નતાપૂર્ણ જીવન જીવી ગયા. એ સુશ્રાવકનુ શુભ નામ ચિનુભાઈ નાગરદાસ શાહ પટણી હાલ પરિવાર કાંદીવલી (વેસ્ટ) મુંબઈ. મકાનની ઉંચાઈ વધારવી છે કે મનની ઉંચાઈ? For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ૩૮. નાસ્તિક્યાંથી આસ્તિક મલાડના દીપીકાબેન લખે છે કે હું તો ખાલી નવકારશી જ કરતી, એની જગ્યાએ જૈન આદર્શ પ્રસગો પુસ્તક વાંચ્યા બાદ પ્રેરણા મળવાથી પ્રતિક્રમણ ને ચૌવિહાર કરતી થઈ. આટલું કરતી થઈ તો મમ્મી ને નવાઈ લાગી કે આની પાછળનું કારણ શું? પણ જ્યારે એને ખબર પડી કે આ બુક વાંચવાથી એના ભાવ જાગ્યા, ત્યારે તો એ એટલી ખુશ થઈ કે એને આની ૧૫-૨૦ બુક લઈને જે સાવ નાસ્તીક જ હોય એ લોકોને આ બુક આપી. એ લોકો પણ વાંચ્યા બાદ મમ્મી પાસે નવકાર શીખવા આવવા લાગ્યા. કોઈ કોઈ તો પૂજા દર્શન પણ કરવા લાગ્યા. પાઠશાળા પણ ચાલુ કરવા લાગ્યા. એ લોકો તો મમ્મીને ધન્યવાદ આપવા લાગ્યા. કહેવા લાગ્યા કે અમને પણ આવો ધર્મ મળ્યો હોત તો કેવું સારું. એમ આ બુક ગોતવા માટે મુશ્કેલી પડી પણ આખરે મળી ગઈ અને બધા ભાગ વાંચ્યા અને વાંચ્યા પછી પણ વારંવાર વાંચુ છું. ક્યારેક ક્યારેક તો મનમાં એવું વિચારું કે જે ભગવાને ૨૪ કલાક આપ્યા છે એની જગ્યાએ ૨૫ કલાક આપ્યા હોત તો એક કલાક વધારે વાંચવા મળત. ૩૯. પુસ્તક્થી પરિવર્તન નવસારીના કાર્તિકીબેન લખે છે કે મારાથી બિયાસણું પણ માંડ માંડ થાય છે. હું આખા વર્ષમાં ફક્ત પર્યુષણના આઠ બિયાસણા કરું. બસ જીવનમાં મોટો ફેરફાર આ બુક દ્વારા આવ્યો. પહેલીવાર પર્યુષણમાં એકાસણા કર્યા. ચોમાસું શરૂ થતાં પર્યુષણ સુધીના બધા જ (અંતરાય સિવાય) પ્રતિક્રમણ કર્યા. આઈસ્કીમ મને બહુ જ ભાવે છે. જોઈને પાણી જ આવી જાય. તેની આજીવન બાધા લીધી. પાઉભાજી તો પાઉં વગર કેવી રીતે નવકારનો જપ, આયંબિલનો તપ, બ્રહ્મચર્યનો ખપ, દૂર કરે બધી લપ. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ - (૪૪) ભાવે? તો પણ પાઉંની આજીવન બાધા લીધી. મારું જોઈને મારી નાની છોકરી થોડા થોડા દિવસ માટે પાંઉ, કેડબરી, પાપડ, આઈસ્ક્રીમ જેવી ઘણી બધી એની જ પસંદની આઈટમોની બાધા લે છે. મારી બેબીને ત્રણ મહિનાથી ટોન્સીલ પાકી ગયા હતા. દવા પણ ચાલતી જ હતી. આ ચોપડીના વાંચન બાદ પર્યુષણમાં ચોસઠ પ્રહરી પૌષધ કરવા હતા. ડૉક્ટરે આગલા દિવસે ના પાડી. તેને ટોન્સીલમાંથી રસી ઝરતી હતી. મોટું ખૂબ જ વાસ મારતું. બે દિવસ દેશાવગાસિક કરી દવા લીધી અને પછી જીદ કરી. પપ્પાને આ ચોપડીનાં દૃષ્ટાંતો વંચાવી પાછળ બધા પૌષધ કર્યા !! જેને પાણી પી શકે તેવી પણ જગ્યા ગળામાં રહી ન હતી એણે અહોરાતના પૌષધ કર્યા. ચોપડી છો પડી એમ નહી ચોપડી બદલે ખોપડી. એ વાક્ય યાદ રાખો. લોકમાન્ય ટીળક કહેતા હતા કે સ્વર્ગમાં ચોપડી વાંચવા ન મળે અને નરકમાં ચોપડી વાંચવા મળતી હોય તો હું નરકમાં જવાનું પસંદ કરીશ. ચાલો જ્ઞાનની આશાતનાના બહાના છોડી સુંદર પુસ્તકો વસાવવાનો અને વાંચવાનો સંકલ્પ કરીએ. - ૪૦.સાધર્મિની શ્રીમંતાઈ મુંબઈના સુશ્રાવિકા પટણી શકુંતલાબેન કસ્તુરચંદ શાહ (ઉ.વ.૬૭) ના જીવનમાં ધર્મ માર્ગે તેમજ સમાર્ગે વાવેલી લક્ષ્મીની યાદી એમના શબ્દોમાં વાંચીએ - હું નાનપણથી સાડી વેચવાનો તેમજ સાડી ફોલ બીડીંગનું કામ કરતી. બા તથા પિતાજીના અવસાન પછી હું મારું ઘર ભાડે આપતી. ૧૨ મહિનાનું ભાડું ભેગું કરી ધર્મમાં સારા માર્ગે વાપરતી. પહેલીવાર પૈસા ભેગા થયાં. તેમાંથી મેં વિરાર ( રાગનો ત્યાગ કરવો હોય તો પહેલા ત્યાગનો રાગ ઉભો કરો. ) Jain Educator international For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ – (૪૫) (અગાશી)માં નવપદજી આયંબિલની ઓળી કરાવી. પછી બીજીવાર ૧૨ મહિનાના પૈસા ભેગા થયાં તેમાંથી પાલીતાણા તીર્થમાં ભાતુ આપ્યું. ત્રીજીવારના ૧૨ મહિનાના પૈસામાંથી સાતક્ષેત્ર, આયંબિલ ખાતું, ગૌશાળા, સાધારણ ખાતું, સાધુસાધ્વીજી મ.સા. માટે વૈયાવચ્ચ ખાતે, ગરમ પાણી ખાતે, જીવદયા, સાધર્મિક, ગૌશાળા, વૃધ્ધાશ્રમ, પાંજરાપોળ, ભાતા ખાતું, સાકરના પાણી તેમજ ચા-ઉકાળાની ભક્તિ વગેરેમાં વાપર્યા. ચોથી વખત ૧૨ મહિનાના પૈસામાંથી શંત્રુજયના આદિનાથ દાદાને સોનાની ગીની, હીરો, અષ્ટપ્રકારી પૂજાનો થાળ, ચાંદીનું બીજોરૂ, કળશ વગરે ચઢાવ્યાં. પાંચમી વખતે ૧૨ મહિનાના પૈસામાંથી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા તેમજ પાલીતાણાના આદેશ્વર દાદા માટે સવા ત્રણ તોલાના સોનાના બે હાર બનાવરાવ્યા. છઠ્ઠી વખતના ૧૨ મહિનાના પૈસામાંથી એક બસમાં પાલીતાણા અને શંખેશ્વરની જાત્રા કરાવી તેમજ બનાવેલા સોનાના બે હાર બંને ઠેકાણે આદીશ્વર દાદા અને પાર્શ્વનાથ દાદાને ચડાવ્યાં. સાથે આવેલ બધાને કેશર ભરી ચાંદીની ડબ્બી આપી. પછી થોડા પૈસા ભેગા થયા તેમાંથી રૂ.૫OOO શંખેશ્વરમાં ઉપાશ્રય માટે આપ્યા. - સાતમી વખત અઢાર મહિનાના પૈસામાંથી બા તથા પિતાજીના નામનો પાંચ દિવસનો જિનેન્દ્ર ભક્તિ ઓચ્છવ કર્યો. તેમાં સિધ્ધચક્રપૂજન, મહાપૂજા, ત્રણ મંડળની પૂજા ત્રણ દિવસ રાખી ને શાંતિસ્નાત્ર ભણાવ્યું. તેમજ મરીનડ્રાઈવના શંખેશ્વર પાર્શ્વપ્રભુ (મૂળનાયક) ને સોના અને ચાંદી અને મીનાનો મુગટ કરાવી ચડાવ્યો. આઠ વર્ષ પહેલા ૨૦ હજાર રૂપિયાનો થયો. એજ વર્ષે પ્રિભુને સંપત્તિની જેમ આપત્તિ (ટેન્શન)ની પણ ભેટ આપતા શીખો.) - For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ – (૪૬) – વર્ષીતપનું પારણું હસ્તિનાપુર કર્યું. ત્યાં ચાંદીના વૃષભ અને ઘડો ચડાવ્યાં. આઠમીવાર ૧૨ મહિનાના પૈસામાથી બીજા વર્ષીતપનું પારણું વાલકેશ્વર કર્યું ત્યાં ભક્તામાર મહાપૂજન ભણાવ્યું ને જમણવાર કર્યો. નવમી વાર ૧૨ મહિનાના પૈસામાંથી પાલીતાણા દાદાની જાત્રા કરી નીચે ઉતરી બધાનું (ડોળીવાળા ભાઈ બહેનો સહિત) તિલક કરી સંઘ પૂજન કર્યું. ત્યાર પછી મારા ઘરના રૂા.૨૫ લાખ આવ્યા તેમાંથી રૂા.૧૨ લાખ ટ્રસ્ટમાં આપ્યા. પૈસામાંથી આ.રાજયશસૂરિ મ.સા.ની નિશ્રામાં મેં સહ-સંઘપતિ બનીને અમદાવાદથી પાલીતાણાનો ર૧ દિવસનો છરી પાલીત સંઘ કાઢ્યો. આ.ભ.જગવલ્લભસૂરિ મ.સા.ની નિશ્રામાં પોષ દશમીના અઠ્ઠમ કરવા ગઈ તો ત્યાં જાણ થઈ કે ધર્મચક્ર તીર્થમાં નવકારમંત્રના ૬૮ અક્ષરના અડસઠ શિખરબંધી દહેરાસરનું નિર્માણ થવાનું છે. પૂજ્યશ્રીને મારા મનની ભાવના જણાવતા તે પૈકી એક દહેરાસરજીની દેરીના નિર્માણનો લાભ મળ્યો. આ સુશ્રાવિકા ના દાનાદિ ધર્મની ભૂરિ ભૂરિ અનુમોદના !!! આ શ્રાવિકાએ અનેક વિશિષ્ટ તપો તથા અનેક છરિ પાલિત સંઘોમાં આરાધના કરેલી છે. ૪૧. અસંભવને સંભવ ક્રનારા વિ.સં.૨૦૬૫, એપ્રિલ અંતમાં યુવાનોની શિબિર બબલપુરા દહેગામ પૂર્ણ થયા બાદ વિહાર કરી કૃષ્ણનગર, નરોડા આવ્યા. ૧-૫-૨૦૦૯ના રોજ અજાણ્યા બે ભાગ્યશાળી વંદન કરવા બપોરના સમયે આવ્યા. વંદન બાદ વાત કરી કે “મહારાજ શ્રી! (પ્રભુએ જગતને બનાવ્યું નથી, બતાવ્યું છે અને દુઃખથી બચાવ્યું છે.) For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૭) અમે નવા નરોડા વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં હાલમાં ૪૦-૫૦ જૈનના ઘરો છે. પાર્શ્વનાથ ટાઉનશીપનું દેરાસર ચાલતા ૧૫ મિનિટ જેવું થાય. નજીકમાં બીજું કોઈ દેરાસર નથી. દેરાસર દૂર હોવાથી ઘણાની ભાવના હોવા છતાં દર્શન-પૂજા કરવા જઈ શકતા નથી. ચોમાસામાં તો લગભગ નહી જ. અમારી એવી ભાવના છે કે જો નજીકમાં દેરાસર થાય તો અમારી આરાધના સારી થાય, રોજ દર્શન-પૂજાનો લાભ મળે.” નામ હતુ એ ભાગ્યશાળીનું હસમુખભાઈ. મેં એ વિસ્તાર જોયો નહોતો એટલે મેં કહ્યું “એક બે દિવસમાં પહેલા વિસ્તાર, સ્થળ જોઈએ. હું ત્યાં આવું ત્યારે સહુને ભેગા કરજો. બધા ભેગા થઈ વિચારશું, પછી વાત દેરાસરની.” બે દિવસ બાદ સવારે ૬ની આસપાસ જવાનું થયું. ૮-૧૦ ભાઈઓ અને ૨૦-૨૫ શ્રાવિકાઓ ભેગી થઈ હતી. પ્રાસંગિક ૧૦-૧૫ મિનીટ તેમની ભાવનાની અનુમોદના કરી. પ્રભુને લાવવા સહેલા છે પણ પછીની સાચવવાની જવાબદારી ઘણી મોટી છે. પ્રભુજીને લાવ્યા બાદ કોણ કોણ પૂજા કરશે તે પહેલા લીસ્ટ બનાવો. ઘણા બધાએ પૂજા કરવા માટે નામ નોંધાવ્યા અને મને લાગ્યું કે આટલા બધાની ભાવના છે તો હાલમાં આ જ વિસ્તારમાં એક ફૂલેટ ભાડે રાખી પંચધાતુના પરમાત્મા ત્રિગડામાં પધરાવીએ. બધાએ તહત્તિ કર્યું. શ્રી પાર્શ્વપ્રભુ અને સિધ્ધચક્રજી તા.૧૬-૫-૨૦૦૯ના એક ફુલેટ ભાડે રાખી તેમાં પધરાવ્યા. ઘણા ભાગ્યશાળીઓ પધાર્યા. અતિ ભાવોલ્લાસ વચ્ચે પ્રભુજીની પધરામણી બાદ નવકારશી થઈ. જેમ જેમ આજુબાજુમાં ખબર પડતી ગઈ તેમ જૈનો પૂજા કરવાવાળા વધવા લાગ્યા. શાંતિની ઈચ્છા હોય તો પહેલા ઈચ્છાની શાંતિ કરો. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ – (૪૮) એક મહિના સુધી લોકોના ભાવની ઉત્તમતા જોતા લાગ્યું કે આ ભાગ્યશાળીઓની આટલી બધી સારી ભાવના છે તો દેરાસર બનાવવાની પ્રેરણા કરીએ તો વિશેષ લાભ થાય. હસમુખભાઈ, સચીનભાઈ વિગેરે અનેક દેરાસરની પ્રેરણાને ઝીલી. શાંતિનાથની પોળ, ચંદ્રપ્રભુસ્વામીના દેરાસરના ભોંયરામાંથી વિ.સં.૧૯૧૦માં ભરાવેલા શ્રી સંભવનાથ પ્રભુજી પણ ત્યાંના ટ્રસ્ટીઓએ ઉદારતાથી આપવા હા પાડી. તા.૧૭-૬-૨૦૦૯, બુધવાર જેઠ વદ-૯, વિ.સં. ૨૦૬પમાં શ્રી સંભવનાથ પ્રભુજીની રંગે ચંગે પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ, તો બે આરાધનાભવન પણ નિર્માણ થયેલ છે. સંઘનું નામ છે શ્રી લબ્લિનિધાન જૈન સંઘ. ૩૧ ઈંચના શ્રી માણિભદ્રવીર તથા શ્રી પદ્માવતી દેવી પણ પધરાવેલ છે. દર બેસતા મહિને તથા દર પૂનમે દર્શન-પૂજા કરવા આવનારને ભાતી પણ એક પુણ્યશાળી , તરફથી અપાય છે. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સહુને સંઘની ખાસ વિનંતી છે કે આપ સહુ અવશ્ય અત્રે પધારો. નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ સહુની મધ્યમાં આવેલો આ સંઘ છે. સાધર્મિકને અનાજની સહાય કરવી જરૂરી છે, રકમથી સહાય કરી શકાય પણ આ બધી મદદો થોડા સમય માટે ઉપયોગી છે. જ્યારે સાધર્મિકોને કાયમી ધર્મસ્થાન માટે મદદ કરીએ તો વર્ષો સુધી તેઓ ધર્મારાધનાદિ કરે તેનું પુણ્ય આપણને મળે. સાધર્મિક ભક્તિને બધા ધર્મોમાં શ્રેષ્ઠ ગણાવ્યો છે. આ જ સંઘના આરાધના ભવનમાં લાભ લેવાની ભાવનાવાળા માટે યોજના આપેલ છે. એ ભાગ - ૯ સંપૂર્ણ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા જેવા આ ઉત્તમ ધર્મી શ્રાવકોના પવિત્ર પ્રસંગો તમને ચોક્કસ આરાધના અને અનુમોદનાનું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવી ખૂબ ખૂબ આત્મહિત કરવા સમર્થ બનાવશે. આત્મહિત સાધવા