SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ – (૪૨) – બીજું કાંઈ જ તેમને કે તેમના સ્કૂટરને થયું નહી. ત્યારથી તેમની શ્રધ્ધા વિશેષથી વધી. એકવાર જયશ્રીબેન દર્શન-પૂજા કરીને લગભગ એક વાગે નરોડાથી બસમાં નીકળ્યા અને કાલુપુર સ્ટેશને બસમાંથી ઉતરી ચાલતા ચાલતા બીજા સ્ટેન્ડ સુધી જતા હતાં. નવકારનો જાપ તો ચાલુ જ હતો. એવામાં ૮૧ નંબરની બસનો ડ્રાઈવર એકદમ જ ઉભેલી બસને હંકારવા લાગ્યો અને એકદમ આગળના પૈડામાં બેન અથડાઈ અને અંદર આવી ગયા છતાં દિલમાં એક માત્ર જ શ્રી જિનેશ્વર દેવ અને નવકાર ઉપર શ્રધ્ધાથી એમને કાંઈ જ થયું નહિ! અને બસનો ડ્રાઈવર તથા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. ૩૭. ચોરીનું ધન ના રહે ઘરમાં અમરેલી (ગુજરાત)ના એ સપૂત. એલ.એલ.બી. સુધી ભણેલા. મુંબઈની અતિ પ્રખ્યાત મોટી કંપનીમાં એમનો પરચેઝ ઓફિસરનો હોદો. અમરેલીથી મુંબઈ આવ્યા પણ એમને રહેવાની જગા નહોતી. એક બહુ મોટા પરચેઝમાં એમને સ્કુ સપ્લાયર્સ તરફથી લાંચની ઓફર મળી કે અમને આ ઓર્ડર આપો. અમો તમોને પાર્લામાં બે રૂમ-કિચનનું મકાન ઓનરશીપનું અપાવી દઈએ. ન્યાય એ જ ધન કમાવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે” જેવા જિનવચનો પર શ્રધ્ધાવાળા આમને મુંબઈમાં રહેવાની ઘણી હાડમારી હતી. ચાર બાળકો અને પત્નીના ભવિષ્યનો પ્રશ્ન હતો, છતાં આ ઓફર એમણે ન જ સ્વીકારી. ધર્મી દુનિયામાં એમનું સન્માન વધી ગયું. એઓ શાંતિ-સમાધિ સુંદર પ્રસન્નતાપૂર્ણ જીવન જીવી ગયા. એ સુશ્રાવકનુ શુભ નામ ચિનુભાઈ નાગરદાસ શાહ પટણી હાલ પરિવાર કાંદીવલી (વેસ્ટ) મુંબઈ. મકાનની ઉંચાઈ વધારવી છે કે મનની ઉંચાઈ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005433
Book TitleJain Adarsh Prasango Part 09
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2013
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy