________________
– (૨૧)
૧૬. જપો નવાર પંકજ સોસાયટી, અમદાવાદ સ્થિત પ્રબોધભાઈ માસ્તરના જીવનમાં અનુભવાયેલ નવકાર મહામંત્રનો પ્રભાવ તેમના જ શબ્દોમાં વાંચો.
મારે સ્કુટરનો એક્સીડન્ટ થયેલો. તેમાં પગનું ઉપર નીચેનું બંને પડ ચીરાઈ ગયેલું. ઓપરેશન બે વખત કરાવવા છતાં મચ્યું નહિ અને પગમાં પરું થઈ ગયું. પગ કપાવવો પડે તેવું ડૉક્ટરનું જજમેન્ટ આવી ગયું. છેવટે મને આ.શ્રી ભંદ્રકરસૂરીશ્વરજીના શિષ્ય પં.શ્રી નરરત્ન વિજયજીએ કહ્યું કે તમે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણશો તો પગ પાવો નહીં પડે. તેમના કહેવાથી મેં રોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી શરૂ કરી. છ માસ પછી પગમાંથી પરૂ થવાનું બંધ થઈ ગયું અને કશું જ કપાવવું ના પડ્યું! અને આજે લગભગ ચારમાસથી હું સેવા પૂજા કરતો થઈ ગયો. પગમાં બિલકુલ સારૂં એની મેળે દવા વિના થઈ ગયું છે. આજે પ્રબોધભાઈએ અનુભવેલ બીજો પ્રસંગ વાંચો.
મને એક આંખમાં બહુ જ દુઃખાવો થતો હતો. તેથી હું એક ડોકટરને ત્યાં ગયો. તે ડૉક્ટરથી ભૂલથી આંખમાં ઓજાર વાગી ગયું. લોહી નીકળ્યું. ડૉક્ટર શરમીંદો બની ગયો. આથી હું ડૉશ્રેણીક શાહને બતાવવા ગયો. ૧૦ દિવસ સુધી મારી આંખે પાટા બાંધી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરી. છેવટે તે પણ છુટી પડ્યા કે આંખ જતી રહે તેવું લાગે છે. મેં બધાં ઉપાયો કર્યા છે તે છતાં મટતું નથી. હોસ્પિટલમાંથી રજા આપી. કાંઈ ફાયદો ન થયો. છેવટે હું શંખેશ્વર ગયો અને પરમાત્માને વિનંતી કરી કે દાદા ! હું આપની ભક્તિ તથા ધર્મ ધ્યાન, પ્રતિક્રમણ આદિ સારી રીતે કરી
જોબ નામે એક મોજ કે બોજ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org