આવા પ્રસંગોમાંથી યથાશક્તિ ધર્મ કરવાનો સંકલ્પ આ વાંચી શીધ્ર કરશો. અને અંતે E હે વાચક! પુસ્તકગમ્યું? = તો એમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજના બદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. E સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. = આ પ્રસંગો શાંતિથી, વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. E મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરેને ભેટ આપવાથી તેમનું જીવન પણ મઘમઘતું ઉપવન બની શકે છે.! શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાને લાભ થયો પણ છે. ગામે ગામ આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું પુણ્ય મળશે. પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૧૨ નવી ૫૦,૦૦૦ કોપી સાથે પ્રગટ થયેલ છે. પહેલા ભાગની ૧૭ વર્ષમાં ૨૧ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે, આની કુલ ૫,૪૯,000નકલો પ્રગટ થઈ છે. ઘ સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. = ભાગ ૧ થી ૮ ભેગા અને ૧ થી ૧ર છુટા કન્સેશનથી મળશે. 5 આવા પ્રેરક ખાતરી વાળા સત્ય પ્રસંગો પૂરી વિગત સાથે મને મોકલી આપો. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મ“ મારે સુખ જ જોઈએ છે” થી આવી ઈચ્છા વિશ્વના દરેક જીવની હોય છે. જીવ સુખ માટે મહેનત પણ કરે છે પરંતુ અફસોસ કે સંસારના સુખો માટે અનંતો કાળ મહેનત કરી પરંતુ હંમેશા દુ:ખ જ લમણે ઝીંકાયુ છે. કઈ રીતે મળે સુખ ? કઈ રીતે મળેલુ સુખ કાયમ ટકે ? એનો એક માત્ર ઉત્તર છે કે સિધ્ધિગતિની પ્રાપ્તિ. સિધ્ધિગતિ એટલે જ્યાં આત્માનું અનંતુ સુખ, અનંતુ જ્ઞાન શાશ્વતા અનંત કાળ માટે રહે તેવી ગતિ. શીધ્રાતિશીધ્ર મોક્ષપ્રાપ્તિ માટે પંચસૂત્રમાં ત્રણ ઉપાય બતાવવામાં આવ્યા છે. (1) અરિહંતાદિ ચારના શરણ (2) સ્વ દુષ્કતોની નિંદા (3) સ્વ - પરના સુકૃતોની અનુમોદના. આ પુસ્તકના કેટલાક પ્રસંગો ચાર શરણાની મહત્તા માટે, તો કેટલાક પોતાના પાપોની નિંદા માટે, તો કેટલાક વિશ્વના જીવોની ઉત્તમ આરાધના, સાત્વિક્તા, ખુમારીને જાણીને અનુમોદના કરવા જણાવાયા છે. મોક્ષની નજીકમાં પહોંચેલા દરેક જીવોને આવા વર્તમાનના, સત્ય પ્રસંગો વાંચતા અન્યોમાં રહેલા ઉત્તમ ગુણોને પોતાનામાં લાવવાના મનોરથ અવશ્ય જાગે, બીજાની અનુમોદના જાગે, ભવોભવ જિનશાસન મળતુ રહે તેવી તમન્ના જાગે એજ શુભાશિષ. nagdaa faarn at ચાર શરણા સુકૃત-અનુમોદના દુષ્કૃતગર્તા For Personal & Private Use Only) HELLE. Www.janelibrary.org