SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ – (૧૯) ભાવિક ગોળનો ખર્ચો રોજ આપવા માંડ્યો. શાક અને ગોળ મફત ખવડાવે. રોજ ૨૦૦૦ માણસોને છાશ મફત આપે. વિહારમાં સાધુ-સાધ્વીજી ત્યાં આવે તેમને પણ જોઈએ તેટલું ભાવથી ભગતજી વહોરાવે! ગામમાં જૈન ઘરો નથી પણ સાધુઓને ગોચરી નિર્દોષ મળી જાય. સંસ્થામાં જૈનોને ટ્રસ્ટી બનાવ્યા છે. એક ગરીબ માણસ પણ એકલે હાથે શુભ સંકલ્પ બળે કેવો ચમત્કાર સર્જી શકે છે એ આ પ્રસંગમાંથી જાણી તમે બધા યથાશક્તિ દુઃખીઓને મદદ કરો અને એવું પુણ્ય કમાવો કે ક્યારેય તમારે દુઃખી ન થવું પડે. ભગતજીની જેમ તમે કદાચ બધી આવક આવા કામમાં ન ખર્ચો તો પણ “મારે વાર્ષિક આવકમાંથી અમુક ટકા આવાસત્કાર્યમાં વાપરવા એવું નક્કી કરી ધનનો સદુપયોગનું મહાન પુણ્ય મેળવો એ શુભેચ્છા. ૧૪. હનું છોડે તે રામ બીનલબેન લખે છે કે આ જ મારા લગ્નને ૧૭ વર્ષ થયા. હું મારા સાસરામાં પરણીને આવી કે તરત મારા માથે ચાર માબાપની દાદા-દાદી, સાસુ-સસરાની જવાબદારી આવી પડી. એમાં દાદા-દાદીના તો સંડાસ-બાથરૂમ, એકના ૪ મહિના અને એકના ૫ વર્ષ મેં કર્યા. દાદી મર્યા ત્યારે એમની બંગડી તેમણે નવી જ કરાવી હતી જે મને આપવાનું કહ્યું હતું. પણ સાસુએ તે મારી નણંદને આપી દીધી. દાદા-દાદીના વખતમાં મને ઘરેણાં દાગીના પહેરવા દાદાજી આપતા પણ મારા સાસુને ન ગમે. તો આજ સુધી મને નથી આપતા. પોતે પહેરવા ન આપે અને બહાર કહે એ કાંઈ પહેરતી નથી. ત્યારે દુઃખ થતું. ઘણીવાર ઝઘડીને પહેરું. જૈન આદર્શ પ્રસંગો ભાગ ૭ નો પ્રસંગ ૨૩ માં હકનું છોડે તે રામ ( દીકરાને શ્રમણ ન બનાવી શકો તો શ્રવણ તો બનાવજો જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005433
Book TitleJain Adarsh Prasango Part 09
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2013
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy