________________
– (૧)
જિંદગીભર પાળજે. મારા તને આશીર્વાદ છે. ધન્યવાદ છે એના માતા-પિતાને !! કેવા ઉત્તમ સંસ્કાર આપ્યા હશે !! - હે વાચકો ! તમે પણ તમારું સંતાન આવી આરાધના કરે તો રાજી થશો ને? આગળ વધારશો ને?
૧૧. બાળકોનો કેશલોચ બોરીવલી (મુંબઈ)ના દોલતનગરમાં આશરે ૩ વર્ષ પૂર્વે પૂ. શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીના સમુદાયવર્તી પૂ.પં. શ્રી રાજહંસવિ. ચાતુર્માસમાં બિરાજમાન હતા. તેમણે વ્યાખ્યાનમાં પ્રેરણા કરી કે “શ્રાવકે પણ કર્મક્ષય માટે લોચનું કષ્ટ સહવું જોઈએ.” આવી પ્રેરણા પામી લગભગ ૧૫૦ જેટલા આરાધકોએ કેશલોચ કરાવ્યો ! જેમાં ૧૦ જેટલા બાળકો ૮થી ૧૫ વર્ષની ઉંમરના હતા. ધન્ય છે આ નાના બાળકોની સહનશીલતાને ! ધન્ય છે લોચની પ્રેરણા કરનારને !
૧૨. પ્રાણો સે ભી પ્યારા હૈ દહેગામનો કેવલ. ઉંમર ૧૪ વર્ષની આસપાસ. જૈન આદર્શ પ્રસંગો વાંચ્યા બાદ ૯ લાખ નવકાર ગણવાના શરૂ કર્યા. એની ભાવના એના શબ્દોમાં વાંચીએ.
મારી શાળા ખ્રિસ્તી છે. મારી શાળામાં જ્યારે ખ્રિસ્તીઓની પ્રાર્થના શરૂ થાય ત્યારે હું મનમાં નવકાર ગણવા માંગું છું. પરંતું કોઈ વાર મારો અવાજ નવકાર બોલતા બોલતા વધી જાય અને
જ્યારે ટીચર ને ખબર પડે ત્યારે મને અચુક પનીશમેન્ટ મળે છે. પરંતુ હું સમતાભાવે તથા ખુશીથી તેને સહન કરું છું. કારણકે પનીશમેન્ટ' કરતાં નવકાર મારે માટે અગત્યનો છે. તમારા સંતાનો કઈ સ્કુલમાં ભણે છે?
વાનગીઓ જોઈને જીભમાંથી પાણી છૂટે કે આંખમાંથી?
Jain Education International
• For Personal & Private Use Only
www.jainelibrary.org